YouVersion Logo
Search Icon

2 કરિંથીઓને પત્ર 6

6
બીજા ધરમની અસરો હામે સેતવણી
1હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો. 2કેમ કે શાસ્ત્રમાં પરમેશ્વર કેય છે કે, “મારી કૃપાના વખતમાં મે તમારી વિનવણી હાંભળી લીધી, અને તારણના દિવસે મે તમારી મદદ કરી.” જોવો, હવે મારી કૃપાનો વખત છે, અને જોવો હવે આજે જ તારણ મેળવવાનો દિવસ છે.
3પરમેશ્વરનાં સહભાગી થાવાના લીધે આપડી સેવામાં કોય રોક ટોક કરવાનો પ્રયાસ નથી કરતા.
4એના કરતાં આપણે જે કાય કરી છયી એમા પરમેશ્વરનાં હાસા સેવકો છે જે આવું દેખાડે છે કે, ધીરજમાં, મુશ્કેલીમાં, તંગીમાં, પીડામાં, 5માર ખાવામાં, કેદી હોવામાં, હુમલાઓમાં, દુખોમાં, ઉજાગરા કરવામાં, ભૂખા રેવામાં, 6પવિત્રતામાં, જ્ઞાનમાં, સહનશીલતામાં, દયાભાવમાં, પવિત્ર આત્મામાં, બીજા હારે હાસા પ્રેમમાં, 7હાસા વચનમાં, પરમેશ્વરનાં સામર્થ્યમાં, જમણા અને ડાબા હાથ ઉપર ન્યાયપણાના હથિયારોથી. 8અમને માન મળ્યું, અને અમારી નિંદા હોતન થય; અપમાન થયુ, અને અમારા વખાણ હોતન થ્યા. અમને ખોટા ગણવામાં આવ્યાં છતાય અમે હાસુ બોલી છયી. 9આપડે અજાણ્યા જેવા છયી તો પણ આપડે બધાય જાણી છયી, આપણને મરેલાઓની જેમ હમજે છે, પણ જોવ આપડે જીવતા છયી આપડે માર ખાયી છયી, પણ મરતા નથી, 10આપણને દુખી કરવામાં આવ્યા, પછી પણ આપણે સદાય રાજી થાયી છયી, આપડે પોતે તો કંગાળ છયી પણ બીજા ઘણાયને આત્મિક રીતેથી રૂપીયાવાળા બનાવી દેય છે, માનો આપડી પાહે કાય પણ નથી તોય આપડી પાહે બધીય વસ્તુ છે.
11કરિંથી શહેરના વિશ્વાસીઓ, અમે હાસાયથી તમને વાતો કરી છે, અને અમે તમને પુરા હ્રદયથી પ્રેમ કરી છયી. 12અમે તમને પ્રેમ કરવાનું બંધ નથી કરયુ પણ તમે અમને પ્રેમ કરવાનું બંધ કરી દીધું છે. 13પણ હવે તમે મારા બાળકો છો એવી જ રીતેથી હું તમને કવ છું કે, તમારુ હૃદય અમારી આગળ ખુલુ કરો.
વિધરમી અસરોની વિરુધ સેતવણી
14તમે અવિશ્વાસીઓની હારેના સહભાગીનો સબંધ નો રાખો; કેમ કે ન્યાયીને પાપી હારે કાય સબંધ નો હોય અને અજવાળાને અંધારા હારે કાય સબંધ નો હોય. 15અને મસીહનો બલિયાલ જેમ કે શેતાનની હારે, અને વિશ્વાસીનો અવિશ્વાસીથી, 16પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”
17ઈ હાટુ પરભુ શાસ્ત્ર દ્વારા કેય છે કે, “જે લોકો પરમેશ્વરની જેમ નથી કરતાં એમાંથી બારે નીકળો અને જુદા રયો, અને અશુદ્ધ વસ્તુને નો અડો, તો હું તમને અપનાવય, 18હું તમારો બાપ થાય, અને તમે મારા દીકરા-દીકરીઓ થાહો, આયા સર્વસમર્થ પરભુ પરમેશ્વર કેય છે.”

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in