ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第12天

યર્મિયાને “રડનાર પ્રબોધક” તરીકેનું એક હુલામણું નામ આપવામાં આવ્યું હતું. તે કોઈ એક મહાન નામ નથી તોપણ તે માર્મિક તો છે જ કારણ કે તે તેના તેડાને સંપૂર્ણપણે સમર્પિત હતો અને ઘણી કાળજી અને કરૂણા સાથે તે તેને આગળ ચલાવતો હતો. તે તેના લોકોને માટે, તેઓના પાપોને માટે અને તેઓ ઈશ્વરથી વિમુખ થતા હતા તેના લીધે દુઃખી થતો હતો. જે શબ્દો તે તેના મુખમાં મૂકશે તે બોલવા માટે ઈશ્વરે તેને આદેશ આપ્યો હતો અને તેણે તે કામ ભંગીત અને દીન હૃદયે કર્યું. એકમાત્ર સાચા ઈશ્વરની આગળ સમર્પિત કરીને જે હૃદયે તેનું દુઃખ અને હૃદયભંગનો અનુભવ કર્યો હતો એવું એક પુસ્તક, યર્મિયાનો વિલાપ પણ યર્મિયાએ લખ્યું હતું.

જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમના માટે જીવે છે એવા લોકો તરીકે એ મહત્વનું છે કે આપણે વિલાપ કરવાનું શીખીએ. વિલાપ કરવું તે ફરિયાદ કરવાની બાબત નથી પણ પોતાની જાતને ખુલ્લી રીતે અને ઈમાનદારીથી તમારા સર્જનહારની આગળ દુઃખી થવાની અનુમતિ આપવાની બાબત છે. ઈશ્વરની ઉપસ્થિતિમાં પોતાની જાતને ખાલી કરી દેવાની બાબત તે છે કે જેથી તમારા માટે તેમણે જે ઈચ્છા રાખી છે તે ઘાટમાં તે તમને ઘાટ આપી શકે.

પોતાને પૂછવાનાં સવાલો:
શું મારા જીવનમાં કોઈ એક ધરબાયેલું દુઃખ છે જેના વિષયમાં હજુ સુધી કોઈ ઉકેલ શોધવામાં આવ્યો નથી ?
મારી ક્ષમતાની બહારની બાબતો શું મને પરેશાન કરી રહી છે ?
શું હું પોતાને ઈશ્વરની સુરક્ષામાં સોંપી શકું અને તેમની હાજરીમાં વિલાપ કરી શકું ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More