YouVersion Logo
Search Icon

ગલાતીઓને પત્ર પ્રસ્તાવના

પ્રસ્તાવના
પાઉલે શુભસંદેશપ્રચારની પોતાની પ્રથમ મુસાફરી વખતે રોમન સામ્રાજ્યના ગલાતિયા પ્રાંતના રહેવાસીઓને શુભસંદેશ પ્રગટ કર્યો હતો. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની કૃપાને આશરે માણસ ઈશ્વર આગળ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે. એ જ એ શુભસંદેશ હતો. પણ પાછળથી ત્યાં ગલાતિયા પ્રાંતની મંડળીઓમાં યહૂદીઓમાંથી વિશ્વાસી થયેલાઓનું જૂથ પહોંચ્યું અને તેઓ વિશ્વાસની સાથે સાથે મોશેના નિયમ પ્રત્યેની આધીનતા પણ જરૂરી છે એવું શિક્ષણ આપવા લાગ્યા.
આમ ખોટા શિક્ષણથી દોરવાઈ ગયેલા ગલાતીઆના વિશ્વાસીને સાચા શિક્ષણ અને આચરણમાં પાછા વાળી લાવવાના હેતુસર આ પત્ર લખ્યો છે. તે નિયમાધીનતાના વલણનો વિરોધ કરે છે અને નિયમ કરતાં કૃપા ચડિયાતી છે અને નિયમાધીનતા કે સ્વચ્છંદતા કરતાં સ્વતંત્રતાનું જીવન ચડિયાતું છે એ વાત પર તે ભાર મૂકે છે.
પાઉલને ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રેષિત થવાનું આમંત્રણ મળ્યું છે એમ દર્શાવી પત્રની શરૂઆતમાં જ તે પોતાના પ્રેષિતપદનું સમર્થન કરે છે. પાઉલ ભાર દઈને કહે છે કે પોતે કોઈ માણસથી નિમાયેલો નથી, પણ ખુદ ઈશ્વરે જ એને પ્રેષિત બનાવ્યો છે, અને એનું સેવાક્ષેત્ર ખાસ કરીને બિનયહૂદીઓમાં છે. એ પછી દલીલો પર દલીલો રજૂ કરીને તે આ વિચારધારાને આગળ ધપાવે છે કે માત્ર વિશ્વાસ દ્વારા જ માણસ ઈશ્વરની આગળ સીધી વ્યક્તિ તરીકે સ્વીકાર્ય બને છે. ખ્રિસ્ત પરના વિશ્વાસમાંથી ઉદ્ભવતા પ્રેમમાંથી જ સ્વાભાવિક કે કુદરતી રીતે ખ્રિસ્તી આચરણો વહી નીકળે છે એ મુદ્દાને તે આખરી અયાયોમાં બતાવે છે.
રૂપરેખા
પ્રસ્તાવના ૧:૧-૧૦
પ્રેષિત તરીકે પાઉલનો અધિકાર ૧:૧૧—૨:૨૧
ઈશ્વરની કૃપાનો શુભસંદેશ ૩:૧—૪:૩૧
ખ્રિસ્તી સ્વતંત્રતા તેમ જ જવાબદારી ૫:૧—૬:૧૦
ઉપસંહાર કે વિદાયવચનો ૬:૧૧-૧૮

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy