YouVersion Logo
Search Icon

યોહાન 3

3
ઈસુનો નિકોદેમસને ઉપદેશ
1હવે એક ફરોશી હતો, જે માણસનું નામ નિકોદેમસ હતું, કે જે યહૂદી સભાનો એક સભ્ય હતો, 2તે રાત્રે ઈસુની પાસે આવ્યો અને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવેલા ઉપદેશક છો, કેમકે જે કોઇની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે ન કરી શકે.”
3ઈસુએ જવાબ આપ્યો, “હું તને સાચે જ કહું છું કે, જો કોઇ નવો જન્મ પામ્યા ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી.”
4“કોઇ જયારે વૃધ્ધ થઇને જન્મ કેવી રીતે પામી શકે!” નિકોદેમસે પૂછયું, “ખરેખર તેઓ બીજી વાર પોતાની માના ઉદરમાં જઈને જન્મ લઈ શકે નહિ.”
5ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું કે જો કોઇ માણસ પાણી અને આત્માથી જન્મયું ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી, 6શરીર શરીરને જન્મ આપે છે, પણ આત્મા આત્માને જન્મ આપે છે. 7‘તમારે નવો જન્મ પામવો જોઈએ.’ મારી વાતથી આશ્ચર્ય પામતો ના. 8પવન જયાં ચાહે છે ત્યાં ફૂંકાય છે, તું તેનો અવાજ સાંભળે છે પણ તે કયાંથી આવે છે ને કયાં જાય છે, તે તું કહી શકતો નથી. માટે આત્માથી જન્મેલી વ્યકિતના સંબંધમાં પણ એવું જ છે.”
9નિકોદેમસે પૂછયું, “એ કેવી રીતે થઇ શકે?”
10ઈસુએ કહ્યું, “તું ઇઝરાયેલનો શિક્ષક થઇને” આ બાબતો નથી સમજી શકતો! 11હું તમને સાચે જ કહું છું કે: અમે જે જાણીએ તે કહીએ છીએ અને જે જોયું છે, તેની સાક્ષી પુરીએ છીએ છતાં પણ તમે લોકો અમારી સાક્ષી સ્વીકારતા નથી. 12હું તમને પૃથ્વી પરની વાતો કહું છું પણ તમે વિશ્વાસ કરતા નથી, તો પછી જો હું તમને આકાશની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરી શકવાનાં? 13આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઇ નથી ચઢયું. 14જેમ મોશેએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યા, તેમજ માણસના દીકરાને પણ ઊંચો કરવાની જરૂર છે. 15એ માટે જે કોઈ વિશ્વાસ કરે તેને તેમનામાં અનંતજીવન મળે.
16કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. 17જગતને દોષિત ઠરાવવા માટે નહિ પણ તેમનાથી જગતનો ઉધ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યા. 18જે કોઈ તેમના પર વિશ્વાસ કરતો નથી તે દોષિત ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે દોષિત ઠરી ચૂક્યો છે. કેમકે ઇશ્વરના એકાંકીજનીત દીકરાનાં નામ પર તેણે વિશ્વાસ કયોઁ નહિ. 19સજા માટેનું કારણ આ છે કે: જગતમાં પ્રકાશ આવ્યા છતાં પણ લોકોએ પ્રકાશ કરતા અંધકારને ચાહ્યો, કેમકે તેઓનાં કામ ભૂંડા હતાં. 20જે કોઇ ભૂંડુ કરે છે તે પ્રકાશનો ધિક્કાર કરે છે. અને પોતાના કામ ન વખોડાય માટે તેઓ પ્રકાશ પાસે આવતા નથી; 21પણ જેઓ સત્યથી જીવે છે તેઓ પ્રકાશમાં આવે છે, જેથી તેઓએ જે કંઇ કયુઁ છે તે ઈશ્વરની નજરમાં કરવામાં આવ્યું છે તે સ્પષ્ટપણે જોવા મળે.
યોહાન ઈસુ વિશે ફરી સાક્ષી આપે છે
22આ પછી, ઈસુ અને તેમના શિષ્યો બહાર નીકળીને યહૂદિયાની સિમોમાં ગયા, ત્યાં તેમણે થોડો સમય તેઓની સાથે વિતાવ્યો, અને બાપ્તિસ્મા આપતાં હતા. 23હવે યોહાન પણ સાલીમ પાસેનાં એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો, કેમકે ત્યાં પુષ્કળ પાણી હતું, અને લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા. 24આ યોહાનને જેલમાં પૂયાઁ પહેલાં હતું. 25તે પ્રસંગે યોહાનના શિષ્યોને કોઇ એક યહૂદી સાથે શુધ્ધિકરણ વિશે વાદવિવાદ થયો. 26તેઓએ યોહાન પાસે આવીને તેને કહ્યું, “રાબ્બી, જે માણસ યર્દન નદીને પેલે પાર તમારી સાથે હતા, અને જેમનાં સંબંધી તમે સાક્ષી આપી, જુઓ તેઓ બાપ્તિસ્મા આપે છે, અને લોકો તેમની પાસે જાય છે.”
27આ માટે યોહાને જવાબ આપ્યો, “વ્યકિતને આકાશમાંથી આપવામાં આવ્યું હોય તો જ તે કંઇ પામી શકે છે. 28તમે પોતે મારા સાક્ષી છો કે, મે કહ્યું, હું મસીહ નથી પણ તેમની આગળ મોકલાયેલો છું. 29કન્યા વરરાજાની છે, વરરાજાનો મિત્ર જે સાથે છે તે રાહ જોઇને તેનું સાંભળે છે અને જયારે તે વરરાજાનો અવાજ સાંભળે છે, ત્યારે તે બહુ આનંદ પામે છે. એ મારો આનંદ છે અને તે હવે સંપૂણઁ થયો છે. 30તે વધતા જાય, અને હું ઘટતો જાઉં.”
31જે ઉપરથી આવે છે તે સવઁની ઉપર છે, જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે, અને પૃથ્વીનું બોલે છે. જે આકાશમાંથી આવે છે તે સવઁની ઉપર છે. 32તેણે જે જોયું અને સાંભળ્યું છે તેની સાક્ષી તે આપે છે, પણ તેની સાક્ષી કોઇ માનતું નથી. 33જે કોઇએ તેની સાક્ષી માની છે તેણે ઈશ્વર સત્ય છે એ પર મુદ્રા કરી છે. 34કેમકે જેને ઈશ્વરે મોકલ્યા છે, તે ઈશ્વરનાં વચનો બોલે છે, કેમકે ઈશ્વર માપથી આત્મા આપતો નથી. 35પિતા પુત્ર પર પ્રેમ કરે છે અને તેમણે સઘળું તેમને સોંપ્યું છે. 36જે કોઇ પુત્ર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે, પણ જે કોઇ પુત્રનો નકાર કરશે તે જીવન નહિ દેખશે, પણ તેઓ ઉપર ઈશ્વરનો કોપ રહે છે.

Currently Selected:

યોહાન 3: OGCB

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in