YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર પ્રસ્તાવના

પ્રસ્તાવના
યોહાનના પહેલા પત્રના બે હેતુ છે: પત્રના વાંચનારાઓ ઈશ્વરની અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સંગતમાં રહે એ માટે તેમને ઉત્તેજન આપવાનો; અને આ સંગતને છિન્‍નભિન્‍ન કરી નાખનાર જૂઠા શિક્ષણની પાછળ ન ચાલવા બાબતે તેમને ચેતવણી આપવાનો. આ જૂઠા શિક્ષણની પાયાની માન્યતા એ હતી કે ભૌતિક દુનિયાના સંપર્કમાં આવવાથી જ ભૂંડાઈ ઉદ્ભવે છે, અને એટલે જ ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત ખરેખરા મનુષ્ય હોઈ શકે જ નહિ. આ જૂઠા શિક્ષકોનું શિક્ષણ હતું કે આ દુનિયાના જીવનની સર્વ જરૂરિયાતો અને સંબંધોથી પર રહેવું એ જ ખરેખરો ઉદ્ધાર છે. વળી, તેઓ એવું પણ શીખવતા હતા કે નીતિ-અનીતિ સાથે કે ભાઈઓ પર પ્રેમ રાખવા કે ન રાખવા સાથે ઉદ્ધારને કોઈ નિસ્બત નથી.
આવા શિક્ષણની વિરુદ્ધમાં યોહાન આ પત્રમાં બહુ સ્પષ્ટપણે શીખવે છે કે પ્રભુ ઈસુ ખરેખરી રીતે માનવી બન્યા હતા; અને યોહાન આ વાત પર ભાર મૂકે છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને ઈશ્વર પર પ્રેમ કરે છે તેઓ સૌએ એકબીજા પર પણ પ્રેમ રાખવો જોઈએ.
રૂપરેખા:
પ્રસ્તાવના ૧:૧-૪
પ્રકાશ અને અંધકાર ૧:૫—૨:૨૯
ઈશ્વરનાં સંતાનો અને શેતાનનાં સંતાનો ૩:૧-૨૪
સત્ય અને જૂઠાણું ૪:૧-૬
પ્રેમની ફરજ ૪:૭-૨૧
વિજયવંત વિશ્વાસ ૫:૧-૨૧

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy