YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 5

5
પરમેશ્વરથી મેળ
1હવે જઈ આપણને વિશ્વાસ દ્વારા પરમેશ્વરની હારે હાસા રાખવામાં આવ્યા છે તો આપણને પરભુ ઈસુ મસીહના દ્વારા પરમેશ્વરની હારે શાંતિ છે. 2આપડા વિશ્વાસના કારણે, મસીહ આપણને આ કૃપામાં લીયાવો છે જ્યાં આપડે હવે ઉભા છયી, અને આપડે આશા અને આંનદની હારે પરમેશ્વરની મહિમામાં ભાગીદાર થાવાની આશા જોયી છયી.
3ખાલી આજ નય, પણ જઈ આપડે મુશ્કેલીઓમાં હોયી તઈ પણ આનંદ કરી હકી છયી કેમ કે, આપડે જાણી છયી કે, કેમ કે, આપડે દુખ ઉપાડી છયી. તો હારી રીતે ધીરજ રાખવાનું શીખી છયી. 4પરમેશ્વર આપણને આવકારે છે કેમ કે, આપડે ધીરજ રાખવાનુ શીખા છયી અને કેમ કે, ઈ આપણને આવકારે છે, ઈ હાટુ આપણને આશા છે. 5આશા શરમાવતી નથી; કેમ કે, આપણને આપેલા પવિત્ર આત્માથી આપડા હૃદયમાં પરમેશ્વરનો પ્રેમ વહેડાવાયો છે.
6કેમ કે, જઈ આપડે નબળા હતાં, તો મસીહ ઠરાવેલા વખતે અન્યાયીઓ હાટુ મરયો. 7કોય પણને એક ન્યાયી માણસ હાટુ મરવુ અઘરું છે, કદાસ બની હકે કે, કોય ખરેખર હારા માણસ હાટુ મરવા હાટુ તૈયાર થય જાય. 8પણ આપડે જઈ પાપી હતાં, તઈ મસીહ આપડી હાટુ મરણ પામ્યો. એવું કરવામાં પરમેશ્વરે આપડી ઉપર પોતાનો પ્રેમ પરગટ કરયો છે.
9એથી હવે આપડે અત્યારે એના લોહીથી ન્યાયી ઠરાવામા આવ્યા છયી જેથી પરમેશ્વરનાં દંડથી આપડો બસાવ થાહે, ઈ બોવ જ ખાતરીપૂર્વકની વાત છે! 10કેમ કે, જઈ આપડે પરમેશ્વરનાં વિરોધી હતાં તઈ એના દીકરાના મરણથી પરમેશ્વરની હારે આપડુ સમાધાન થયુ, એથી હવે એના જીવને લીધે આપડો બસાવ ઈ બોવ જ ખાતરીપૂર્વક છે! 11અને ખાલી ઈ જ નય, પણ હવે તો આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરથી આપડો મેળ થય ગયો છે, એટલે આપડે પરમેશ્વરમાં રાજી છયી.
આદમથી મરણ અને મસીહથી જીવન
12એટલે એક માણસ દ્વારા પાપ જગતમાં આવ્યું એટલે કે, આદમના દ્વારા, ઈ પેલો માણસ જેને પરમેશ્વરે બનાવ્યો કેમ કે, આદમે પાપ કરયુ, ઈ મરી ગયો. બધાય લોકો ઉપર મોત આવ્યું, કેમ કે, બધાયે પાપ કરયુ. 13પરમેશ્વર દ્વારા મુસાને શાસ્ત્ર આપ્યા પેલા પણ પાપ જગતમાં હતું. પણ એને પાપ તરીકે ગણવામાં આવ્યું નોતુ કેમ કે, હજી હુધી તોડવા હાટુ કોય શાસ્ત્ર નોતું.
14તોય પણ આદમથી લયને મુસા હુધી ઈ બધાય ઉપર મોત આવ્યુ. આદમના પાપે બધાય લોકોને પરભાવિત કરયા બરાબર ઈ એવી જ રીતે જે મસીહે કરયુ, ઈ પછી આવ્યો, ઈ પણ બધાય લોકોને પરભાવિત કરે છે.
15પણ આદમનું પાપ ઈ વરદાન જેવુ નથી જે પરમેશ્વર આપણને પોતાની કૃપાથી આપે છે કેમ કે, એક માણસનું પાપ ઘણાય બધાય માણસોની હાટુ મોત લયને આવ્યુ. પણ પરમેશ્વરની કૃપા અને ધાર્મિકતાનું વરદાન જે એણે આપણને આપ્યુ છે, એની કિંમત ઘણાય બધાય માણસો હાટુ એનાથી ઘણુય વધારે છે, અને ઈસુ મસીહે એક માણસ તરીકે પોતાની કૃપાથી જે કરયુ એણે ઈ શક્ય કરયુ.
16પરમેશ્વરે જે કૃપા આપણને આપી છે ઈ આદમના પાપના જેવું નથી કેમ કે, ઈ એકલો પાપ દંડ લીયાવ્યો? પણ ભલે આપડે બોવ જ પાપ કરયા હોય, તો પણ પરમેશ્વરે આપણને એક એવી કૃપા આપી, જેણે આપણને એની નજરમાં ન્યાયી બનાવી દીધા. 17કેમ કે, જઈ એક માણસના પાપની લીધે બધાય લોકો મરી ગયા, તો જે લોકો કૃપા અને ઈ ન્યાયીપણાનું દાન છે. ઈ અનંતજીવન પ્રાપ્ત કરશે અને ઈસુ મસીહની હારે રાજ કરશે કેમ કે, તેઓ એની ઉપર વિશ્વાસ કરે છે.
18ઈ હાટુ જેમ એક પાપ બધાય માણસ હાટુ દંડ લીયાવાનું કારણ થયુ, એમ જ એક ન્યાયીપણાનું કામ પણ બધાય માણસોને ન્યાયી ઠરાવીને જીવન આપે છે. 19કેમ કે, જેમ એક માણસના આજ્ઞા નો પાળવાથી બોવ બધાય લોકો પાપી ઠરયા, એમ જ એક માણસના આજ્ઞા પાળવાથી બોવ બધાય લોકો પરમેશ્વરની હારે હાસા ઠરશે.
20વળી ગુનાઓ વધારે થાય ઈ હાટુ શાસ્ત્ર આવ્યું, પણ જ્યાં પાપ વધારે થયુ, ન્યા એની કરતાં વધારે કૃપા થય. 21કેમ કે, જેવુ બધાય લોકોએ પાપ કરયુ અને ઈ બધાય મરી ગયા. એમ જ આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરની કૃપા એને ન્યાયી જાહેર કરશે અને તેઓને અનંતકાળનું જીવન દેહે.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in