YouVersion Logo
Search Icon

માથ્થી 9

9
ઈસુ લકવાવાળા માણસને માફ કરે છે અને સાજો કરે છે
1ઈસુ હોડીમાં બેસીને, પેલે પાર જઈને પોતાના નગરમાં આવ્યા. 2કેટલાક લોકો લકવાગ્રસ્ત એક માણસને પથારીમાં સૂતેલો તેમની પાસે લાવ્યાં, જયારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો, ત્યારે તેમણે તે માણસને કહ્યું, “દીકરા, હિંમત રાખ: તારાં પાપ માફ કરવામાં આવ્યા છે.”
3ત્યારે કેટલાક નિયમશાસ્ત્રનાં પંડિતોએ પોતાને કહેવા લાગ્યા, “આ માણસ ઈશ્વર નિંદા કરે છે!”
4તેઓના વિચારો જાણીને, ઈસુએ કહ્યું, “તમે આવાં દુષ્ટ વિચારો મનમાં શા માટે કરો છો? 5સહેલું શું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે.’ અથવા એમ કહેવું કે, ‘ઊઠ અને ચાલ?’ 6પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે.” તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, “ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા.” 7ત્યારે માણસ ઉઠીને પોતાને ઘેર ગયો. 8જયારે ટોળાએ આ જોયું તેઓ ભયભીત થઈ ગયા, અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી, કે જેણે માણસને એવો અધિકાર આપ્યો હતો.
માથ્થીનું તેડું
9જયારે ઈસુ ત્યાંથી જતા, તેમણે માથ્થી નામે એક માણસને જકાતનાકાએ બેઠેલો જોયો. તેમણે કહ્યું, “મારી પાછળ આવ.” માથ્થી ઊભો થયો અને તેમની પાછળ ગયો.
10જયારે ઈસુ માથ્થીના ઘરમાં રાત્રીભોજન કરી રહ્યા હતા, ત્યારે ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપીઓ આવીને તેમની તથા તેમના શિષ્યો સાથે જમ્યાં. 11જયારે ફરોશીઓએ આ જોઈને તેઓએ તેમના શિષ્યોને કહ્યું, “તમારાં ગુરુ કર ઉઘરાવનારાઓ તથા પાપીઓની સાથે શા માટે ખાય છે?”
12આ સાંભળીને ઈસુએ કહ્યું, “જેઓ તંદુરસ્ત છે તેઓને ડોકટરની જરૂર નથી પણ માંદાને છે. 13પણ જઈને શીખો કે તેનો અથઁ શો છે? ‘હું દયા ચાહુ છું બલિદાન નહિ.’ કેમકે હું ન્યાયીઓને નહિ પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”
ઉપવાસ સંબંઘી ઈસુનો પ્રશ્ન
14ત્યારે યોહાનનાં શિષ્યોએ આવીને તેમને પૂછયું, “અમે અને ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારાં શિષ્યો ઉપવાસ કેમ કરતા નથી?”
15ઈસુએ જવાબ આપ્યો: “વરરાજા સાથે હોય ત્યારે તેના મહેમાનોએ શોક કરવાની શી જરૂર? એવો સમય આવશે કે જયારે વરને તેઓની પાસેથી લઈ લેવાશે ત્યારે તેઓ ઉપવાસ કરશે.
16“જૂના વસ્ત્ર પર નવા વસ્ત્રનું થીંગડું કોઈ માંરતુ નથી, કારણ કે થીંગડાથી વસ્ત્ર ખેંચાઈને વધારે ફાટે છે. 17નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો તેઓ ભરે તો મશકો ફાટી જાય, દ્રાક્ષારસ ઢોળાઈ જાય અને મશકોનો નાશ થાય; ના, તેઓ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરશે અને બંને સચવાય છે.”
ઈસુ મરેલી દીકરીને સજીવન કરે છે અને માંદી સ્ત્રીને સાજી કરે છે
18જયારે તેઓ આ કહેતાં હતા, ત્યારે સભાસ્થાનના એક અધિકારીએ આવીને તેમને પગે પડીને કહ્યું, “મારી દીકરી હમણાં જ મરણ પામી છે. પણ આવીને તમારો હાથ તેના પર મુકો એટલે તે જીવતી થશે.” 19ઈસુ ઊઠીને તેની સાથે ગયા, અને તેમના શિષ્યો પણ ગયાં.
20ત્યાર પછી એક સ્ત્રી જેને બાર વરસથી રકતસ્ત્રાવનો રોગ હતો તેણે પાછળથી આવીને તેમનાં ઝભ્ભાની કીનારીને સ્પર્શ કર્યો; 21તેણે મનમાં કહ્યું, “જો હું માત્ર તેમના ઝભ્ભાને સ્પર્શ કરું, તો હું સાજી થઈશ.”
22ઈસુએ ફરીને તેને જોઈને, તેમણે કહ્યું “દીકરી, હિંમત રાખ! તારા વિશ્વાસે તને સાજી કરી છે.” અને તે જ ક્ષણે સ્ત્રી સાજી થઈ ગઈ.
23ઈસુ સભાસ્થાનનાં અધિકારીના ઘરમાં પ્રવેશ્યાં અને ટોળાને કકળાટ કરતાં અને વાંસળી વગાડતા લોકોને જોયા. 24તેમણે કહ્યું, “બહાર જાવ, છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે.” પણ તેઓએ તેમને હસી કાઢયાં. 25લોકોના ટોળાને બહાર મોકલવામાં આવ્યા પછી, તેઓ અંદર ગયા અને છોકરીને હાથથી પકડી, અને તે ઊઠી. 26આ સમાચાર આખા પ્રદેશમાં ફેલાઈ ગયા.
ઈસુ અંધ અને બોબડાંને સાજો કરે છે
27ઈસુ ત્યાંથી જતા હતા ત્યારે બે અંધજનો તેમની પાછળ ગયા, બૂમ પાડી, “ઓ દાવિદનાં દીકરા, અમારા પર દયા કરો.”
28જયારે ઈસુ ઘરમાં ગયા, ત્યારે અંધજનો તેમની પાસે આવ્યા અને તેઓએ તેમને પૂછયું. “હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે ખરો?”
તેઓએ કહ્યું, “હા પ્રભુ”
29પછી તે તેઓની આંખોને સ્પર્શ કરીને બોલ્યાં, “તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.” 30અને તેઓ દેખતાં થયા, ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી, જો જો આ વિષે કોઈ જાણે નહિ. 31પરંતુ તેઓએ બહાર જઈને તેમના વિષેના સમાચાર આખા પ્રદેશમાં ફેલાવી દીધા.
32ત્યાંથી તેઓ બહાર જતાં, એક માણસ જેનામાં અશુધ્ધ આત્મા હોવાથી તે બોલી શકતો ન હતો તેને ઈસુની પાસે લાવવામાં આવ્યો. 33જયારે અશુધ્ધ આત્માને કાઢવામાં આવ્યો, ત્યારે જે મૂંગો માણસ હતો તે બોલ્યો, ટોળાએ અચંબો પામીને કહ્યું, “ઇઝરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી.”
34પરંતુ ફરોશીઓએ કહ્યું, “એ તો ભૂતોના સરદારથી તે અશુધ્ધ આત્માઓને બહાર કાઢે છે.”
મજૂરો થોડા છે
35ઈસુ તમામ શહેરો અને ગામોમાં ગયા, તેઓના સભાસ્થાનોમાં શિક્ષણ આપતાં, રાજ્ય વિષેનો શુભસંદેશ પ્રગટ કરતા, અને દરેક પ્રકારની બિમારી અને રોગો મટાડતા. 36જયારે તેમણે ટોળાને જોયું ને તેમને તેમના પ્રત્યે કરુણા ઊપજી, કારણ કે તેઓ પાળક વિનાનાં ઘેટાં જેવાં લાચાર અને અસહાય હતા, 37ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “ફસલ પુષ્કળ છે, પરંતુ મજૂરો થોડા છે. 38ફસલનાં ધણીને પ્રાર્થના કરો કે જેથી તે પોતાની ફસલને સારું મજૂરો ખેતરમાં મોકલી આપે.”

Currently Selected:

માથ્થી 9: OGCB

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in