YouVersion Logo
Search Icon

યોહાન 2

2
ઈસુ પાણીનો દ્રાક્ષારસ બનાવે છે
1ત્રીજે દિવસે ગાલીલના કાનામાં લગ્ન હતું, ત્યાં ઈસુના મા હતા. 2અને ઈસુ અને તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ હતું. 3“જયારે દ્રાક્ષારસ ખૂટી પડયો.” ઈસુનાં મા તેમને કહે છે, તેઓની પાસે દ્રાક્ષારસ નથી.
4ઈસુએ જવાબ આપ્યો કે, બાઈ, “તમે મને કેમ સામીલ કરો છો? મારો સમય હજુ આવ્યો નથી.”
5તેમના માએ નોકરોને કહ્યું, “જે કંઇ તેઓ તમને કહે, તે કરો.”
6હવે ત્યાં પથ્થરની છ કોઠીઓ હતી: યહૂદીઓનાં ધાર્મિક પ્રસંગોમાં તે ઉપયોગમાં લેવાતી હતી, દરેક કોઠીમાં આશરે સો લીટર પાણી સમાતું હતું.
7ઈસુએ નોકરોને કહ્યું, “આ કોઠીઓ પાણીથી ભરી દો.” તેથી તેઓએ તે છલોછલ ભરી દીધી.
8પછી તેમણે તેમને કહ્યું, “હવે થોડું કાઢીને જમણના કારભારી પાસે લઇ જાઓ, તેઓએ તેમ કયુઁ,”
9જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો. આ ક્યાંંથી આવ્યો તેની તેને ખબર ન હતી, પણ જે નોકરોએ પાણી કાઢયું હતું તેઓ જાણતા હતા, પછી તેમણે વરરાજાને બાજુમાં બોલાવ્યો. 10અને કહ્યું, “દરેક માણસ પ્રથમ ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે અને મહેમાનોએ સારી રીતે પીધા પછી હલકા પ્રકારનો આપે છે, પરંતુ તેં અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખ્યો છે!”
11ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડયો, અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કયોઁ.
12એ પછી ઈસુ, તેમનાં મા, ભાઈઓ અને તેમના શિષ્યો સાથે કપરનાહૂમ ગયા. ત્યાં તેઓ થોડા દિવસ રહ્યા.
ઈસુ મંદિરને શુધ્ધ કરે છે
13જયારે યહૂદીઓનાં પાસ્ખાપર્વનો સમય પાસે આવ્યો હતો, ત્યારે ઈસુ યરુશાલેમ ગયા. 14મંદિરનાં આંગણાંમાં લોકો પશુઓ, ઘેટાં અને કબૂતરો વેચનારા તથા નાંણાવટીઓને ટેબલે બેઠેલા તેમણે જોયા. 15તેથી તેમણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે બધાને ઘેટાં અને પશુઓ સુધ્ધાં મંદિરનાં આંગણાંમાથી હાંકી કાઢયાં. નાંણાવટીઓને નાણાંના સિક્કા વેરી નાંખ્યાં, અને તેઓના ટેબલો ઊંધા વાળ્યાં. 16જેઓ કબૂતરો વેચનારા હતા તેઓને કહ્યું, “આ બધું અહીંથી બહાર લઇ જાઓ. મારા પિતાનાં ઘરને બજાર ના બનાવો.” 17તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, “તમારા ઘર માટેની આસ્થા મને ખાય જાય છે.”
18યહૂદીઓએ તેમને જવાબ આપ્યો, “આ બધુ કરવા માટે તમારો અધિકાર સાબિતી કરવા તમે અમને શું ચિન્હ બતાવી શકો.”
19ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “આ મંદિરને જમીનદોસ્ત કરી નાંખો અને હું તેને ત્રણ દિવસમાં ફરી ઊભુ કરીશ.”
20તેઓએ જવાબ આપ્યો, “આ મંદિરને બાંધતાં છેંતાળીસ વર્ષ લાગ્યાં છે, અને તમે શું તેને ત્રણ દિવસમાં ઊભુ કરશો?” 21પરંતુ ઈસુએ તો પોતાના શરીરરૂપી મંદિરની વાત કરી હતી. 22મરણમાંથી સજીવન થયા પછી તેમના શિષ્યોને યાદ આવ્યું કે જે તેમણે કહ્યું હતું. અને તેઓએ શાસ્ત્ર અને ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કયોઁ. નો ઉલ્લેખ કર્યો.
23હવે જયારે પાસ્ખાપર્વના સમયે તેઓ યરુશાલેમમાં હતા, જે ચિન્હો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કયોઁ, 24પણ ઈસુએ પોતે એ લોકોનો ભરોસો કયોઁ નહિ કેમકે તે સવઁને જાણતા હતા. 25કોઈ માણસ સાક્ષી આપે એવી તેમને જરૂર ન હતી. કેમકે દરેક વ્યકિતમાં શું છે એ તેઓ જાણતા હતા.

Currently Selected:

યોહાન 2: OGCB

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in