YouVersion Logo
Search Icon

તિતસને પત્ર પ્રસ્તાવના

પ્રસ્તાવના
તિતસ બિનયહૂદીઓમાંથી થયેલો ખ્રિસ્તી હતો, અને પાઉલની સુવાર્તિક સેવામાં સાથી સેવક અને મદદનીશ બન્યો. ‘તિતસને પાઉલ પ્રેષિતનો પત્ર’ સંત પાઉલે એના જુવાન મદદનીશ તિતસને ક્રીત ટાપુ પર લખ્યો હતો, કારણ કે ત્યાંની મંડળીને સાચવવા પાઉલે તેને ત્યાં રહેવા દીધો હતો. આ પત્રમાં ત્રણ મુખ્ય બાબતો સમાયેલી છે.
પ્રથમ, મંડળીના આગેવાનોનાં ચારિય અને જીવન કેવા પ્રકારનાં હોવાં જોઈએ તે દર્શાવ્યું છે, કેમ કે ક્રીતવાસીઓનાં જીવન ભ્રષ્ટ હતાં (૧:૧૨). બીજું, મંડળીનાં જુદાં જુદાં જૂથો - જેવા કે વૃદ્ધ પુરુષો, વૃદ્ધ સ્ત્રીઓ- જેઓએ બદલામાં જુવાન સ્ત્રીઓને શીખવવાનું છે, યુવાનો, અને ગુલામો એ બધાં જૂથોને કેવી રીતે શીખવવું તે બતાવ્યું; અને આખરે, ખ્રિસ્તીઓની વર્તણૂક કેવી હોવી જોઈએ તે વિષે પાઉલ તિતસને જણાવે છે. ખ્રિસ્તી લોકો શાંતિચાહક, મૈત્રીભાવવાળા તેમ જ ઈર્ષા-અદેખાઈ, વાદવિવાદ અને મંડળીમાં પક્ષાપક્ષી ટાળનારા હોવા જોઈએ.
રૂપરેખા:
પ્રસ્તાવના ૧:૧-૪
મંડળીના આગેવાનો ૧:૫-૧૬
મંડળીનાં જુદાં જુદાં જૂથોની જવાબદારી ૨:૧-૧૫
બોધ અને ચેતવણી ૩:૧-૧૧
ઉપસંહાર ૩:૧૨-૧૫

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy