YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 14

14
1પણ જે કોય વિશ્વાસમા નબળો છે એની દલીલ વિષે ન્યાય કરયા વગર એને અપનાવો. 2કેમ કે, એકને વિશ્વાસ છે કે, જે કાય પણ ખાવુ હારું છે, પણ જે માણસ વિશ્વાસમા નબળો છે, ઈ ખાલી શાક-બકાલું જ ખાય છે.
3અને જે કોય બધીય વસ્તુ ખાય એને તુચ્છ નો ગણો, અને જે કોય બધીય વસ્તુ નથી ખાતો એનો ન્યાય કરવો નય; કેમ કે, જે બધુય ખાય છે અને જે બધુય નથી ખાતો, પરમેશ્વર બેયને અપનાવે છે. 4કોયના ચાકરનો ન્યાય કરવાનો તને ક્યો અધિકાર છે? એને સાલું રાખવો કે એને કાઢી મુકવો ઈ બાબત એના શેઠને જોવાની છે, પરભુ એમ કરવાને શક્તિમાન છે, હાટુ ઈ ટકી રેહે.
5કોયના મનમા અમુક દિવસ બીજા દીવસો કરતાં વધુ ખાસ છે. વળી, બીજા કેટલાકને મનમા બધાય દિવસો હરખા છે, દરેકને પોતાના મનમા પુરી ખાતરી કરી લેવી. 6જે અમુક દિવસને જ ખાસ ગણે છે, ઈ પરભુની હાટુ ગણે છે, જે બધીય વસ્તુ ખાય છે, ઈ પરભુની હાટુ ખાય છે કેમ કે, ખોરાકની હાટુ ઈ પરમેશ્વરનો આભાર માંને છે, જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, ઈ પરભુની હાટુ એમ કરે છે, અને ઈ પરમેશ્વરનો આભાર માંને છે.
7આપડામાંથી કોય પોતાની હાટુ જીવતો નથી કે, પોતાની હાટુ મરતો નથી. 8કેમ કે, જો આપડે જીવતા છયી, તો પરભુની હાટુ જીવી છયી, અને જો મરી છયી, તો પરભુની હાટુ મરી છયી, પાછા મરી કે, જીવી આપડે પરભુના જ છયી. 9કેમ કે, મસીહ એટલે મરયો અને મરેલામાંથી પાછો જીવતો થય ગયો કે, આ ઈ જ છે જેને જીવતા અને મરેલા લોકો પરભુને માનવા જોયી.
10તો તારા ભાઈનો ન્યાય તું હુકામ કરશો? કા, તું તારા ભાઈનો નકાર હુકામ કરશો? આપડે બધાયે પરમેશ્વરનાં ન્યાયાસન હામે ઉભા રેવાનું છે. 11એવુ લખેલુ છે કે,
પરભુ કેય છે કે, મારા જીવના હમ કે, દરેક ગુઠણ મારી આગળ નમશે,
અને દરેક જીભ પરમેશ્વરને કબુલ કરશે.
12તો પછી, આપડામાંથી દરેકને પોતપોતાના કામોનો હિસાબ પોતાએ પરમેશ્વરને આપવો પડશે.
13આપડે એક-બીજાનો ન્યાય કરવાનું બંધ કરી. એને બદલે એવો નિર્ણય કરી કે, આપડે આપડા વિશ્વાસી ભાઈને ઠોકરરૂપ થાયી નય, અને ઈ પાપમાં પડે એવુ કોય કામ કરી નય.
14હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે. 15જો તારા ખોરાકની લીધે તારા ભાઈને તકલીફ થાય છે, તો ઈ બાબતમાં તું પ્રેમ પરમાણે વરતતો નથી. જેની હાટુ મસીહ મરણ પામ્યો એનો નાશ તું તારા ખોરાકથી નો કર.
16તમે જેને હારું ગણો છો, એનુ ભુંડું બોલાય એવુ થાવા નો દયો. 17પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.
18જે કોય આ રીતેથી મસીહની સેવા કરે છે, ઈ પરમેશ્વરને અપનાવવા લાયક છે અને લોકોની નજરમાં હારું છે. 19એટલે આપડે ઈ વાતોનો પ્રયત્ન કરી, ઈ હાટુ આપડે સદાય ઈ જ કરવાની કોશિશ કરવી જોયી જે શાંતિનું કારણ બને છે, અને એક-બીજાનો વિશ્વાસી લોકોનો વિશ્વાસ વધું મજબુત કરી.
20તમારુ કાક ખાવાની વસ્તુઓને ખાવાના કારણે પરમેશ્વરનું કામ નો બગાડે, બધુય હારુ તો છે, પણ ઈ હારુ નથી જઈ તમે ઈ વસ્તુ ખાવ છો, એના કારણે તમે બીજાની હાટુ એક ઠોકરનું કારણ બની જાવ છો.
21હારું તો ઈ છે કે, માંસ નો ખાવું, દ્રાક્ષારસ નો પીવો, અને કાય એવુ નો કરવુ, જેનાથી તારો ભાઈ પાપમાં પડે. 22જે વિશ્વાસ તને છે ઈ તારા પોતાના પરમેશ્વરની હામે રાખ. પોતાને જે વ્યાજબી લાગે છે, ઈ બાબતમાં જે પોતાને ગુનેગાર માનતો નથી ઈ આશીર્વાદિત છે. 23પણ જેને જેની વિષે શંકા રે છે; ઈ જો ઈ ખાય છે તો ઈ અપરાધી ઠરે છે, કેમ કે, ઈ વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી ઈ બધુય તો પાપ છે.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in