YouVersion Logo
Search Icon

1 કરિંથીઓને પત્ર 2

2
વધસ્થંભે સડાવેલા મસીહ વિષેનો સંદેશો
1મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી ન્યા નો તો વાતોની સાલાકીનો ઉપયોગ કરવા આવ્યો, અને નો તો ઉતમ જ્ઞાન બતાવવા આવ્યો, પણ હું તમારી ન્યા પરમેશ્વરનાં ભેદને પરગટ કરવા હાટુ આવ્યો હતો. 2મેં પાકુ કરયુ હતું કે, હું ખાલી ઈસુ મસીહ અને વધસ્થંભ ઉપરનાં મોત વિષે કવ છું.
3ખરેખર હું તમારા લોકોની વસે રેતી વખતે નબળાય, ભયમાં અને બીય ગયેલો હતો. 4મારૂ શિક્ષણ અને મારો પરચાર માણસના જ્ઞાનની મીઠી મીઠી વાતોથી નોતું. પણ પવિત્ર આત્માએ તમને એક સામર્થ્યના પરમાણે દેખાડો કરયો કે, જે સંદેશો મે તમને બતાવ્યો ઈ હાસુ હતું. 5જેથી કે, તમારો વિશ્વાસ માણસોના જ્ઞાન ઉપર નથી, પણ પરમેશ્વરનાં સામર્થ્ય ઉપર નભેલો હોય.
પરમેશ્વરનું જ્ઞાન
6જઈ હું પુરી રીતે વિશ્વાસીઓની વસે હોવ છું તઈ હું જ્ઞાની શબ્દોની હારે બોલું છું. પણ આ માણસનું જ્ઞાન અને આ જગતના અધિકારીઓનું જ્ઞાન નથી, જેનો નાશ થાવાનો છે. 7પણ જે જ્ઞાનની આપણને વાત કરે છે, ઈ જ્ઞાન પરમેશ્વરનું જ્ઞાન છે જે હતાડેલું હતું. હજી હુધી કોય પણ આ હમજતો નોતો. એનાથી પેલા કે, પરમેશ્વરે પૃથ્વી બનાવી, એણે પેલાથી જ નિર્ણય કરી લીધો હતો કે, એનું જ્ઞાન આપણને મહિમા આપશે.
8જેણે આ જગતના અધિકારીઓમાંથી કોયે નથી જાણયું કેમ કે, જો જાણતા હોત તો મહિમાવાન પરભુને વધસ્થંભ ઉપર નો સડાવત. 9પવિત્ર આત્માનો આજ અરથ છે જઈ તેઓ કેય છે, નો કોયે કોયદી જોયું છે, અને નો કોયદી કોયે હાંભળ્યું છે, અને નો કોયદી કોયે ઈ ભલી વસ્તુઓના વિષે હમજયો છે, જે પરમેશ્વરે ઈ લોકોની હાટુ તૈયાર કરી છે જે એને પ્રેમ કરે છે.
10પરમેશ્વરે પોતાની આત્મા દ્વારા તેઓને આપડી ઉપર પરગટ કરયા છે કેમ કે, આત્મા બધુય ગોતે છે, ન્યા હુધી કે, પરમેશ્વરની ગંભીર વાતો હોતન ગોતે છે. 11પોતે એક માણસને છોડીને અને કોય પણ નથી જાણી હકતા કે, ઈ ખરેખર શું વિસારે છે, અને પરમેશ્વર સિવાય આત્માને અને કોય પણ પરમેશ્વરનાં વિસારોને નથી જાણી હક્તા.
12પણ આપડે જગતનો આત્મા નય, પણ જે આત્મા પરમેશ્વરની કૃપાથી છે ઈ પામ્યા છયી; જેથી પરમેશ્વરે આપણને જે બાબતો આપી છે ઈ અમે જાણી છયી. 13અને ઈ હાટુ આપડે આ વાતોને બીજા લોકોને બતાવે છે. પણ પવિત્ર આત્માની શીખવાડેલી વાતોમાં, પવિત્ર આત્મા, આત્મિક જ્ઞાનથી આત્મિક શબ્દોમાં કરે છે.
14પણ અવિશ્વાસી માણસ પરમેશ્વરનાં આત્માને અપનાવતો નથી કેમ કે, તેઓ એની નજરમાં મુરખતાની વાતો છે કેમ કે, એક શિક્ષણ ઈ હાટુ સંસારનો માણસ પોતાના મૂલ્યોને તઈ જ ગોતી હકે છે જઈ એમા પરમેશ્વરની આત્મા રેય છે. 15તેઓ લોકો જેઓએ પવિત્ર આત્મા પામી છે તેઓ ઈ બધી વસ્તુઓને હમજી હકે છે જે પવિત્ર આત્મા શીખવાડે છે. પણ જે લોકોની પાહે પવિત્ર આત્મા નથી તેઓ લોકોના વિસારોને હંમજી હકતા નથી જેની પાહે પવિત્ર આત્મા છે.
16આ હાસુ છે કેમ કે, જેવું આગમભાખીયાઓએ શાસ્ત્રમાં લખ્યું છે કે, “કોય પણ ઈ નથી જાણી હકતા કે, પરભુના મનમાં શું છે. કોય પરમેશ્વરને શિક્ષણ આપી હકતું નથી.” પણ આપડે વિશ્વાસી હમજી છયી કે, મસીહના મનમાં શું છે.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in