પિતરનો પહેલો પત્ર પ્રસ્તાવના
પ્રસ્તાવના
પિતરનો પહેલો પત્ર આખા એશિયા માઈનરમાં વિખેરાઈ ગયેલા ખ્રિસ્તીઓ ઉપર લખવામાં આવ્યો હતો. આ બધા ખ્રિસ્તીઓને પત્રમાં “પસંદ કરવામાં આવેલાં” કહેવામાં આવ્યા છે. પત્ર લખવાનું મુખ્ય પ્રયોજન એ હતું કે આ બધા વિખેરાઈ ગયેલા ખ્રિસ્તીઓ જેઓ પર પુષ્કળ સતાવણી, અને તેઓના વિશ્વાસને કારણે ઘણાં દુ:ખો આવી પડયાં હતાં તેઓ પ્રેરણા પામે અને ઉત્સાહી બને. લેખક પોતાના વાચકોને ઈસુ ખ્રિસ્તની સુવાર્તા વિષે તેમ જ તેમના મૃત્યુ, પુનરુત્થાન, અને પાછા આવવાના તેમના વચન વિષે યાદ દેવડાવીને તે બધાં દ્વારા જે મોટી આશા પ્રાપ્ત થાય છે તે દ્વારા ઉત્તેજન પમાડે છે. આ બધાનાં પ્રકાશમાં તેઓએ પોતાનાં દુ:ખો સ્વીકારી લેવાં અને સહન કરવાં, અને જાણવું કે એ બધાં તો માત્ર તેમના જીવંત વિશ્વાસની ક્સોટી છે, અને પ્રભુ ઈસુના પ્રગટ થવાને સમયે તેઓને મોટો બદલો મળનાર છે.
ખ્રિસ્તીઓના દુ:ખના સમયે તેમને હિંમત આપવા ઉપરાંત, લેખકે તેઓને ખ્રિસ્તના લોકો તરીકે જીવવા તથા વર્તવા વિનંતી કરી છે.
રૂપરેખા:
પ્રસ્તાવના ૧:૧-૨
ઈશ્વરની ઉદ્ધારની યોજના સંબંધી યાદ દેવડાવવું ૧:૩-૧૨
પવિત્ર જીવન જીવવા શિખામણ ૧:૧૩—૨:૧૦
દુ:ખ અને સતાવણીમાં ખ્રિસ્તી વ્યક્તિની જવાબદારી ૨:૧૧—૪:૧૯
ખ્રિસ્તી નમ્રતા અને સેવા ૫:૧-૧૧
ઉપસંહાર ૫:૧૨-૧૪
Currently Selected:
પિતરનો પહેલો પત્ર પ્રસ્તાવના: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide