YouVersion Logo
Search Icon

એફેસીઓને પત્ર 5

5
અજવાળામાં હાલો
1તમે પરમેશ્વરનાં વાલા બાળકો છો, એટલે તમારો વ્યવહાર એના સ્વભાવ પરમાણે હોય. 2મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.
3જેમ પવિત્ર લોકોને લાયક છે, એવા તમારામાં છીનાળવા, અને કોય પરકારના ખરાબ કામ, કે લોભની વાતસીત પણ નો હોય. 4શરમજનક વાતો કરવી નય, નકામી વાતો કરવી નય, ખરાબ ઠ્ઠઠ્ઠામશ્કરી કરવી નય, ઈ તમારી લાયક નથી, પણ એની જગ્યાએ તમારે પરમેશ્વરનો આભાર માનવો જોયી.
5કેમ કે, તમે આ હારી રીતે જાણો છો કે, કોય પણ છીનાળવા, અશુદ્ધતા, લોભી એક મૂર્તિપૂજકની જેમ છે, જે આ જગતની વસ્તુઓનું ભજન કરે છે, એને કોય દિવસ મસીહ અને પરમેશ્વરનાં રાજ્યમાં એકય ભાગ નય મળે. 6તે લોકોના દ્વારા મુરખ નો બનો જેઓ આ પાપોની હાટુ બાના બનાવવાની કોશિશ કરે છે, કેમ કે આજ કામોને કારણે પરમેશ્વરનો ગુસ્સો આજ્ઞા નો માનવાવાળા ઉપર ભડકે છે. 7ઈ હાટુ આ પાપીલા કામો કરવામાં તેઓની હારે ભાગીદાર નો થાવ.
8કેમ કે, તમે પેલા અંધારામાં રેનાર લોકોની જેમ હતા, પણ હવે તમે પરભુમાં છો; અજવાળાના બાળકોની જેમ છો. 9કેમ કે, જો કોય માણસ અજવાળામાં છે, તો તેઓનું આસરણ હારુ ન્યાયી અને હાસુ હોય છે અને એની ઉપર ભરોસો કરી હકાય છે. 10અને ઈ ગોતવાનો પ્રયત્ન કરો કે, શું પરભુને રાજી કરે છે. 11અને અંધારાના નકામાં કામોનાં સાથી નો બનો પણ તેઓને વખોડો. 12કેમ કે, પરમેશ્વર વગરના લોકોની ખાનગી કામોની સરસા પણ શરમજનક વાત છે.
13જઈ કોય પણ વસ્તુ ઉપર અજવાળુ સમકે છે તો દરેક જોય હકે છે કે, ઈ વસ્તુ કેવી છે કેમ કે, જઈ અજવાળુ કોય વસ્તુને પરગટ કરે છે તો ઈ વસ્તુ પોતે અજવાળુ બની જાય છે. 14ઈ કારણે એવી એક કેવત છે, હે હુતેલાઓ ઉઠી જાવ અને મરણમાંથી જીવી ઉઠો, તો મસીહ પોતાનું અજવાળુ તમારી ઉપર સમકાયશે.
15પોતાના સ્વભાવની વિષે ખાસ સાવધાન રયો. મુરખાઓની જેમ નય, પણ બુદ્ધિશાળીની જેમ જીવન જીવો. 16અને દરેક તક નો ઉપયોગ જે તમારી પાહે છે ભલાય કરવા હાટુ કરો. કેમ કે, દિવસો ખરાબ છે. 17ઈ કારણે મુરખા નો થાવ પણ ઈ જાણવાનો પ્રયત્ન કરીને બુદ્ધિશાળીની જેવા બનો કે, પરભુ તમારીથી શું કરાવવા માગે છે.
18અને દારૂ પીયને સાગઠા નો થાવ, કેમ કે, ઈ લોકોને અસભ્ય અને કાબુ વગરનો વ્યવહાર કરવાનું કારણ બને છે. એના બદલે તમે આત્માથી ભરપૂર થાવ. 19જો તમે પવિત્ર આત્માના કાબુમાં છો, તો તમે એવું કરશો કે, જઈ તમે ભેગા થાહો, તો તમે ગીતોથી, સ્ત્રોતોથી, અને આત્મિક ગીતોથી, એક-બીજાની હારે પરભુની વાતુ કરીને તમારા હૃદયમાં પરભુના ભજનો અને ગીતો ગાઓ. 20જે કાય આપડા પરભુ ઈસુ મસીહે કરયુ છે એના કારણે કાયમ આપડા પરમેશ્વર બાપની બધીય વાતુ હાટુ આભાર માનો.
ધણી અને બાયડીઓનો દાખલો
21આપડે મસીહના પ્રત્યે શ્રધ્ધા ભગતી રાખવાના કારણે એક-બીજાને આધીન રયો. 22બાયડીયું, પોતાના ધણીઓની એવી રીતે આધીન રેય જેમ તમે પરભુને આધીન રયો છો. 23કેમ કે, ધણી તો બાયડીનું માથું છે જેમ કે, મસીહ મંડળીનું માથું છે, અને ઈ પોતે દેહનો તારનાર છે. 24જેમ મંડળી મસીહને આધીન છે, એમ જ બાયડીયું પણ બધીય વાતોમાં પોતપોતાના ધણીને આધીન રેવું.
25હે ધણીઓ પોતપોતાની બાયડીયુંથી પ્રેમ રાખો, જેમ મસીહે પણ મંડળીને પ્રેમ કરીને એણે એની હાટુ પોતાનું જીવન દય દીધુ કે, 26જેથી ઈ એને વચન દ્વારા જળદીક્ષાથી સોખા કરીને પવિત્ર બનાવે. 27મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી ઈ આપડે બધાય વિશ્વાસુ લોકોનું એક એવું મહિમામય જૂથ બનાવી હકે જે એનાથી સબંધીત છે, એવા લોકો જેમાં સ્વાભાવિક દોષ નો હોય, પણ તેઓ પુરી રીતેથી પવિત્ર હોય; જઈ મંડળી આપણને પોતાની હાજરીમાં ભેગા કરે છે.
28આ રીતેથી કે, ધણી પોતપોતાની બાયડીયુંની હારે પોતાના દેહ જેવો પ્રેમ રાખે, જે પોતાની બાયડી ઉપર પ્રેમ રાખે છે, ઈ પોતાની જાતને પ્રેમ કરે છે. 29કેમ કે, કોયે કોયદી પોતાના દેહથી વેર નથી રાખ્યુ પણ એનું ભરણ-પોષણ કરે છે, મસીહ પણ મંડળીની હારે એવું જ કરે છે. 30ઈ હાટુ કે, આપડે બધાય મસીહના દેહના અંગોની બરાબર છયી.
31જેમ કે, શાસ્ત્ર કેય છે, આ કારણે માણસ માં-બાપને છોડીને પોતાની બાયડી હારે જોડાયેલો રેહે અને ઈ બેય એક દેહ થાહે. 32આ શાસ્ત્રભાગમાં મહાન રહસ્ય પરગટ કરવામાં આવ્યું છે; અને ઈ તો મસીહ અને તેઓની મંડળી વિષે છે એમ મારું કેવું છે. 33પણ ઈ તમારી ઉપર પણ લાગુ પડે છે કે, તમારામાંથી દરેક પોતાની બાયડીને પોતાની જેમ પ્રેમ કરે અને બાયડી પણ પોતાના ધણીને માન આપે.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in