માથ્થી 11
11
ઈસુ અને યોહાન બાપ્તિસ્ત
1ઈસુ પોતાના બાર શિષ્યોને સૂચના આપી રહ્યા પછી, તેઓ ત્યાંથી આગળ ગાલીલના શહેરોમાં શિક્ષણ અને ઉપદેશ આપવાં માટે ગયા.
2જયારે યોહાન, કે જે જેલમાં હતો તેણે મસીહનાં કાયોઁ વિષે સાંભળ્યું. તેણે પોતાના શિષ્યોને મોકલ્યા. 3પૂછવાં માટે, “આવનાર તે તમે જ છો કે, પછી અમે બીજાની રાહ જોઈએ?”
4ઈસુએ તેઓને જવાબ આપ્યો, “તમે જે સાંભળો છો અને જુઓ છો તે વિષે યોહાન પાસે જાઓ ને જણાવો: 5આંધળા દેખતાં થાય છે, લંગડા ચાલતાં થાય છે, રકતપિતના રોગીઓ શુઘ્ઘ થાય છે, બહેરાં સાંભળતા થાય છે, અને મૂએલા સજીવન થાય છે અને દરિદ્રિને સુસમાચાર પ્રગટ કરવામાં આવે છે. 6જેઓ મારા લીધે ઠોકર ખાતાં નથી તેઓને ધન્ય છે.”
7જયારે યોહાનનાં શિષ્યો પાછા જતા હતા, ઈસુ લોકોને યોહાન વિષે કહેવા લાગ્યા, “અરણ્યમાં તમે શું જોવા ગયા? શું પવનથી હાલતાં ઘાસને? 8જો ના, તો તમે શું જોવા ગયા? શું સુંદર વસ્ત્રો પહેરેલાં માણસને? ના જેઓ સુંદર વસ્ત્રો પહેરે છે તેઓ રાજમહેલમાં છે, 9તો પછી તમે શું જોવા બહાર ગયા? શું પ્રબોધકને? હા, હું તમને કહું છું, પ્રબોધક કરતાં અધિક છે તેને. 10આ એ છે કે જેના વિષે લખવામાં આવ્યું છે:
“ ‘હું તમારી આગળ મારો સંદેશાવાહક મોકલીશ,
જે તમારી આગળ તમારો માગઁ તૈયાર કરશે.’
11હું તમને સાચે જ કહું છું કે સ્ત્રીથી જેઓ જન્મ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતા કોઈ મોટો ઉત્પન્ન થયો નથી; તોપણ સ્વર્ગના રાજ્યમાં જે નાનો છે તે તેના કરતાં પણ મોટો છે. 12યોહાને બાપ્તિસ્તનાં દિવસોથી લઈને અત્યાર સુધી સ્વર્ગનું રાજ્ય હિંસાને સોંપવામાં આવેલું હતું, અને હિંસક લોકો અધિકાર ચલાવે છે. 13કારણ કે બધા પ્રબોધકોએ અને નિયમશાસ્ત્રે યોહાન આવ્યો ત્યાં સુધી પ્રબોધ કર્યો. 14અને જો તમે માનવા ચાહો તો, એલિયા જે આવનાર છે તે એ જ છે. 15જેને સાંભળવાને કાન છે, તે સાંભળે.
16“આ પેઢીને હું કોની સાથે સરખાવું? તેઓ બજારમાં બેઠેલા છોકરાં જેવા છે જે બીજાઓને બોલાવે છે:
17“ ‘અમે તમારે સારું વાજાં વગાડ્યા,
અને તમે નાચ્યાં નહિ,
અમે શોકગીતો ગાયાં,
પણ તમે રડયાં નહિ.’
18કારણ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે, ‘તેને ભૂત વળગેલું છે.’ 19માણસનો દીકરો ખાતો પીતો આવ્યો અને તેઓ કહે છે કે, ‘એ ખાઉધરો અને દારૂ પીનારો છે; અને જકાતદારો અને પાપીઓનો મિત્ર’ પણ જ્ઞાન પોતાના કાયોઁથી સાચું સાબિત થાય છે.”
પસ્તાવો નહિ કરનાર નગરોને અફસોસ
20પછી ઈસુ તે નગરો પર દોષ મુકવાં લાગ્યા, કે જેમાં તેમના મોટાં ભાગનાં ચમત્કારો કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓએ પસ્તાવો કયોઁ નહિ. 21“ઓ ખોરાજીન! તને અફસોસ, હે બેથસૈદા તને અફસોસ! કારણ કે જે ચમત્કારો મેં તમારામાં કર્યા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો, તેમણે ટાટ તથા રાખમાં બેસીને ક્યાંરનોય પસ્તાવો કર્યા હોત! 22પણ હું તમને કહું છું કે, ન્યાયના દિવસે તમારા કરતા તૂર અને સિદોનના હાલ સહેલ થશે. 23અને ઓ, કપરનાહૂમ, શું તું આકાશમાં ઉચું કરાશે? ના, તું હાદેસ સુધી નીચું જશે, તારામાં જે અદભુત ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજ સુધી હયાત હોત. 24પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તમારા કરતા સદોમનાં હાલ સહેલ થશે.”
પિતા પુત્રમાં પ્રગટ થયા
25એ સમયે ઈસુએ કહ્યું: “ઓ પિતા, સ્વર્ગ અને પૃથ્વીનાં પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કેમકે જ્ઞાનીઓથી અને શીખેલાઓથી તમે એ વાતો ગુપ્ત રાખીને, નાના બાળકોને પ્રગટ કરી છે. 26હા પિતા, તમને એ પ્રમાણે કરવાનું પસંદ પડ્યું.”
27“મારા પિતાએ સર્વસ્વ મને સોંપ્યું છે. પિતા સિવાય પુત્રને કોઈ ઓળખતું નથી, અને પિતાને પુત્ર સિવાય કોઈ ઓળખતું નથી, અને જેને દીકરો પ્રગટ કરવા ચાહે છે, તેઓ.”
28“ઓ પરિશ્રમ કરનારાંઓ તથા ભારથી દબાયલાઓ, તમે સર્વ મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ. 29મારી ઝૂંસરી પોતા પર લો અને મારી પાસેથી શીખો કેમકે હું મનમાં દીન અને નમ્ર છું અને તમે તમારાં જીવ માટે શાંતિ પામશો. 30મારી ઝૂંસરી સહેલી છે અને મારો બોજ હલકો છે.”
Currently Selected:
માથ્થી 11: GCB
Highlight
Copy
Compare
Share
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
ગુજરાતી સમકાલીન બાઇબલ નવો કરાર
કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc.
પરવાનગીથી ઉપયોગમાં લેવાયું.
દુનિયાભરમાં તમામ અધિકારો સુરક્ષિત.
Gujarati Contemporary New Testament
Copyright ©1994, 2025 by Biblica, Inc.
Used with permission.
All rights reserved worldwide.