YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 27 OF 30

ઇસુ અંજીરીને સૂકવી નાંખે છે

અંજીરીએ ફળ ઉત્પન્ન કર્યું ન હતું અને તેના લીધે તેણે ઈસુના ક્રોધનો સામનો કરવો પડયો. રોચક વાત એ છે કે તે તરત જ સૂકાઈ ગઈ, એટલી કે બધાંએ તે ઘટનાને ધ્યાનમાં લીધી અને નવાઈ પામ્યા કે શું થયું હશે. પછી ઈસુએ તેમના શિષ્યોને અને હાલના શિષ્યો એવા આપણને પણ સંદેશો આપ્યો કે પ્રાયોગિક ધોરણે અસંભવ લાગે એવી બાબતો માટે નીડરતાથી પ્રાર્થના કરવું જોઈએ. જે સમુદ્રમાં પહાડને નાંખી દે છે અને તેમ છતાં તે કહે છે કે જે કોઈ વિશ્વાસ કરશે તેને માટે પણ તે શક્ય છે.

તમારા માટે આજે તે એક પડકાર છે:

“જો તમે વિશ્વાસ કરો તો પ્રાર્થનામાં તમે જે માંગો છો તે તમે પામશો.”

તમે શું પ્રાર્થના કરતા આવ્યા છો ? તમે જેની માંગણી કરી રહ્યા છો તે તમને ઈશ્વર આપશે એવો વિશ્વાસ શું તમે કરો છો ?

અસાધારણ કામોનો અનુભવ કરવાથી આપણને રોકી રાખનાર બાબતોમાં એક બાબત શંકા છે. જો આપણે નીડરતાથી વિશ્વાસ કરીએ તેના લીધે શત્રુને આઘાત મળે અને આપણા ઈશ્વરને આનંદ થાય એવું શું શક્ય છે ? આપણી કલ્પનામાં પણ ન આવે એવી મહાકાય પ્રાર્થનાઓ આપણે કરી હોય અને આપણી પોતાની શક્તિથી તેને પાર પાડવું અસંભવ હોય એવું શું શક્ય છે ? આપણી પ્રાર્થનાઓ કેવળ આપણા માટે અને આપણા પરિવારોને માટે હોવાને બદલે આપણા શહેરો અને દેશોને માટે થાય એવું શું શક્ય છે ?

આપણી પાસે પ્રાર્થનાનો ઉત્તર આપનાર ઈશ્વર છે જેમને માટે કશુંયે અસંભવ નથી. પીડા, દેવું, વાંઝીયાપણું કે એકલતા આખી સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરને માટે કશું જ નથી. તમે વિશ્વાસથી ઈસુના નામની શક્તિમાં તેના વિષે પ્રાર્થના કરી શકો છો અને ઈશ્વરના વાયદાઓ પર ઊભા રહી શકો છો જે બધા ખ્રિસ્તમાં હા અને આમીનમાં છે.

ઈશ્વર તેમના પોતાના વિષે જે કહે છે તેના પર શું તમે વિશ્વાસ કરશો ? શું તમે નીડર પ્રાર્થનાઓ કરવાનું શરૂ કરશો જે ઈશ્વરના અસાધારણ શક્તિને ઉપયોગ કરવા સક્રિય કરશે ?

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More