YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 6

6
1તઈ આપડે શું કેહુ? કૃપા વધારે થાય ઈ હાટુ શું આપડે પાપ કરતાં જ રેવું? 2નય! કઈયેય નય! આપડે પાપની હાટુ મરી ગયા છયી અને એટલે આપડે પાપીલા કામ કરવાનું સાલું નો રાખવું જોયી. 3શું આપડે જાણી છયી કે, આપડે બધાય જેટલાએ ઈસુ મસીહની હારે એકતામાં જઈ આપડે જળદીક્ષા લીધી તો આ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા.
4ઈ હાટુ જઈ આપડે જળદીક્ષા લીધી તો ઈ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા અને એની હારે દાટીદેવામાં આવ્યા, જેથી જેમ મસીહ પરમેશ્વર બાપની મહિમા દ્વારા મરણમાંથી જીવતો કરવામા આવ્યો, એમ જ આપડે પણ એક નવુ જીવન જીવશુ. 5જો આપડે જળદીક્ષા દ્વારા એના મોતમાં એની હારે એક થયા છયી, તો નક્કી એના મરેલામાંથી જીવતા ઉઠવા ઉપર એની હારે એક થય જાહુ.
6આપડે જાણી છયી કે, આપડો જુનો પાપીલો સ્વભાવ મસીહ ઈસુની હારે વધસ્થંભ ઉપર સડાવામાં આવ્યું, જેથી આપડા દેહમાં પાપીલો સ્વભાવ નાશ થય જાય, અને આપડે આગળ પાપની ગુલામીમાં નો રેયી. 7કેમ કે, જે મરણ પામેલો છે ઈ ન્યાયી ઠરીને પાપમાંથી છુટો થયો છે. 8હવે જો મસીહ ઈસુની હારે આપડે મરી ગયા છયી, તો આપડો વિશ્વાસ છે કે, આપડે એની હારે જીવતા પણ રેહું.
9કેમ કે, આપડે જાણી છયી કે, મસીહ મરણમાંથી જીવી ઉઠયો અને ઈ પાછો કોયદી નય મરે, મોતનો એની ઉપર હવે કોય અધિકાર નથી. 10કેમ કે, મસીહ ઈ જે મરી ગયો તો પાપની હાટુ એક જ વાર મરી ગયો, પણ હવે જઈ ઈ જીવતો છે, તો પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવે છે. 11એવી રીતે તમે પણ પોતાના પાપની તાકાતને મરેલી હમજો, પણ પરમેશ્વરની હાટુ મસીહ ઈસુમાં તમે પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવો છો.
12પાપને તમારા નાશવંત દેહમાં રાજ્ય કરવા દયને તમારા દેહની ભુંડી ઈચ્છાઓને આધીન નો થાવ. 13અને તમારા દેહના અંગોને અન્યાયની વસ્તુ થાવા હાટુ પાપને નો હોપો, પણ મરણમાંથી જીવતા થયેલા જેવા તમે પોતાને પરમેશ્વરને હોપો અને તમારા દેહના અંગોને ન્યાયીપણાની વસ્તુ થાવા હાટુ પરમેશ્વરને હોપો. 14તઈ તમારી ઉપર પાપની તાકાતનો અધિકાર નય હોય કેમ કે, તમે નિયમશાસ્ત્રને આધીન નથી પણ પરમેશ્વરની કૃપાને આધીન જીવો છો.
ન્યાયીપણાને આધીન
15તો શું આપડે શાસ્ત્રને નય, પણ પરમેશ્વરની કૃપાને આધીન છયી, ઈ હાટુ શું આપડે પાપ કરતુ રેવું? ના કોયદી નય. 16તમે જાણો છો કે, આજ્ઞા પાળવા હાટુ તમે પસંદગી કરી હકો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો એના સેવક તમે છો; ગમે તો મરણને અરથે પાપના, અને ન્યાયીપણાને અરથે આજ્ઞા પાલન.
17પરમેશ્વરનો આભાર માનો કેમ કે, તમે એક વખતે પાપના ગુલામ હતાં, પણ હવે તમને આપવામાં આવેલુ શિક્ષણ તમે પુરા હૃદયથી સ્વીકારયું છે. 18અને પરમેશ્વરે તમને પાપની તાકાતમાંથી છોડાવ્યા છે, તમે પરમેશ્વરનાં સેવક થય ગયા, જેથી ઈ કરો જે હાસુ છે.
19હું દરોજના જીવનમાંથી એક દાખલાનો ઉપયોગ કરીને કવ છું જેવી રીતે તમે પોતાના દેહના અંગોને અશુદ્તા અને પાપી કામોના ગુલામ કરીને હોપી દીધા હતાં, એવી જ રીતે હવે પોતાના અંગોને પવિત્રતાની હાટુ ન્યાયી જીવન જીવવા હાટુ હોપી દયો. 20જઈ તમે પાપના ગુલામ હતાં, તઈ તમે ઈ કરવામા લાયક નોતા જે હાસુ છે. 21પોતાના જુના જીવનથી તમને શું લાભ થ્યો? તમે એના કારણેથી ખાલી શરમાઓ છો. કેમ કે, ઈ કામોનું પરિણામ મોત છે.
22પણ હવે પાપથી મુક્ત થયને અને પરમેશ્વરનાં સેવક બનીને હવે તમે એવા કામો કરો છો જે પવિત્રતાની બાજુ લય જાય છે, અને એનો અંત અનંતકાળનું જીવન મળે છે 23કેમ કે, પાપનુ પરિણામ મરણ છે, પણ આપડા પરભુ ઈસુ મસીહથી પરમેશ્વરની કૃપા અનંતકાળનું જીવન છે.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in