BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

લૂકના આ આગલા ભાગમાં ઈસુ જ્યારે ઈશ્વરના ઉથલ-પાથલ કરનારા રાજ્યમાં જીવવાના અર્થની આત્મિક સમજ પૂરી પાડવાની સાથે-સાથે એક આંધળા વ્યક્તિને દેખતો કરે છે. પણ કોઈપણ વ્યક્તિ પ્રાર્થના અને ગરીબો માટે ઉદારતા રાખવાની સાથે તે રાજ્યમાં રહેવાની શરૂઆત કરે તે પહેલાં, તેણે તેમાં દાખલ થવું અનિવાર્ય છે. અને જ્યાં સુધી કોઇ વ્યક્તિ પ્રથમ તો પોતાની જાતને ઈશ્વર પર સંપૂર્ણપણે આધાર રાખવા જેટલી નમ્ર ન કરે ત્યાં સુધી તેમાં દાખલ પણ થઈ શકતી નથી. કેટલાક લોકો પોતાની જાત પર ભરોસો રાખે છે અને આ વાતને સમજી શકતાં નથી, તેથી ઈસુ આ દ્રષ્ટાંત કહે છે. તે આ પ્રમાણે છે.
એકવાર બે વ્યક્તિઓ મંદિરમાં પ્રાર્થના કરવા જાય છે. એક વ્યક્તિ તો ફરોશી હતો અને ધર્મશાસ્ત્રોના તેના જ્ઞાનને લીધે તથા મંદિરમાં આગેવાની આપવા માટે જાણીતો હતો. જ્યારે બીજો વ્યક્તિ કર ઉઘરાવનાર અધિકારી હતો અને રોમના આ ભ્રષ્ટ વ્યવસાયમાં કામ કરતો હોવાને લીધે તિરસ્કૃત ગણાતો હતો. ફરોશી વ્યક્તિ તો બીજા બધા કરતાં વધારે પવિત્ર હોવાની વાત કરીને પોતાના વખાણ કરે છે. તે તેના માટે ઈશ્વરનો આભાર માને છે. પણ કર ઉઘરાવનાર અધિકારી તો પ્રાર્થના કરતી વખતે ઊંચું પણ જોઈ શકતો નથી. તે દુ:ખી થઈને પોતાની છાતી કૂટે છે અને કહે છે, "હે પ્રભુ, હું પાપી છું, મારા પર દયા કરો." ઈસુ એમ કહીને આ વાતને પૂરી કરે છે કે કર ઉઘરાવનાર અધિકારી જ તે દિવસે ઈશ્વરની આગળ ન્યાયી ઠરીને ઘરે ગયો હતો. ઈસુ સમજાવે છે કે કેવી રીતે પદવીનો આ આશ્ચર્યજનક વિપરિત ફેરફાર તેમના રાજ્યમાં કામ કરે છે: એટલે કે "જે પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, પણ જે તેની જાતને નમ્ર કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”
લૂક ઈસુના શબ્દોનું અનુસરણ કરીને નમ્રતાના આ વિષય પર ભાર મૂકે છે અને ઈસુના જીવનની બીજી એક ઘટના જણાવે છે. લૂક સમજાવે છે કે કેવી રીતે માતા-પિતા તેમના બાળકોને ઈસુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લાવે છે. શિષ્યો આ વિક્ષેપોને અયોગ્ય ગણાવે છે. તેઓ પરિવારજનોને પાછા જવા માટે સમજાવે છે. પરંતુ ઈસુ નાનકડાં ભૂલકાંઓ માટે ઊભા થાય છે અને કહે છે કે, "બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકશો નહીં, કેમ કે ઈશ્વરનું રાજ્ય તેમના જેવા બધા લોકો માટે છે." તે આ ચેતવણી અને આમંત્રણ સાથે એ વાતનો અંત કરે છે, "જે કોઈ ઈશ્વરના રાજ્યને બાળકની જેમ નહીં સ્વીકારે તે તેમાં પ્રવેશ કરી શકશે નહિ."
Scripture
About this Plan

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More
Related Plans

Lessons From Ezra

Missionaries in the Marketplace

A Christian Parent's Guide to Navigating Youth Sports

Pray, Lament, Worship and Repent With Psalm 25

Arid Hearts Lush Hearts

Is There Hope for My Marriage? One Good Reason to Stay Together

10 F-Words for the Faith-Driven Entrepreneur

Connect With God Through Expression | 7-Day Devotional

How to Know Jesus Personally – Start Your Faith Journey Today
