અને દારૂ પીયને સાગઠા નો થાવ, કેમ કે, ઈ લોકોને અસભ્ય અને કાબુ વગરનો વ્યવહાર કરવાનું કારણ બને છે. એના બદલે તમે આત્માથી ભરપૂર થાવ. જો તમે પવિત્ર આત્માના કાબુમાં છો, તો તમે એવું કરશો કે, જઈ તમે ભેગા થાહો, તો તમે ગીતોથી, સ્ત્રોતોથી, અને આત્મિક ગીતોથી, એક-બીજાની હારે પરભુની વાતુ કરીને તમારા હૃદયમાં પરભુના ભજનો અને ગીતો ગાઓ. જે કાય આપડા પરભુ ઈસુ મસીહે કરયુ છે એના કારણે કાયમ આપડા પરમેશ્વર બાપની બધીય વાતુ હાટુ આભાર માનો.