YouVersion Logo
Search Icon

માથ્થી 7

7
બીજાઓનો ન્યાય કરવો
1“કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. 2કેમકે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તમને પણ દોષિત ઠરાવશે; જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.
3“શા માટે તમારા ભાઈની આંખમાંના તણખલાને જુઓ છો અને પોતાની આંખમાંનો ભારોટિયો જોતાં નથી? 4તમે તમારા ભાઈને એમ કેમ કહી શકો કે, ‘તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે,’ જયારે તારી પોતાની આંખમાં હંમેશા ભારોટિયો છે? 5ઓ ઢોંગી સૌ પ્રથમ તારી આંખમાંનો ભારોટિયો દૂર કર! પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સૂઝશે.
6“જે પવિત્ર છે, તે કૂતરાઓને ન આપો, ભૂંડોની આગળ તમારા મોતી ન ફેંકો, જો તમે એમ કરો તો તેઓ તેમને પગ તળે કચડશે, ને ફરીને તમને ફાડીને ટુકડા કરશે.
માગો, શોધો, ખટખટાવો
7“માગો, અને તમને આપવામાં આવશે; શોધો, અને તમને જડશે; ખટખટાવો, અને તમારે માટે દરવાજો ખોલવામાં આવશે 8જે કોઈ માગે છે, તેને મળે છે, જે શોધે છે, તેને જડે છે, અને જે ખટખટાવે છે, તેને માટે દરવાજો ખોલવામાં આવશે.
9“તમારામાં એવું કોણ છે, જો તમારો દીકરો રોટલી માગે, તો શું તે તેને પથ્થર આપશે? 10અથવા જો તે માછલી માગે તો શું તેને બદલે સાપ આપશે? 11જો તમે દુષ્ટ હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપી જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતાની પાસે જેઓ માગે છે, તેઓને તે કેટલાં સારાં વાનાં આપશે. 12તેથી દરેક બાબતોમાં, બીજાઓ પાસેથી જેવા વ્યવહારની અપેક્ષા તમે રાખો છો એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. કેમકે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનો સારાંશ એ જ છે.
સાંકડો અને પોહળો માગઁ
13“સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરો, કેમકે જે નાશમાં પહોંચાડે છે તે રસ્તો પહોળો છે, અને તેનો દરવાજો ચોડો છે, અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. 14પણ જે દરવાજો નાનો અને રસ્તો સાંકડો છે તે જીવનમાં પોહચાડે છે, અને થોડાકને જ તે મળે છે.
સાચા અને જૂઠા ઉપદેશકો
15“જૂઠા ઉપદેશકોથી સાવધાન રહો, તેઓ ઘેટાંના વેશમાં આવે છે, પણ અંદરથી તેઓ વિકરાળ વરુઓ છે. 16તમે તેઓને તેઓના ફળ પરથી ઓળખશો. શું લોકો કાંટાના ઝાળાંમાંથી દ્રાક્ષ અને જંગલી છોડ પરથી અંજીર તોડશે? 17તે જ પ્રમાંણે દરેક સારું વૃક્ષ સારા ફળ આપે છે. પણ ખરાબ વૃક્ષ ખરાબ ફળ આપે છે. 18સારું વૃક્ષ ખરાબ ફળ આપી શકતું નથી, અને ખરાબ વૃક્ષ સારાં ફળ આપી શકતું નથી. 19દરેક વૃક્ષ જે સારાં ફળ નથી આપતું તેને કાપી નાંખીને અગ્નિમાં નાંખવામાં આવે છે. 20તેથી તેમનાં ફળ દ્વારા તમે તેમને ઓળખશો.
સાચા અને જૂઠા શિષ્યો
21“દરેક જેઓ મને ‘પ્રભુ, પ્રભુ’ કહે છે તેઓ સવઁ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહિ, પણ જેઓ મારા સ્વર્ગમાનાં પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ. 22તે દિવસે ઘણાં મને કહેશે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી અને તમારાં નામે અશુધ્ધ આત્માઓને કાઢયાં અને તમારે નામે ઘણાં ચમત્કારો કર્યા નથી? 23ત્યારે હું તેઓને સાફ કહીશ, ‘મેં તમને કદી ઓળખ્યા નથી, તમે ભૂડું કરનારાઓ! મારી પાસેથી જાઓ!’
ડાહ્યો અને મુખઁ બાંધનાર
24“એ માટે જે કોઈ મારા આ શબ્દો સાંભળે છે, અને તે પ્રમાણે કરે છે, તે એક ડાહ્યા માણસ જેવો છે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. 25જયારે રેલ આવી અને પાણીનાં મોજાં ઊછળીને ઘર સાથે અથડાયાં છતાં પણ તે પડયું નહિ, કારણ કે તેનો પાયો ખડક પર નાંખેલો હતો. 26પણ જે કોઈ મારા આ શબ્દો સાંભળે છે, પણ તે પ્રમાણે કરતો નથી, તે એક મૂર્ખ માણસ જેવો છે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું; 27વરસાદ વરસ્યો, પૂર આવ્યું, અને પવન ફુંકાયો, અને ઘર પર સપાટા લાગ્યા, ત્યારે તે જમીનદોસ્ત થઈ ગયું!”
28જયારે ઈસુએ આ વાતો કહેવાનું પુરું કયુંઁ, ત્યારે ટોળું તેમના શિક્ષણથી આશ્ચર્યચકિત થઈ ગયા. 29કેમકે નિયમશાસ્ત્રના પંડિતોની માફક નહિ, પરંતુ જેની પાસે અધિકાર છે તેની માફક તેઓ શિક્ષણ આપતાં હતા.

Currently Selected:

માથ્થી 7: GCB

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in