YouVersion Logo
Search Icon

2 કરિંથીઓને પત્ર 9

9
સાથી વિશ્વાસીઓ હાટુ આર્થિક મદદ
1હવે યહુદીયા પરદેશમાં રેનારા પરમેશ્વરનાં લોકોની મદદ હાટુ મારે તમને લખવાની કાય જરૂર નથી. 2કેમ કે, મદદ કરવા હાટુ તમે ઉત્સુક છો ઈ હું જાણું છું, જેના લીધે મકદોનિયા પરદેશના વિશ્વાસી લોકોની હામે હું અભિમાન કરતો રવ છું કે, તમે અખાયા પરદેશના લોકો ગયા વરહથી જ મદદ કરવા હાટુ ઉત્સુક છો, એવું મેં બતાવ્યું હતું, અને તમારા ઉત્સાહથી બોવ બધાયને પ્રોત્સાહન મળ્યું છે.
3પણ હવે હું તમારી પાહે તિતસ અને એની હારે બીજા બે ભાઈઓને મોકલું છું કે, તમારી વિષે આપડે જે અભિમાન કરયુ, ઈ ખાલી બોલવા દ્વારા જ નથી પણ જેવું મેં કીધું, એમ તમે મદદ કરવા હાટુ તૈયાર થાવ. 4ક્યાક એવું નો થાય કે, કોક જો મકદોનિયા પરદેશના વિશ્વાસીઓમાં હારે આવીને આ જોવે કે, તમે મદદ કરવા હાટુ તૈયાર નથી, તો અમારે પણ શરમાવું પડે, 5ઈ હાટુ મેં સાથી વિશ્વાસી ભાઈઓને આ વિનવણી કરવાનું જરૂરી હંમજ્યુ કે, તેઓ પેલા તમારી પાહે આવે અને જે આશીર્વાદ આપવાનું તમને કીધું હતું, એને ભેગુ કરી લેય, આ દબાણથી નય પણ ઉદારતાથી આપે છે એવી ખબર પડે.
6હવે હું આ કવશું કે, જે માણસ થોડાક બી વાવે છે, એનો પાક પણ થોડોક જ થાય છે. પણ જે માણસ ઘણાય બી વાવે છે, એને ન્યા ખુબજ જાજો પાક ઉતરે છે. 7દરેક માણસે જેવું પોતાના હૃદયમાં નક્કી કરયુ હોય એમ જ દાન આપવું, પરાણે નય એમ જ ફરજીયાત નય કેમ કે, પરમેશ્વર ખુશીથી આપનારને ગમાડે છે.
8પરમેશ્વર તમને તમારી જરૂરીયાતથી પણ વધારે દેવામાં સમર્થ છે, જેનાથી દરેક વાતોમાં અને દરેક વખતે, બધુય, જે તમને જરૂરી હોય, તમારી પાહે રેય. જેથી દરેક ભલા કામો હાટુ તમારી પાહે બોવ જ કાક હોય. 9જેવું શાસ્ત્રમાં લખ્યું છે કે, “પરમેશ્વર ગરીબ લોકોને ઉદારતાથી આપે છે, અને એનું ન્યાયપણું સદાય ટકે છે.”
10પરમેશ્વર જ છે, જે ખેડુતોને વાવવા હાટુ બી અને ખોરાક હાટુ રોટલી પુરી પાડે છે, તેઓ તમારુ વાવવાનું બી પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયપણાનો પાક પુષ્કળ થાહે. 11તમે દરેક વાતોમાં બધાય પરકારથી આશીર્વાદિત થાહો જેથી તમે સદાય ઉદારતાથી આપી હકો, અને જઈ અમે તમારા દાનને જરૂરીયાતવાળા લોકોને આપશો, તઈ ઈ અમારા દ્વારા પરમેશ્વરનો આભાર માનશે.
12કેમ કે, તમારી આ સેવા ખાલી પરમેશ્વરનાં લોકોની જરૂરિયાત જ પૂરી નથી થાતી, પણ એની હારો-હાર લોકો પરમેશ્વરનો બોવ જ આભાર માને છે. 13કેમ કે, બીજાઓને મદદ કરવા હાટુ આપવાની સેવાથી બોવ બધા લોકો પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, કેમ કે, તમે મસીહના હારા હમાસાર હાસા છે એવી કબુલાત કરી છે, અને હવે એનું પાલન પણ કરો છો, અને ગરીબ વિશ્વાસીઓ અને બધાય વિશ્વાસીઓની મદદ પણ કરતાં હોય. 14અને તેઓ આપડી હાટુ પરમેશ્વરથી પ્રાર્થના કરશે. અને તેઓ તમારીથી પ્રેમ કરે છે, કેમ કે તેઓ જાણે છે કે, પરમેશ્વરે તમારી ઉપર કેટલી કૃપા કરી છે. 15પરમેશ્વરની વરણવી નો હકાય એટલી ભેટ હાટુ ઈસુ મસીહમાં આભાર માની.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for 2 કરિંથીઓને પત્ર 9