8
ઈસુ રકતપિતના માણસને સાજો કરે છે
1જયારે ઈસુ પહાડ પરથી નીચે ઊતર્યા, મોટો સમુદાય તેમની પાછળ ગયો. 2રકતપિતવાળો એક માણસ આવ્યો અને તેમની આગળ ઘુંટણે પડીને કહ્યું, “પ્રભુ, તમે ચાહો તો મને શુધ્ધ કરી શકો છો.”
3ઈસુએ તેમનો હાથ લાંબો કયોઁ અને માણસને સ્પર્શ કર્યો અને કહ્યું, “હું ચાહું છું, શુધ્ધ થા.” અને તે જ ક્ષણે તે પોતાના રકતપિતથી શુધ્ધ થયો. 4પછી ઈસુએ તેને કહ્યું, “જો જે તું કોઈને ન કહેતો. પણ જા, યાજકને પોતાને દેખાડને તેઓને માટે સાક્ષી તરીકે મોશેએ કરેલી આજ્ઞા પ્રમાણે તે અપઁણ ચઢાવ.”
અધિકારીનો વિશ્વાસ
5જયારે ઈસુ કપરનાહૂમ આવ્યા, ત્યારે એક સૂબેદારે ઈસુ પાસે આવીને મદદ માંગી. 6તેણે કહ્યું “પ્રભુ, મારો નોકર ઘરમાં લકવાનાં દર્દથી ઘણો પીડાય છે અને પથારીવશ છે.”
7ઈસુએ તેને કહ્યું, “શું હું આવીને તેને સાજો કરું?”
8પછી અધિકારીએ જવાબ આપ્યો, “પ્રભુ, તમે મારા છાપરા તળે આવો એવો હું યોગ્ય નથી, પણ શબ્દ કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. 9કારણ કે હું મારા અધિકારીઓના હાથ નીચે છું, મારી નીચે સૈનિકો છે. હું આને કહું કે, ‘જાઓ!’ અને તે જાય છે અને પેલાને કહું કે ‘આવો!’ અને તે આવે છે. હું મારા નોકરને કહું છું કે ‘આ કર!’ અને તે તે કરે છે.”
10ત્યારે ઈસુ તે સાંભળીને નવાઈ પામ્યા, “પાછળ આવતાં લોકોને તેમણે કહ્યું, હું તમને સાચે જ કહું છું કે, આટલો મોટો વિશ્વાસ મને ઇઝરાયેલમાં પણ જડયો નથી. 11હું તમને કહું છું કે ઘણાં લોકો પૂવઁથી અને પશ્વિમથી આવશે અને સ્વર્ગના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકોબની સાથે પવઁમા બેસશે, 12પણ રાજયની પ્રજાને બહાર ફેકી દેવામાં આવશે, અંધકારમાં, જયાં રડવું અને દાંત પીસવું થશે.”
13પછી ઈસુએ અધિકારીને કહ્યું, “જા, જેવો તારો વિશ્વાસ છે તેવું જ તને થાઓ.” અને તે જ ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો.
ઈસુ ઘણાઓને સાજા કરે છે
14જયારે ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યારે તેમણે પિતરની સાસુને તાવને લીધે પથારીમાં પડેલી જોઈ. 15તેમણે તેના હાથને સ્પર્શ કર્યો, તેનો તાવ ઊતરી ગયો, તે ઊઠીને તેમની સેવા કરવા લાગી.
16જયારે સાંજ પડી ઘણા અશુધ્ધ આત્મા વળગેલાઓને તેમની પાસે લાવ્યાં, તેમણે માત્ર શબ્દથી આત્માઓને કાઢયા, અને બધા માંદાઓને પણ સાજા કર્યા. 17યશાયા પ્રબોધક દ્રારા જે કહેવામાં આવ્યું હતુ તે પુરું થાય:
“તેણે આપણા મંદવાડ લઈ લીધા
અને આપણા રોગ ભોગવ્યાં.”
