BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

લૂકના આ વિભાગમાં ઈસુ એક એવું દ્રષ્ટાંત કહે છે, જેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે કે કેવી રીતે તેમનું રાજ્ય આ જગતની પરિસ્થિતિઓને ઉલટાવી નાખે છે. તે દ્રષ્ટાંત આ પ્રમાણે છે.
એક ધનવાન વ્યક્તિ હતો, જે હંમેશા મોંઘા કપડાં પહેરતો હતો, અને મોટા મકાનનો માલિક હતો. અને લાજરસ નામનો એક ગરીબ અને દુ:ખી માણસ હતો, જે દરરોજ તે ધનવાન માણસના ઘરની બહાર બેસીને ભીખ માંગતો હતો, અને તેની મેજ પરથી પડેલા કકડા ખાવાની ઇચ્છા રાખતો હતો. પરંતુ તે ધનવાન માણસ તેને કંઈ આપતો નથી, અને અંતે બંને મૃત્યુ પામે છે. લાજરસને શાશ્વત સુખ અને આરામવાળી જગ્યાએ લઈ જવામાં આવે છે, જ્યારે ધનવાન માણસને નરકમાં યાતના આપવામાં આવે છે. કોઈક રીતે તે ધનવાન માણસ લાજરસને ઇબ્રાહિમની પાસે જોઇ શકે છે, અને જેવો તે તેને જુએ છે કે તરત જ ઇબ્રાહિમને વિનંતી કરે છે, કે તે તેની તરસ છીપાવવા માટે લાજરસને પાણી લઈને તેની પાસે મોકલે. પરંતુ ધનવાન માણસને કહેવામાં આવે છે કે એમ થઇ શકે તેમ નથી. તેને પૃથ્વી પરનું તેનું જીવન યાદ કરાવવામાં આવે છે, કે જ્યારે લાજરસને તેની મદદની જરૂર હતી ત્યારે તે કેવું વૈભવી જીવન જીવતો હતો. તેથી ધનવાન માણસ આજીજી કરે છે, કે લાજરસને પૃથ્વી પર તેના પરિવારજનો પાસે મોકલવામાં આવે, જેથી તેના પરિવારજનોને આ યાતનાના સ્થળ વિશે ચેતવણી આપી શકાય. પરંતુ તેને કહેવામાં આવે છે કે તેના પરિવારજનો પાસે હિબ્રૂ પ્રબોધકોના લખાણો છે, જેમાં તેમના માટે જરૂરી હોય એવી બધી જ ચેતવણીઓ છે. ધનવાન માણસ દલીલ કરે છે કે જો લાજરસ જીવતો થાય તો તેના પરિવારને ખાતરી થાય. પરંતુ તેને એમ કહેવામાં આવે છે કે તેનાથી કોઈ ફેર પડશે નહીં. કેમ કે જો તેઓ મૂસા અને પ્રબોધકોની વાતોને સાંભળવાનો નકાર કરે છે, તો લાજરસ જીવતો થાય તોપણ તેની વાતને માનશે નહીં.
આ દ્રષ્ટાંત કહ્યા પછી, ઈસુ દરેક વ્યક્તિને ચેતવણી આપે છે કે જેઓ બીજાને દુ:ખ આપે છે તેમણે પોતે પણ દુ:ખ સહન કરવું પડશે. આવી દુર્દશાને ટાળવા માટે ઈસુ દરેક વ્યક્તિને એકબીજાની દરકાર રાખવાનો અને જેઓ ભૂલ કરે તેની ભૂલને સુધારવાનો બોધ આપે છે. જેઓ પોતાની ભૂલનો પશ્ચાતાપ કરે છે, તેઓને માફી મળે છે, પછી ભલે આવી માફીની વારંવાર જરૂર પડે. ઈસુ દયાળુ છે. તે ઈચ્છે છે કે બહુ મોડું થઈ જાય તે પહેલાં દરેક વ્યક્તિ તેમને સાંભળે. ઈસુ દુ:ખોને ઉલટાવવા માટે આવ્યા છે, પણ કેવી રીતે? તે સત્યનું શિક્ષણ આપે છે, અને જેઓ તેને સાંભળે છે, તે બધાને બલિદાનરૂપે પોતાની માફી આપે છે. એ જ રીતે, તેઓના અનુયાયીઓએ પણ અન્ય લોકોને શીખવવાનું છે, અને માફી આપવાની છે.
ઈસુના શિષ્યો આ બધું સાંભળે છે અને સ્વીકારે છે કે ઈસુના ઉપદેશનું અનુસરણ કરવા માટે તેઓને જેટલાં પ્રમાણમાં ઈશ્વરમાં વિશ્વાસની જરૂર છે તેટલાં પ્રમાણમાં વિશ્વાસ નથી, તેથી તેઓ વધારે વિશ્વાસની માંગણી કરે છે.
Scripture
About this Plan

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More
Related Plans

More Than Money

Why Trust the Bible?

Family by Choice: God’s Heart for Family Beyond Biology

Encounter: People Jesus Met, Then and Now

Renew: To Transform, Be Transformed by God’s Mercy

Wisdom in the Word

We Are Family

A Teen's Guide To: Victory in Christ

Can I Trust the Bible?
