YouVersion Logo
Search Icon

માથ્થી 12

12
ઈસુ વિશ્રામવારના પ્રભુ છે
1એ સમયે ઈસુ સાબ્બાથે#12:1 વિશ્વામદિવસ તરીકે પણ ભાંષાતર કરવામાં આવ્યું છે, આ એક યહૂદી વિશ્વામવાર છે. અનાજના ખેતરોમાં થઈને ગયા. તેના શિષ્યો ભૂખ્યાં થયા હતા અને તેઓ ઘઉંનાં કણસલાં તોડીને ખાવા લાગ્યા. 2જયારે ફરોશીઓએ આ જોયું ત્યારે તેમણે તેમને કહ્યું, “જુઓ! તમારાં શિષ્યો વિશ્રામવારે જે નિયમની વિરુદ્ધ છે તે કરે છે.”
3તેમણે જવાબ આપ્યો, “જયારે દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યાં થયા હતા ત્યારે તેઓએ જે કર્યું હતું તે વિષે શું તમે વાંચ્યું નથી? 4તે ઈશ્વરના ઘરમાં ગયો અને તેણે અને તેના સાથીઓએ જે અર્પિત રોટલી ખાધી, જે કરવું તે તેઓને માટે નિયમની વિરુદ્ધ હતું, પણ માત્ર યાજકોને માટે જ હતી. 5અથવા શું નિયમશાસ્ત્રમાં એમ નથી વાંચ્યું કે મંદિરમાં ફરજ પરના યાજકો વિશ્રામવારને અપવિત્ર કયાઁ છતાં પણ તેઓ નિદોઁષ છે? 6હું તમને કહું કે મંદિર કરતાં અહીં એક મોટો છે. 7‘આ વચનનો અર્થ જો તમે સમજતા હોત કે.’ હું દયા ચાહુ છું બલિદાન નહિ, તો તમે નિર્દોષને દોષિત ન ઠરાવત. 8કેમકે માણસનો દીકરો વિશ્રમવારનો પણ પ્રભુ છે.”
9તેઓ ત્યાંથી જઈને, તેઓના સભાસ્થાનમાં ગયા. 10અને ત્યાં સુકાઈ ગયેલાં હાથવાળો એક માણસ હતો. ઈસુ પર આરોપ મૂકવા સારું તેઓએ તેમને પૂછયું, “વિશ્રામવારે સાજો કરવો એ શું નિયમશાસ્ત્ર પ્રમાણે યોગ્ય છે?”
11તેમણે તેમને કહ્યું, “જો તમારે કોઇને એક ઘેટું હોય અને વિશ્રામવારે સવારે તે ખાડામાં પડી જાય, તો શું તમે તેને પકડીને બહાર નહિ કાઢો? 12તો માણસ ઘેટાં કરતાં કેટલો વિશેષ મૂલ્યવાન છે! માટે નિયમ પ્રમાણે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”
13પછી તેમણે પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેથી તેણે તે લાંબો કર્યા અને બીજાના જેવો સંપૂર્ણ તે સાજો થયો. 14પણ ફરોશીઓએ બહાર જઈને કેવી રીતે ઈસુને મારી નાખવા તેનું કાવતરુંં કયુંઁ.
ઈશ્વરનો પસંદ કરેલો સેવક
15એ જાણીને, ઈસુ તે જગ્યાએથી નિકળી ગયા. મોટું ટોળું તેમની પાછળ ગયું અને જેઓ માંદા હતા તેઓને તેમણે સાજાં કર્યાં, 16તેમણે તેઓને ચેતવ્યા કે તેમના વિષે બીજાઓને ન કહે. 17આ યશાયા પ્રબોધક દ્રારા કહેવામાં આવેલું પુરું થાય:
18“અહીંયા મારો સેવક છે જેને મે પસંદ કયોઁ છે,
જેને હું પ્રેમ કરું છું, તેનામાં હું પ્રસન્ન છું.
હું મારો આત્મા તેના પર મૂકીશ
અને તે પ્રજાઓને ન્યાય પ્રગટ કરશે.
19તે ઝઘડો કરશે નહિ અને બૂમ પાડશે નહિ
અને તેની વાણી રસ્તાઓમાં કોઇ સાંભળશે નહિ.
20છૂંદેલુ બરુ તે ભાંગી નહિ નાખશે,
તે ઘૂંઆતુ શણ તે નહિ હોલવશે.
જયાં લગી ન્યાયકરણને તે જયમાં નહિ પોહચાડે;
21અને રાજયો તેના નામ પર આશા રાખશે.”
ઈસુ અને બાલઝબૂલ
22પછી તેઓ અશુધ્ધ આત્મા વળગેલા એક માણસ કે જે અંધ અને મૂંગો હતો તેને તેમની પાસે લાવ્યાં, અને ઈસુએ તેને સાજો કયોઁ, એટલે એ દેખતો અને બોલતો થઇ શકયો. 23બધા લોકો આશ્ચર્ય પામીને બોલ્યા, “શું આ દાવિદનો દીકરો હોય શકે?”
24પરંતુ જયારે ફરોશીઓએ આ સાંભળીને તેઓએ કહ્યું, “ભૂતોનો સરદાર બાલઝબૂલની મદદથી તે અશુદ્ધ આત્માને કાઢે છે.”
25ઈસુએ તેઓના વિચારો જાણીને તેઓને જવાબ આપ્યો, “કોઈ રાજ્યમાં ભાગલાં પડે, તો તે જાતેજ નાશ પામે છે. અને દરેક રાજય અથવા ઘરમાં માંહોમાંહે ફાટફૂટ થાય તો તે ટકી શકે નહિ. 26જો શેતાન શેતાનને કાઢે તો તે પોતામાં જ ફાટફૂટ પાડે તો તેનુ રાજ્ય કેવી રીતે સ્થિર રહી શકે. 27જો હું બાલઝબૂલની મદદથી અશુધ્ધ આત્માઓને કાઢતો હોઉં તો તમારાં પોતાના માણસો કોનાથી તેમને કાઢે છે? માટે તેઓ તમારાં ન્યાયાધીશ થશે. 28પરંતુ જો હું ઈશ્વરના આત્મા વડે અશુધ્ધ આત્મા કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવી ગયું છે.