ઈસુની પાછળ ચાલવાની કિંમત
18જયારે ઈસુએ લોકોના ટોળા એમની આસપાસ જોયા, ત્યારે તેમણે સરોવરને પેલે પાર જવાની આજ્ઞા કરી. 19ત્યારે નિયમશાસ્ત્રના પંડિતે તેમની પાસે આવીને કહ્યું, “ગુરુજી, તમે જયાં જશો, ત્યાં હું તમારી પાછળ આવીશ.”
20ઈસુએ જવાબ આપ્યો, “શિયાળવાને બખોલ હોય છે અને પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને પોતાનું માથું મૂકવાને જગ્યા નથી.”
21બીજા શિષ્યએ તેમને કહ્યું, “પ્રભુ પહેલાં મને જઈને મારા પિતાને દફનાવવા દો.”
22પણ ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ, અને મૂએલાંઓને તેઓના મૂએલાઓને દફનાવવા દે.”
ઈસુએ તોફાનને શાંત પાડયું
23પછી ઈસુ હોડીમાં ગયા અને તેમના શિષ્યો તેમની પાછળ ગયા. 24એકાએક સરોવરમાં ભયંકર તોફાન આવ્યું, તેથી મોજાઓથી હોડી ઢંકાઈ જવા લાગી; પરંતુ ઈસુ ઊંઘતા હતા. 25શિષ્યો ગયા ને તેમને જગાડયાં, કહ્યું, “હે પ્રભુ! અમને બચાવો, અમે ડૂબીએ છીએ!”
26તેમણે જવાબ આપ્યો, “તમે અલ્પવિશ્વાસીઓ!” આટલા બધા તમે કેમ ગભરાઈ ગયા છો? પછી તેમણે ઊભા થઈને પવન અને મોજાંને ધમકાવ્યાં અને સંપૂણઁ શાંતિ થઈ.
27માણસોએ આશ્ચયઁ પામીને કહ્યું, “આ કેવાં પ્રકારનો માણસ છે? પવન અને મોજાઓ પણ તેનું માને છે!”
અશુધ્ધ આત્મા વળગેલા બે માણસોને ઈસુ સાજા કરે છે
28જયારે તેઓ સરોવરનાં સામે કિનારે ગદરાનીના પ્રદેશમાં પહોંચ્યા, અશુધ્ધ આત્મા વળગેલાં બે માણસો કબરોમાંથી નિકળતા તેમને મળ્યાં. તેઓ એવા ભયાનક હતા કે તે માગેઁ થઈને કોઈ જઈ શક્તું ન હતું. 29“ઈશ્વરપુત્ર, તમારે અમારી સાથે શું જોઈએ છે? તેઓએ બૂમ પાડી, નિયત સમય પહેલાં અમને પીડા દેવાને તમે અહીં આવ્યા છો શું?”
30ત્યાંથી થોડે દૂર ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું. 31અશુધ્ધ આત્માઓએ ઈસુને આજીજી કરી, “જો તમે અમને કાઢી મૂકવાનાં જ હો તો અમને ભૂંડોનાં ટોળામાં મોકલો.”
32તેમણે તેઓને કહ્યું, “જાઓ!” એટલે તેઓ બહાર નીકળીને ભૂંડોમાં પેઠાં અને આખું ટોળું સરોવરમાં ધસી પડયું અને પાણીમાં ડૂબી મર્યુ. 33પેલા ભૂંડ ચરાવનારાં નાઠાં, શહેરમાં જઈને તે બધું તેઓએ કહી જણાવ્યું, અને અશુધ્ધ આત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું. 34ત્યારે આખું નગર ઈસુને મળવા માટે બહાર આવ્યું, અને જયારે તેઓએ તેમને જોયા. તેઓએ તેમને વિનંતી કરી અમારી પ્રદેશમાંથી જતા રહો.