YouVersion Logo
Search Icon

લૂક 24

24
ઈસુનું પુનરુત્થાન
1અઠવાડિયેને પહેલે દિવસે વહેલી સવારે, સ્ત્રીઓએ તૈયાર કરેલાં સુગંધી દ્રવ્યો લઇને કબરે ગઇ. 2તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો. 3પણ જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ પ્રભુ ઈસુનું શબ જોયું નહિ. 4જયારે તેઓ આ વિશે વિચારતી હતી, એવામાં વિજળી જેવા ચળકતા વસ્ત્રો પહેરેલા બે માણસો તેઓની બાજુમાં ઊભેલા હતા. 5સ્ત્રીઓ ભયભીત થઇ ગઇ ને જમીન સુધી તેમના માથાં નમાવ્યા, “પણ તે માણસે તેમને કહ્યું, મૂએલાઓમાં તમે જીવતાંને કેમ શોધો છો? 6તેઓ અહીં નથી, તેઓ સજીવન થયા છે. જયારે તેઓ ગાલીલમાં તમારી સાથે હતા ત્યારે તેમણે તમને કહ્યું હતું તે યાદ કરો: 7‘માણસનો દીકરો પાપીઓના હાથમાં સોંપાશે, ક્રૂસે જડાવાય ને ત્રીજે દિવસે સજીવન થાય.’ ” 8ત્યારે તેઓને તેમના શબ્દો યાદ આવ્યા.
9જયારે તેઓ કબરેથી પાછી આવી ત્યારે તેઓએ આ બધુ અગિયારને તથા બીજા બધાંને તે બધી વાતો કહી સંભળાવી. 10તેઓમાં મરિયમ માગદાલેણ, યોહાન્ના, યાકોબની મા મરિયમ અને બીજી કેટલીક તેમની સાથે હતી, જેમણે પ્રેષિતોને આ કહ્યું. 11પણ તેઓએ સ્ત્રીઓનું માન્યું નહિ, કેમકે તેમની વાતો તેઓને પોકળ લાગી. 12એમ છતાં પિતર ઉઠીને કબર તરફ દોડી ગયો, નિચે વળીને તેણે શણની પટ્ટીઓ એકલી પડેલી જોઈ, જે થયું હતું તેથી તે અચરત થઇને ચાલ્યો ગયો.
એમ્મૌસના માર્ગે
13હવે તે જ દિવસે તેઓમાંના બે યરુશાલેમથી લગભગ દસ કિલોમીટર દૂર આવેલા એમ્મોસ ગામ તરફ જઈ રહ્યા હતા. 14માર્ગમાં તેઓ એકબીજા સાથે જે બધી બનેલી બાબતો સંબંધી વાતચીત કરતા હતા. 15જયારે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા એવામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા. 16પણ તેઓ તેમને ઓળખી શક્યાં નહિ.
17તેમણે તેમને પૂછયું, “તમે સાથે ચાલતાં ચાલતાં શી ચર્ચા કરો છો?”
તેઓ ઊભા રહી ગયા, તેઓના મોં ઉતરી ગયા. 18કલીઓપાસ નામનાં એક જણે, તેમને પૂછયું, “આખા યરુશાલેમની મુલાકાત કરનારામાં તું જ એક એવો લાગે છે કે જેને આ દિવસોમાં બનેલી બીનાઓની ખબર નથી!”
19તેમણે પૂંછયુ, “કઈ બીનાઓ?”
તેઓએ જવાબ આપ્યો, “નાઝરેથના ઈસુના વિશે, તેઓ ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી એક પ્રબોધક હતા. 20મુખ્ય યાજકોએ અને અમારા અધિકારીઓ તેમને પકડીને મરણદંડને માટે સોંપી દીધા, અને તેઓએ તેમને ક્રૂસે જડી દીધા. 21પણ અમે આશા રાખતા હતા કે જે ઇઝરાયેલને છુટકારો આપનાર હતો તે એ જ છે, અને તે સવઁ ઉપરાંત આ બનાવને આજે ત્રીજો દિવસ થયો છે. 22વળી અમારાંમાંની કેટલીક સ્ત્રીઓ આજે વહેલી સવારે કબરે ગઈ હતી. તેઓએ અમને આશ્ચર્ય પમાડયું. 23તેઓને તેમનું શબ મળ્યુ નહિ. ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને દૂતોનુ દશઁન થયું હતું, જેઓએ કહ્યું કે તેઓ જીવતાં હતા. 24અમારાંમાંથી કેટલાક કબરે ગયા જેમ સ્ત્રીઓએ કહ્યું હતુ તેમ તેઓએ જોયું, પણ તેઓએ ઈસુને જોયા નહિ.”
25તેમણે તેઓને કહ્યું, “તમે કેટલાં મુખઁ છો, અને પ્રબોધકોએ જે કહ્યું તે માનવામા કેટલાં ધીમાં છો! 26શું મસીહાએ પોતાના મહિમામાં પ્રવેશતાં પહેલાં આ બધું સહેવું પડશે?” 27અને મોશે અને બધા પ્રબોધકોનાં પુસ્તકોથી શરૂ કરીને બધા શાસ્ત્રમાંથી પોતાને વિશે જે કહેવામાં આવ્યું તેનો ખુલાસો કરી બતાવ્યો.