29“અથવા ફરીથી, બળવાન માણસના ઘરમાં જઈને બળવાનને બાંધ્યાં સિવાય તેની સંપતિ કેવી રીતે લઇ જઈ શકે? સિવાય કે, કે તે પહેલાં બળવાન માણસને બાંધે, પછી તે તેનુ ઘર લુંટી શકે.
30“જે મારા પક્ષનો નથી, તે મારી વિરુધ્ધનો છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી, વેરી નાખે છે. 31અને તેથી હું તમને કહું છું, હરેક પ્રકારનું પાપ અને દુર્ભાષણ માફ કરવામાં આવશે: પણ પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ, 32જો કોઇ માણસના દીકરાની વિરુદ્ધ શબ્દ બોલશે તેને માફ કરાશે, પરંતુ પવિત્ર આત્માની વિરુદ્ધ બોલશે તેને તે માફ નહિ કરાશે, આ કાળમાં નહિ કે આવનાર કાળમાં પણ નહિ.
33“સારું વૃક્ષ બનાવો અને તેનાં ફળ સારા આવશે, અથવા ખરાબ વૃક્ષ બનાવો, તેને ખરાબ ફળ આવશે. કેમકે વૃક્ષ તેના ફળથી ઓળખાય છે. 34ઓ સર્પોનાં વંશજો! તમે દુષ્ટ છતાં સારી વાતો કેવી રીતે કહી શકો? કેમકે હૃદયનાં ભરપૂરીપણાંમાંથી મોઁ બોલે છે. 35સારો માણસ તેના સારા ભંડારમાંથી સારી વાતો બહાર કાઢે છે, જયારે દુષ્ટ માણસ પોતાનામાં રહેલા ખરાબ ભંડારમાંથી દુષ્ટ વાતો બહાર કાઢે છે. 36પણ હું તમને કહું છું કે: દરેકે હરેક નકામાં બોલેલા શબ્દ માટે તમારે ન્યાયના દિવસે જવાબ આપવો પડશે. 37કેમકે તારા શબ્દોથી તું ન્યાયી ઠરાવાશે અને તારા શબ્દોથી તું અન્યાયી ઠરાવાશે.”
યોનાની નિશાની
38પછી કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોએ તેમને કહ્યું, “ગુરુજી, અમને તમારી પાસેથી કોઈ નિશાની જોવી છે.”
39તેમણે જવાબ આપ્યો, “દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પરંતુ યોના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ અપાશે નહિ. 40જેમ યોના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીનાં પેટમાં રહ્યો હતો, તેમજ માણસનો દીકરો પણ ત્રણ દિવસ અને ત્રણ રાત પૃથ્વીનાં પેટાળમાં રહીશ. 41ન્યાયકાળે નિનવેહના માણસો આ પેઢી વિરુદ્ધ ઊભા થશે અને દોષિત ઠરાવશે; કેમકે તેઓએ યોનાનો ઉપદેશ સાંભળીને પસ્તાવો કયોઁ અને હવે યોના કરતાં કોઇક અહીં મોટો છે. 42દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે અને તેઓને અપરાધી ઠરાવશે; કારણ કે તે પૃથ્વીનાં છેડાથી તે સોલોમોનનાં જ્ઞાનને સાંભળવા આવી હતી, અને હવે અહીં સોલોમોન કરતાં પણ એક મોટો છે.
43“માણસમાંથી અશુધ્ધ આત્મા નીકળ્યાં પછી તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ભટકે છે, પણ તેને મળતો નથી. 44ત્યારે તે કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ.’ જયારે તે આવે છે, ત્યારે તે ઘર ખાલી, વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે. 45પછી તે જઈને પોતાના કરતાં વધારે દુષ્ટ એવા બીજા સાત આત્માઓને લાવે છે, અને તેઓ તેમાં જઈને ત્યાં રહે છે. અને તે માણસની દશા અગાઉના કરતાં વધારે કફોડી બને છે. તેવું જ આ દુષ્ટ પેઢીની સાથે થશે.”
ઈસુની માતા અને ભાઈઓ
46જયારે હજુ ઈસુ ટોળાની સાથે વાત કરતા હતા, ત્યારે તેમનાં માતા અને ભાઈઓ બહાર ઊભા હતા ને તેમની સાથે વાત કરવા રાહ જોતાં હતાં. 47કોઈએ તેમને કહ્યું, “તમારા માતા અને ભાઈઓ બહાર ઊભા છે ને તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે.”
48તેમણે તેમને જવાબ આપ્યો, “મારી માતા કોણ છે અને મારા ભાઈઓ કોણ છે?” 49પોતાના શિષ્યો તરફ આંગળી ચીંધીને તેમણે કહ્યું, “આ રહ્યાં મારી માતા અને મારા ભાઈઓ. 50જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ મારા ભાઈ, બહેન અને માતા છે.”

Currently Selected:

માથ્થી 12: GCB

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in