YouVersion Logo
Search Icon

2 કરિંથીઓને પત્ર 4

4
ધૂડના ઠામમાં આત્મિક ખજાનો
1ઈ હાટુ જઈ આપડી ઉપર એવી દયા થય કે, આપડે પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરવાની સેવા મળી, તો આપણે હિંમત નથી હારતા. 2પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.
3જો આપણે હારા હમાસાર પરગટ કરી છયી અને ઈ પડદા પાછળનું હોય, તો ઈ ખાલી નાશ થનારાઓની હાટુ જ છે. 4આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય. 5કેમ કે, અમે પોતાને નય, પણ ઈસુ મસીહને પરભુ તરીકે પરગટ કરી છયી, અમે તો ઈસુ મસીહ હાટુ તમારા ચાકરો જ છયી. 6ઈ હાટુ પરમેશ્વરે કીધું કે, “અંધારામાંથી અજવાળુ સમકે,” અને અજવાળાની જેમ પરમેશ્વરે આપડા હૃદયમાં હમજણ આપી, જેથી આપણે તેઓની મહિમાને જોય હકી જે ઈસુ મસીહના મોઢા ઉપર દેખાય છે.
7અમે તો ધૂડના ઠામડાની જેમ છયી અને અમારી પાહે પણ આ આત્મા છે; જેથી બધાયથી હારું સામર્થ્ય અમારું નથી, પણ પરમેશ્વર પાહેથી મળેલું છે એમ ખુલ્લું થાય છે. 8આપડે બધીય બાજુથી મુશ્કેલીમાં હોવા છતાય દબાયેલા નથી; હેરાન થ્યા છતાય નિરાશ થયેલા નથી. 9આપડે સતાવેલા છયી, પણ છોડાયેલા નથી; નીસે પછાડેલા છયી, પણ નાશ પામેલા નથી; 10અમે સદાય ઈસુનું મરણ અમારા દેહમાં રાખી છયી, ઈ હારું કે, ઈસુનું જીવન અમારા દેહથી દેખાડી હકાય.
11કેમ કે, અમે જીવતા ઈસુની હાટુ, સદાય મરણને હોપાયેલા છયી, ઈ હાટુ કે, ઈસુનું જીવન પણ અમારા મરનારા માણસના દેહમાં પરગટ કરાય. 12એમ અમારામાં મોત કામ કરે છે, પણ તમારામાં જીવન કામ કરે છે.
13આપણામાં એવો જ વિશ્વાસ છે જેવું ગીતશાસ્ત્ર લખવાવાળામાં હતું જઈ એણે કીધું કે, આપણને પણ ઈ જ વિશ્વાસ છે, ઈ હાટુ બોલે છે.
14કેમ કે આપણે પરમેશ્વરને ઓળખીએ છયી કે, જેણે પરભુ ઈસુને મરેલામાંથી પાછા જીવતા કરયા, તેઓ આપણને પણ ઈસુના ભાગીદાર હમજીને પાછા જીવતા કરશે, અને પોતાની હામે ઉભા થાવા હાટુ અમને તમારી હારે જ્યાં પરમેશ્વર છે ન્યા લીયાયશે. 15કેમ કે, બધાય દુખ જે આપણે સહન કરયા ઈ તમારા લાભ હાટુ છે, જેથી વધારેને વધારે લોકોને ખબર પડી જાહે કે, પરમેશ્વર કેટલો કૃપાળુ છે, અને બોવ બધા લોકો એને માન અને મહિમા આપશે.
વિશ્વાસ દ્વારા જીવન
16જેથી અમે થાકી જાતા નથી; પણ જો અમારુ દેહિક જીવન ધીરે-ધીરે નાશ થાતું જાય છે, પણ અમારી અંદરનું આત્મિક જીવન દરોજ તાજું થાતું જાય છે. 17અમે આ હળવી અને થોડીક મુશ્કેલી ભોગવી છયી, પણ એની દ્વારા અમને એના કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને અનંતકાળની મહિમા પ્રાપ્ત થાહે. 18ઈ હાટુ કે, જે દેખાય છે ઈ નય, પણ જે નથી દેખાતું એની ઉપર અમે ધ્યાન રાખી છયી; કેમ કે, જે દેખાય છે ઈ ઘડીકવારનું જ છે, પણ જે નથી દેખાતું ઈ અનંતકાળનું છે.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in