YouVersion Logo
Search Icon

1 કરિંથીઓને પત્ર 8

8
મૂર્તિઓને ધરેલા નીવેદ
1હવે મૂર્તિઓને ધરેલા નીવેદ વિષે અમે જાણી છયી કે, આપડે બધાયને જ્ઞાન છે; તોય જ્ઞાન અભિમાન ઉત્પન કરે છે, પણ પ્રેમથી વધારો થાય છે. 2જો તમારામાંથી કોય એમ વિસારે કે, ઈ કાક જાણે છે તો ઈ ખરેખર કાય જાણતો નથી જેમ ઈ જાણવા માગે છે. 3પણ જો કોય પરમેશ્વરને પ્રેમ કરે છે, તો ઈ હાટુ પરમેશ્વર ઈ માણસને ઓળખે છે.
4તો પછી, હું નીવેદ ખાવાના વિષે સવાલનો જવાબ દેવા માગું છું અમે જાણી છયી કે, મૂર્તિઓ જગતમાં કાય નથી પણ ખાલી એક જ હાસા પરમેશ્વર સિવાય બીજો કોય પરમેશ્વર નથી. 5જો કે સ્વર્ગમાં કે, પૃથ્વી ઉપર કેવાતા ઈશ્વરો ઘણાય છે, 6તો પણ આપડા તો એક જ પરમેશ્વર એટલે બાપ છે, જેનાથી બધુય સર્જન કરવામાં આવ્યું છે; અને આપડે એના અરથે છયી; એક જ પરભુ એટલે ઈસુ મસીહ છે, જેની આશરે બધાય છે અને આપડે પણ એની આશરે છયી.
7પણ બધાય માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજી હુંધી મૂર્તિની ઓળખાણ હોવાથી એનું સડાવેલું નીવેદ ઈ ખાય છે. અને તેઓનું હૃદય નિર્દોષ હોવાથી ભ્રષ્ટ થાય છે.
8પણ નીવેદથી આપડે પરમેશ્વર માન્ય થતા નથી. જો નો ખાયી તો આપડે વધારે હારા થાતા નથી; અને જો ખાયી તો વધારે ભુંડા થાતા નથી. 9તમારી આ આઝાદીથી જેઓ વિશ્વાસમાં નબળા છે તેઓ પાપમાં નો પડે ઈ હાટુ સેતતા રયો. 10દાખલા તરીકે, તમારો એક ભાઈ તમને એક મૂર્તિની હાટુ મંદિરમાં નીવેદ કરતો દેખાય છે. તમે જાણો છો કે, તેઓનો ઈશ્વર હાસો નથી અને તમે એની પૂજા કરતાં નથી પણ ઈ ભાઈને ઈ વાતનું જ્ઞાન નથી. ઈ હાટુ ઈ પણ ન્યા જાય છે અને નીવેદ કરે છે, પણ ઈ વિસારે છે કે, એવું કરવુ પાપ છે.
11જેમ તમે જાણો છો જે વિશ્વાસીનો વિશ્વાસ નબળો છે, તે ભાઈનો નાશ થાય, જેના હાટુ મસીહ મરયો. 12ભાઈઓ અને બહેનો, તમે તમારા બીજા વિશ્વાસી ભાઈને પાપ કરવા હાટુ પ્રોત્સાહિત કરો છો, જેને ઈ જાણે છે કે, આ ખોટુ છે તો તમે મસીહની વિરુધ પાપ કરો છો. 13આથી જો મારા નીવેદ ખાવાની બાબત મારા ભાઈની પાહે પાપ કરાવે, તો મારા ભાઈનો નાશ થાય ઈ હાટુ હું કોયદી નીવેદ ખાય નય.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in