YouVersion Logo
Search Icon

2 કરિંથીઓને પત્ર 3

3
નવા કરારના સેવકો
1શું આપડે ફરીથી વખાણ કરી છયી? કે કેટલાક બીજા લોકોની જેમ આપણે પણ તમારા કા તમારી પાહેથી લીધેલા ભલામણપત્રોની જરૂર છે? 2તમે પોતે જ અમારા પત્રની જેમ છો; જે બધાયની હારે પરમેશ્વર હાટુ અમારા કામોની ભલામણ કરો છો, જે આપડા હ્રદય ઉપર લખેલુ છે અને એને બધાય લોકો જાણે કે, તમે અમારી ઉપર કેટલો વિશ્વાસ કરો છો. 3આ પરગટ છે કે, તમે મસીહ તરફથી એક પત્રની જેમ છો, એણે આ પત્ર આપડા કામોની દ્વારા લખ્યું, અને આ શાહીથી કે પાણાની પાટી ઉપર નય, પણ જીવતા પરમેશ્વરનાં આત્મા દ્વારા તમારા પોતાના હ્રદય ઉપર લખવામાં આવ્યું છે.
4આપડે એવું ઈ હાટુ કેયી છયી કેમ કે, આપડે મસીહ દ્વારા પરમેશ્વર ઉપર પુરો ભરોસો છે. 5આપડે એમ નથી કેતા કે, આપડી પોતાની પાહે ગમે ઈ કરવાની લાયકાત છે. પણ આ લાયકાત પરમેશ્વર તરફથી આપણને મળી છે. 6જેણે આપણને નવા કરારના ચાકર થાવા લાયક બનાવ્યા છે, આ કરારમાં લખેલુ મુસાના નિયમ પરમાણે નથી, પણ પવિત્ર આત્મા પરમાણે છે, કેમ કે, લખેલુ છે કે, મુસાના નિયમનું પાલન નય કરવાનું પરિણામ મરણ છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.
7અને મોતની સેવા જેના લેખો પાણા ઉપર કોતરેલા હતા; ઈ જો એટલુ મહિમાવાન હતું કે, ઈઝરાયલ દેશના લોકો મુસાના મોઢા ઉપરનું તેજ જે ટળી જાય એવું હતું ઈ તેજને લીધે એના મોઢા ઉપર એક ધારૂ જોય હક્યાં નય. 8તો પછી જે આત્માની સેવા કરાવે છે એની મહિમા તો એનાથી પણ મહાન હોય.
9કેમ કે, સજાની આજ્ઞામાં માહિમમાં હતો, તો ન્યાયીપણાની સેવામાં મહિમા કેટલી વધારે છે. 10અને ઈ મહિમા જે મુસાના નિયમ દ્વારા આપ્યુ હતું, ઈ તેજ નવા કરારના તેજના લીધે નો રયું. 11કેમ કે, જે નાશ થાવાનું હતું ઈ જો મહિમાવંત હતું, તો જે સદાય હાટુ ટકી રેવાનું છે એનો મહિમા કેટલો વધારે છે.
12ઈ હાટુ આવી આશા રાખીને આપડે હિંમતથી બોલી છયી, 13અને મુસાની જેમ નય કે, જેણે ઈઝરાયલ દેશના દીકરાઓ ટળી જાનારા મહિમાનો અંત પણ જોય નય, ઈ હાટુ પોતાના મોઢા ઉપર પડદો નાખ્યો.
14પણ તેઓ મંદ બુદ્ધિના થય ગયા છે, કેમ કે આજ હુધી મુસાનો કરાર વાસતી વખતે તેઓના હ્રદયો ઉપર ઈ જ પડદો રેય છે, પણ ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ઈ પડદો હટાવી દેવામાં આવે છે. 15અને આજ હુધી જઈ કોયદી મુસાના નિયમો વાસવામાં આવે છે, તઈ તેઓના હ્રદય ઉપર પડદો રેય છે; 16જઈ પણ કોય માણસ પરભુ ઉપર વિશ્વાસ કરશે, તઈ આ પડદો આઘો થય જાહે.
17પરભુ તો આત્મા છે, અને જ્યાં ક્યાય પરભુનો આત્મા છે ન્યા સ્વતંત્રતા છે. 18પણ આપડે બધાય એક આભલાની જેમ પરમેશ્વરની મહિમાને આવા મોઢાથી દેખાડો કરી છયી જેની ઉપર પડદો નથી પડયો, તો પરમેશ્વર આપણને ધીરે-ધીરે પરભુના તેજ સ્વરૂપમાં બદલી રયા છે અને ઈ પરભુ એટલે કે પવિત્ર આત્માના કામો છે.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in