YouVersion Logo
Search Icon

યશાયા 26

26
પ્રભુ પોતાના લોકોને વિજય પમાડશે
1તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે:
અમારું એક મજબૂત નગર છે;
તેના કોટ તથા મોરચા [ઈશ્વર]
તારણને અર્થે ઠરાવી આપશે.
2દરવાજાઓને ઉઘાડો કે, સત્યનું પાલન
કરનારી ન્યાયી પ્રજા તેમાં પેસે.
3દઢ મનવાળાને તમે શાંત જ રાખશો;
કેમ કે તેનો ભરોસો તમારા પર છે.
4યહોવા પર સદા ભરોસો રાખો;
કેમ કે યહોવા ઈશ્વર સનાતન ખડક છે.
5કેમ કે તેમણે ઉચ્ચસ્થાનમાં
રહેનારાઓને ને ગર્વિષ્ઠ નગરને
નીચાં નમાવ્યાં છે;
તે તેને પાડી નાખે છે,
પાડી નાખીને તેને જમીનદોસ્ત કરે છે;
તે તેને ધૂળભેગું કરે છે.
6પગથી તે ખૂંદાશે; હા, દીનોના પગથી,
અને કંગાલોના પગથી [તે ખૂંદાશે].
7ન્યાયીનો માર્ગ સીધો છે; તમે ન્યાયીનો
રસ્તો સરળ કરી બતાવો છે.
8હે યહોવા, અમે તમારાં ન્યાયશાસનોને
માર્ગે [ચાલીને] તમારી રાહ જોતા
આવ્યા છીએ;
અમારા જીવને તમારા નામની તથા
તમારા સ્મરણની આતુરતા છે.
9રાત્રે હું તમારે માટે આતુર
બની રહ્યો છું;
મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક
હું તમને શોધીશ.
પૃથ્વી પર તમારાં ન્યાયશાસનો હોય,
ત્યારે જગતના રહેવાસીઓ
ધાર્મિકપણું શીખે.
10દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે,
તો પણ તે ધાર્મિકપણું નહિ શીખે;
પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરશે,
ને યહોવાના મહાત્મ્યને જોશે નહિ.
11હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે,
તોપણ તેઓ જોતાં નથી;
પરંતુ તેઓ [તમારા] લોકો વિષે
તમારી આતુરતા જોઈને શરમાશે;
# હિબ. ૧૦:૨૭. તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે
તે તેઓને નષ્ટ કરશે.
12હે યહોવા, તમે અમને શાંતિ આપશે;
કેમ કે અમારાં સર્વ કામ પણ
તમે અમારે માટે કર્યાં છે.
13હે યહોવા અમારા ઈશ્વર,
તમારા સિવાય બીજા ધણીઓએ
અમારા પર અધિકાર ચલાવ્યો;
[પરંતુ] ફકત તમારી સહાયથી અમે
તમારા નામનું સ્મરણ કરીશું.
14મરેલા જીવશે નહિ; મૃત્યુ પામેલાઓ
પાછા ઊઠશે નહિ;
તે જ માટે તમે તેમનો ન્યાય કરીને
તેમનો નાશ કર્યો છે,
ને તેઓની સર્વ યાદગીરી
નષ્ટ કરી છે.
15તમે દેશની પ્રજા વધારી છે, હે યહોવા,
તમે પ્રજા વધારી છે;
તમે તમારો મહિમા પ્રગટ કર્યો છે;
દેશની સીમાઓ તમે વિસ્તારી છે.
16હે યહોવા, સંકટસમયે તેઓ તમારી
તરફ ફર્યા છે,
તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે
તેઓએ [તમારી] પ્રાર્થના કરી છે.
17જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય
પાસે આવે,
ત્યારે કષ્ટાઈને વેદનામાં બૂમ પાડે છે;
તે પ્રમાણે, હે યહોવા, અમે તમારી દષ્ટિ
સમક્ષ હતા.
18અમે ગર્ભ ધર્યો હતો, અમે કષ્ટાતા હતા,
અમે જાણે વાયુને જન્મ આપ્યો છે;
દેશનું તારણ અમારાથી થયું નથી;
અને જગવાસીઓ પડયા નથી.
19તમારાં મરેલાં જીવશે;
તેમનાં શરીરો ઊઠશે.
હે ધૂળમાં રહેનારા,
તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો;
કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે,
ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.
શિક્ષા અને ઉદ્ધાર
20ચાલ, મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં પેસ, ને પોતે અંદર રહીને બારણાં બંધ કર; કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે. 21કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને શાસન આપવા માટે, યહોવા પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મરેલાંને ઢાંકી દેશે નહિ.

Currently Selected:

યશાયા 26: GUJOVBSI

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in