28તેઓ જે ગામમાં જતા હતા તેની નજીક આવી પહોંચ્યા, ત્યારે ઈસુ આગળ જતા હોય તેમ આગળ વધ્યા. 29પણ તેઓએ તેમને આગ્રહ કયોઁ કે, અમારી સાથે રહો કેમકે “સાંજ પડવા આવી છે, અને દિવસ નમવા આવ્યો છે. ખૂબ મોડું થઈ ગયું છે” તેથી તેઓ તેમની સાથે ગયા.
30જયારે તેઓ તેમની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લીધી આભાર માન્યો, તે ભાંગી અને તેઓને આપી. 31ત્યારે તેઓની આંખો ઊઘડી ગઈ અને તેઓએ તેમને ઓળખ્યા, પણ તેઓ તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયા. 32તેઓ એકબીજાને પૂછવાં લાગ્યા કે, “જયારે તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા ને શાસ્ત્ર ખોલીને સમજાવતા હતા ત્યારે શું આપણા હૃદય કેવાં અદભુત ઉષ્મા અનુભવતા હતાં!”
33એ જ સમયે તેઓ ઊઠીને યરુશાલેમ પાછા વળ્યા. ત્યાં તેમણે અગિયારને તથા તેઓની સાથેનાઓને એકઠાં થયેલા જોયા, 34અને કહેતા કે, “તે સાચું છે! પ્રભુ, ખરેખર ઊઠયાં છે! અને સિમોનને દર્શન દીધું છે.” 35ત્યારે બે એ રસ્તામાં શું બન્યું, અને રોટલી ભાંગતા ઈસુ તેમનાથી કેવી રીતે ઓળખાયા હતાં તે કહી બતાવ્યું.
શિષ્યોને ઈસુનું દર્શન
36એ વાતો તેઓ કરતા હતા, એટલામાં જ ઈસુ પોતે તેઓની મધ્યે ઊભા રહ્યા અને કહ્યું, “તમને શાંતિ થાઓ.”
37તેઓ ચોંકીને ભયભીત થઇને, ધાયુઁ કે તેઓએ આત્મા જોયો. 38તેમણે તેઓને કહ્યું, “તમે શા માટે ગભરાઓ છો? અને તમારા મનમાં શંકા કેમ લાવો છો? 39મારા હાથને મારા પગ જુઓ હું તે પોતે છું! મને સ્પર્શ કરો ને જુઓ; આત્માને માંસ તથા હાંડકા હોતા નથી, તમે જોઈ શકો છો કે તે મને છે.”
40એમ કહ્યાં પછી તેમણે તેઓને પોતાના હાથ અને પગ બતાવ્યાં. 41અને તેઓ હજુ પણ આનંદ અને આશ્ચચઁને લિધે માનતા ન હતાં, તેમણે તેઓને પૂછયું, “તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે?” 42તેઓએ તેમને શેકેલી માછલીનો એક ટુકડો આપ્યો. 43તે લઇને તેમણે તેઓની હાજરીમાં ખાધો.
44તેમણે તેઓને કહ્યું, “જયારે હું તમારી સાથે હતો ત્યારે મેં તમને આ જ કહ્યું હતું: મોશે અને અન્ય પ્રબોધકોનાં લખાણોમાં તેમજ ગીતશાસ્ત્રમાં મારા વિશે જે લખ્યું છે તે બધું જ પુરું થવું જોઈએ.”
45પછી શાસ્ત્રવચનો સમજવા તેમણે તેઓનાં મન ખોલ્યાં 46તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે: મસીહા દુઃખ સહન કરશે અને ત્રીજે દિવસે મૂએલામાથી સજીવન થશે, 47અને યરુશાલેમથી માંડીને જગતમાં સર્વ પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો અને પાપની માફી પ્રગટ કરાશે. 48અને તમે તેના સાક્ષી છો. 49હું મારા પિતાનુ વચન તમારાં પર મોકલું છું; તે પ્રમાણે પવિત્ર આત્માને હું તમારાં પર મોકલી આપીશ, પણ ઉપરના સામર્થ્યથી ભરપૂર થાવ ત્યાં સુધી તમે શહેરમાં જ રહેજો.”
ઈસુનું સ્વર્ગારોહણ
50પછી તેઓ તેમને બેથાનિયા ની નજીક લઇ ગયા, તેમણે પોતાના હાથ ઊંચા કરીને તેઓને આશીર્વાદ આપ્યો. 51જયારે તેઓને આશીર્વાદ આપતાં હતાં, ત્યારે તેમણે તેઓને મૂકી દીધા અને આકાશમાં લઇ લેવામાં આવ્યા. 52તેઓએ તેમનું ભજન કર્યું અને આનંદ કરતા યરુશાલેમ પાછા ગયા. 53તેઓ નિત્ય મંદિરમાં ઈશ્વરની સ્તુતિ કરતા રહ્યા.

Currently Selected:

લૂક 24: OGCB

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in