YouVersion Logo
Search Icon

નીતિવચનો 15

15
1નમ્ર ઉત્તર ક્રોધને શાંત
કરી દે છે;
પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;
2જ્ઞાનીની જીભ ખરી સમજ ઊચરે છે;
પણ મૂર્ખો પોતાને મુખે
મૂર્ખાઈને વહેતી મૂકે છે.
3યહોવાની દષ્ટિ સર્વ સ્થળે છે,
તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.
4નિર્મળ જીભ જીવનનું ઝાડ છે;
પણ તેની કુટિલતા
મનને ભાંગી નાખે છે.
5મૂર્ખ પોતાના પિતાની શિખામણને
તુચ્છ ગણે છે;
પણ ઠપકાને લક્ષમાં લેનાર
શાણો થાય છે.
6નેકીવાનના ઘરમાં ધનનો ભંડાર છે;
પણ દુષ્ટની પેદાશમાં સંકટ છે.
7જ્ઞાનીના હોઠો જ્ઞાનનો ફેલાવ કરે છે;
પણ મૂર્ખનું હ્રદય એમ કરતું નથી.
8દુષ્ટના યજ્ઞાર્પણથી
યહોવાને કંટાળો આવે છે;
પણ પ્રામાણિકની પ્રાર્થનાથી
તેમને આનંદ થાય છે.
9દુષ્ટના માર્ગથી યહોવા કંટાળે છે;
પણ નેકીને અનુસરનાર પર
તે પ્રેમ કરે છે.
10માર્ગ તજનારને ભારે શિક્ષા થશે;
અને ઠપકાને ધિક્કારનાર માર્યો જશે.
11શેઓલ તથા અબદોન [વિનાશ]
યહોવાની આગળ [ખુલ્લાં] છે;
તો માણસોનાં હ્રદય કેટલાં વિશેષ
[ખુલ્‍લાં હોવાં જોઈએ] !
12તિરસ્કાર કરનાર ઠપકો ખમવા
ચાહતો નથી;
તે જ્ઞાનીની પાસે પણ જવા
ઇચ્છતો નથી;
13અંત:કરણનો આનંદ ચહેરાને
પ્રફુલ્લિત કરે છે;
પણ હ્રદયના ખેદથી
મન ભાંગી જાય છે.
14બુદ્ધિમાનનું અંત:કરણ ડહાપણ
શોધે છે;
પણ મૂર્ખોનું મુખ મૂર્ખાઈનો
આહાર કરે છે.
15વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે;
પણ ખુશ અંત:કરણવાળાને
સદા મિજબાની છે.
16ઘણું ધન હોય પણ તે સાથે સંકટ હોય,
તેના કરતાં, થોડું [ધન] હોય પણ
તે સાથે યહોવાનું ભય હોય,
તો તે ઉત્તમ છે.
17વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં
પ્રેમી જનને ત્યાં ભાજીનું
[ભોજન] ઉત્તમ છે.
18ક્રોધી માણસ ઝઘડો ઊભો કરે છે;
પણ રીસ કરવે ધીમો માણસ
કજિયો સમાવી દે છે.
19આળસુનો માર્ગ કાંટાની વાડ જેવો છે;
પણ પ્રામાણિકનો પંથ સડક
જેવો [સરળ] છે.
20ડાહ્યો દીકરો પોતાના પિતાને
સુખી કરે છે;
પણ મૂર્ખ માણસ પોતાની માને
તુચ્છ ગણે છે.
21અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે;
પણ બુદ્ધિમાન માણસ
પોતાની વર્તણૂક સીધી રાખે છે.
22સલાહ [લીધા] વગરના
ઇરાદા રદ જાય છે;
પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો
તેઓ પાર પડે છે.
23પોતાને મુખે આપેલા [યોગ્ય] ઉત્તરથી
માણસને આનંદ થાય છે;
અને વખતસર [બોલેલો] શબ્દ કેવો
સારો છે!
24જ્ઞાનીને તેનો માર્ગ ઊંચો ચઢીને
જીવનમાં પહોંચાડે છે,
તે નીચેના શેઓલથી દૂર જાય છે.
25યહોવા અભિમાનીનું ઘર સમૂળગું
ઉખેડી નાખશે;
પણ વિધવાની હદ તે કાયમ રાખશે.
26દુષ્ટની યોજનાઓથી યહોવા કંટાળે છે;
પણ પવિત્રોના બોલ તેને
સુખદાયક છે.
27દ્રવ્યલોભી પોતાના જ કુટુંબને
હેરાન કરે છે;
પણ લાંચને ધિક્કારનાર
આબાદ થશે.
28સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે;
પણ દુષ્ટ પોતાને મુખે ભૂંડી
વાતો વહેતી મૂકે છે.
29યહોવા દુષ્ટથી દૂર છે;
પણ તે સદાચારીની
પ્રાર્થના સાંભળે છે.
30આંખોના અજવાળાથી અંત:કરણને
આનંદ થાય છે;
અને સારા સમાચાર હાડકાંને
પુષ્ટ કરે છે.
31જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર
જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે.
32શિખામણનો ત્યાગ કરનાર પોતે
પોતાના જ આત્માને તુચ્છ ગણે છે;
પણ ઠપકાને ગણકારનાર બુદ્ધિ
પ્રાપ્ત કરે છે.
33યહોવાનું ભય જ્ઞાનનું શિક્ષણ છે;
પહેલી દીનતા છે ને પછી માન છે.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 15