YouVersion Logo
Search Icon

નિર્ગમન 20

20
દશ આજ્ઞાઓ
1અને ઇશ્વરે આ સર્વ વચનો બોલતાં કહ્યું, 2“મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, તને કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું.
3મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય.
4 # નિ. ૩૪:૧૭; લે. ૧૯:૪; ૨૬:૧; પુન. ૪:૧૫-૧૮; ૨૭:૧૫. તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર. 5તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ #નિ. ૩૪:૬-૭; ગણ. ૧૪:૧૮; પુન. ૭:૯-૧૦. મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર, 6ને મારા પર જેઓ પ્રેમ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર છું.
7 # લે. ૧૯:૧૨. તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ.
8 # નિ. ૧૬:૨૩-૩૦; ૩૧:૧૨-૧૪. સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ. 9#નિ. ૨૩:૧૨; ૩૧:૧૫; ૩૪:૨૧; ૩૫:૨; લે. ૨૩:૩.છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર; 10પણ સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે; તેમાં તું કંઇ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારાં ઢોર કે તારા ઘરમાંનો પરદેશી; 11કેમ કે #ઉત. ૨:૧-૩; નિ. ૩૧:૧૭. છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્‍ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો.
12 # પુન. ૨૭:૧૬; માથ. ૧૫:૪; ૧૯:૧૯; માર્ક ૭:૧૦; ૧૦:૧૯; લૂ. ૧૮:૨૦; એફે. ૬:૨. તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ #એફે. ૬:૩. કે, તારા ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.
13 # ઉત. ૯:૬; લે. ૨૪:૧૭; માથ. ૫:૨૧; ૧૯:૧૮; માર્ક ૧૦:૧૯; લૂ. ૧૮:૨૦; રોમ. ૧૩:૯; યાકૂ. ૨:૧૧. તું ખૂન ન કર.
14 # લે. ૨૦:૧૦; માથ. ૫:૨૭; ૧૯:૧૮; માર્ક ૧૦:૧૯; લૂ. ૧૮:૨૦; રોમ. ૧૩:૯; યાકૂ. ૨:૧૧. તું વ્યભિચાર ન કર.
15 # લે. ૧૯:૧૧; માથ. ૧૯:૧૮; માર્ક ૧૦:૧૯; લૂ. ૧૮:૨૦; રોમ. ૧૩:૯. તું ચોરી ન કર.
16 # નિ. ૨૩:૧; માથ. ૧૯:૧૮; માર્ક ૧૦:૧૯; લૂ. ૧૮:૨૦. તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.
17 # રોમ. ૭:૭; ૧૩:૯. તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની પત્ની, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઇ હોય તે પર તું લોભ ન રાખ.”
લોકોમાં ભય વ્યાપ્યો
(પુન. ૫:૨૨-૩૩)
18અને #(આખો વિભાગ): હિબ. ૧૨:૧૮-૧૯. સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણશિગંડાનો અવાજ તથા ધુમાતો પર્વત જોયાં; અને તે જોઈને લોકોને ધ્રજારી છૂટી, ને તેઓ દૂર ઊભા રહ્યા. 19અને તેઓએ મૂસાને કહ્યું, “તું અમારી સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર અમારી સાથે ન બોલે રખેને અમે માર્યા જઈએ.” 20અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ; કેમ કે ઈશ્વર એ માટે આવ્યા છે કે તે તમારી પરીક્ષા કરે, ને તેમનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો, ” 21અને લોકો આઘા ઊભા રહ્યા, ને જે ઘોર અંધકારમાં ઈશ્વર હતા તેમની પાસે મૂસા ગયો.
વેદીઓ બનાવવા સંબંધી નિયમો
22અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોને એમ કહે કેમ ‘તમે પોતે જોયું છે કે મેં આકાશમાંથી તમારી સાથે વાત કરી છે. 23મારી આગળ તમારે કોઈ [અન્ય દેવો] કરવા નહિ. તમારે પોતાને માટે રૂપાના કે સોનાના દેવો બનાવવા નહિ. 24મારે માટે તારે માટીની વેદી બનાવીને તે પર તારાં દહનીયાર્પણ તથા તરાં શાંત્યર્પણ અને તારાં ઘેટાં તથા તારા બળદો ચઢાવવાં; અને જે સર્વ જગ્યાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તારી પાસે આવીશ ને તને આશીર્વાદ આપીશ. 25અને જો તું મારે માટે પથ્થરની વેદી બાંધે, તો #પુન. ૨૭:૫-૭; યહો. ૮:૩૧. તારે તે ઘડેલા પથ્થરની બાંધવી નહિ; કેમ કે જો તું તે પર તારું હથિયાર વાપરે, તો તેં તેને અશુદ્ધ કરી જાણજે. 26તેમ જ તારે મારી વેદી ઉપર સીડીથી ન ચઢવું, રખેને તે ઉપર તારી નગ્નતા દેખાય’

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in