YouVersion Logo
Search Icon

ગલાતીઓને પત્ર 5

5
મસીહમાં આઝાદી
1મસીહે આપણને મુસાના શાસ્ત્રથી આઝાદ કરયા છે. પાકુ કરો કે, તમે આઝાદ રયો. શાસ્ત્રનું પાલન કરવા હાટુ પોતાની જાતને ફરીથી ગુલામ બનવા દેતા નય. 2હું પાઉલ તમને આ જણાવું છું. જો તમે સુન્‍નત કરાવો, તો તમને મસીહથી કાય ફાયદો થાવાનો નથી. 3હું ફરીથી તમને સેતવણી આપું છું કે, જો માણસ ઈ આશાથી સુન્‍નત કરાવે છે કે, પરમેશ્વરની નજરમાં હાસો ઠરી હકય, તો એને ઈ બધુય કરવુ જોયી જે મુસાનું નિયમશાસ્ત્ર કેય છે.
4જો તમે મુસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરવા માગો છો, તો તમે પોતાની જાતને મસીહથી નોખા કરી રયા છો. એણે પરમેશ્વરની કૃપાથી પોતાનું મોઢું ફેરવી લીધું છે. 5હું એવું કય હકુ છું કેમ કે, આપણે પવિત્ર આત્મા દ્વારા પુરી આશા છે કે, પરમેશ્વર આપણને ન્યાયી રૂપે અપનાયશે કેમ કે, આપડે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી. 6જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
7તમે હારી રીતે ધોડી રયા હતા તમને હાસની વાહે હાલવાથી કોણે રોકયા? 8આ શિક્ષણ પરમેશ્વર તરફથી નથી આવતું જેણે તમને પોતાના બાળકો થાવા હાટુ બોલાવ્યા.
9એવું શિક્ષણ જે હાસુ નથી આવી રીતે ફેલાય રયુ છે જેમ કે, ઈ કેવત કેય છે, થોડુંક ખમીર બાંધેલા બધાય લોટને ખમીરવાળું કરી નાખે છે. 10હું પરમેશ્વર ઉપર વિશ્વાસ કરું છું કે, ઈ તમને ખોટા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાથી બસાવી રાખશે. પણ જે માણસ તમારી હાટુ મુશ્કેલીઓ ઉભી કરે છે ઈ કોય પણ હોય, પરમેશ્વર દ્વારા સજા પામશે.
11હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો હું હજી હુંધી સુન્‍નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજી પણ મારી સતાવણી કેમ થાય છે? ઈ હાટુ થાય છે કે, વધસ્થંભનો મારો સંદેશો ઠોકરરૂપ નથી. 12જેઓ તમને ખોટા મારગે દોરી જાય છે તેઓ પોતાની જાતને પાવૈયા બની જાય તો કેવું હારું!
13મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો. 14કેમ કે, આખુ નિયમશાસ્ત્ર એક જ વચનમાં પુરૂ થાય છે, એટલે કે, “જેમ તમે પોતાના ઉપર પ્રેમ રાખો છો એમ તમારા પડોસી ઉપર પ્રેમ રાખો.” 15પણ જો તમે જનાવરની જેમ એક-બીજા કવડો અને ફાડો છો, તો તમારે સાવધાન રેવું જોયી કે, ક્યાક તમે એક-બીજાનો નાશ નો કરી નાખો.
પવિત્ર આત્મા અને માનવી સ્વભાવ
16પણ હું તમને કવ છું કે, તમારે આત્માની આગેવાની પરમાણે જીવન જીવો અને તમે દેહ ઈચ્છે તેવા પાપી કામો નો કરો. 17કેમ કે, આપણી પાપીલી ઈચ્છાઓ આત્માના વિરુધમાં છે અને આત્મા પાપીલી ઈચ્છાઓની વિરુધ છે કેમ કે, આ બેય દુશ્મનો છે, ઈ હાટુ તમે સદાય એવા હારા કામોને નથી કરી હકતા જે આપણે કરવા ઈચ્છીએ છયી. 18પણ જો તમે પવિત્ર આત્માની આગેવાનીમાં હાલો છો, તો તમે મુસાના શાસ્ત્રની આધીન રેતા નથી.
19આપણા દેહના કામો ખુલ્લા છે ઈ જેમ કે, છીનાળવા, ભુંડા કામો, લુસાય, 20ઈ મૂર્તિપૂજા કરે છે, ઈ જાદુ-ટોણા કરે છે, ઈ પોતાના લોકોથી નફરત કરે છે, ઈ એક-બીજા હારે બાધણા કરે છે, ઈ એવી વસ્તુઓને પામવાની આશા રાખે છે જે બીજા લોકોની પાહે છે, ઈ જલદી ગુસ્સામાં આવી જાય છે, ઈ પોતાનો મારગ કાઢવા હાટુ બીજા લોકને નીસા પાડે છે, ઈ એવા લોકોને અપનાવતા નથી જેનાથી ઈ સહમત નથી અને ખાલી એવા લોકોની હારે જોડાય છે જેનાથી ઈ સહમત છે, 21ઈ એક-બીજાની ઈર્ષા રાખે છે, ઈ નશામાં સક્સુર થય જાય છે, ઈ એવા જમણવારમાં જાય છે જ્યાં લોકો પોતાની ભૂખને કાબુમાં નથી કરતાં અને ઈ આવા પરકારના બીજા બધાય ભુંડા કામ કરે છે. હું તમને સેતવણી આપું છું, જેમ મેં પેલા પણ તમને સેતવણી આપી હતી કે, એવા કામો કરવાવાળા પરમેશ્વરનાં રાજ્યના વારસ નય થાય.
22જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું. 23નમ્રતા અને પોતાની ઉપર કાબુ રાખવો. એની લાયક બનાવે છે આ રીતના વ્યવહાર ઉપર રોક લગાવવા હાટુ કોય નિયમ નથી. 24જઈ લોકો ઈસુ મસીહ હારે સબંધ રાખે છે તો ઈ પોતાના દેહિક પાપીલા સ્વભાવ દ્વારા હાલતા નથી. ઈ એવા છે જેમ તેઓનો સ્વભાવ જાણે વધસ્થંભ ઉપર સડાવી દીધો હોય.
25કેમ કે, પરમેશ્વરની આત્માએ આપણને એક નવું જીવન આપ્યુ છે, આપડે પોતાના જીવનના દરેક જગ્યામાં આત્માની આગેવાની પરમાણે કરવુ જોયી. 26ઈ હાટુ આપડે ગર્વ નો કરવો જોયી, આપડે એક-બીજાને ખીજાવું નો જોયી કે, આપડે એક-બીજાની ઈર્ષા નો કરવી જોયી.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in