YouVersion Logo
Search Icon

1 કરિંથીઓને પત્ર 14

14
જુદી-જુદી ભાષાઓ અને આગમવાણી
1એક-બીજાને પ્રેમ કરવાની દરેક વખતે કોશિશ કરો, અને આત્મિક વરદાનોને ઉત્સાહથી મેળવવાની ઈચ્છા રાખો, ખાસ કરીને આયા, પરમેશ્વરનાં સંદેશાને જાહેર કરો. 2પણ, બીજી ભાષામાં બોલે છે, ઈ માણસની હારે નય, પણ પરમેશ્વરની હારે વાત કરે છે, ઈ હાટુ કે કોય એની ભાષાને હંમજી હકતા નથી. કેમ કે, આવો માણસ પવિત્ર આત્માના સામર્થ્યમાં મરમની હાસાયના વિષે બોલે છે. 3પણ જે કોય આગમવાણી કરે છે, ઈ લોકોને પ્રોત્સાહિત કરવા અને હિંમત આપવા મદદ કરે છે. 4જે બીજી ભાષામાં વાતો કરે છે, ઈ ખાલી પોતાના જ વિશ્વાસને મજબુત કરે છે, પણ જે આગમવાણી કરે છે, ઈ મંડળીના બધાય વિશ્વાસીયોના વિશ્વાસને મજબુત કરે છે.
5હું ઈચ્છું છું કે, તમે બધાય બીજી ભાષાઓમાં વાતો કરો, પણ ખાસ કરીને ઈચ્છું છું કે, આગમવાણી કરો કેમ કે, જો બીજી ભાષા બોલવાવાળો આ માણસ વાતનું મુલ્ય નથી કરતો તો ઈ મંડળીમાં વિશ્વાસીઑના વિશ્વાસને મજબુત કરવા હાટુ શું કેય છે, તો જે માણસ આગમવાણી કરે છે ઈ વધારે મહત્વનું કામ કરે છે. 6વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વસે આવીને હું બીજી ભાષાઓ બોલું પણ જો આગમવાણી, જ્ઞાન, ઉપદેશ કે, શિક્ષણ આપું નય, તો એનાથી તમને કાય લાભ નથી. 7જો કે, સંગીતના બધાય સાધનનોમાથી એક હરખો સુર વગડે તો પછી વાંહળી કે તબુરો વગડે છે, એની કોયને કેમ ખબર પડે? 8અને યુધ્ધમાં, જો રણશિંગડાનો સોખો અવાજ કા સુર નો હંભળાય તો સિપાય લડાય હાટુ તૈયાર થય હકતા નથી. 9એવી જ રીતે, જઈ તમે એવી જીભથી શબ્દો નથી બોલતા જે લોકો હંમજી હકે છે, તો તમે જે કયો છો એની કોય કિંમત નથી.
10આ જગતમાં ઘણીય બધી ભાષાઓ છે ઈ દરેક ભાષાનો અરથ છે. 11ઈ હાટુ જો હું અમુક ભાષાનો અરથ નો જાણું, તો બોલનારાની હામે હું પરદેશી જેવો થાય. 12કેમ કે, તમે પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવેલા ખાસ વરદાનો હાટુ એટલો ઉત્સાહ છે, ઈ હાટુ તે વરદાનોની ઈચ્છા કરે જે મંડળીમાં વિશ્વાસીઓના વિશ્વાસને મજબુત કરે,
13આ કારણે જે બીજી ભાષા બોલે, તો ઈ પ્રાર્થના કરે કે, એણે જે કીધું એનો અરથ પોતે હંમજાવી હકે. 14જો હું બીજી ભાષામાં પ્રાર્થના કરતો હોવ છું, તો મારી આત્મા પ્રાર્થના કરે છે, પણ મારૂ મન કા વિસાર હાટુ, કોય ફાયદો નથી કેમ કે, હું એને હંમજી નથી હક્તો. 15આ કારણથી, હું આત્માથી પ્રાર્થના કરય અને મનથી પણ પ્રાર્થના કરય, આત્માથી ગાહુ અને મનથી પણ ગાહુ. 16નય તો જો તું આત્માથી સ્તુતિ કરય તો ન્યા જે ઓછુ હમજદાર માણસ બેઠો છે; ઈ તારી સ્તુતિ હાંભળીને “આમીન” કેવી રીતે કેહે? કેમ કે, તું શું બોલે છે, ઈ આવું હમજતો નથી.
17પરમેશ્વર હાટુ તમારો આભાર અદભુત હોય હકે છે, પણ એનાથી બીજાને પોતાના વિશ્વાસમાં મજબુતી મળતી નથી. 18હું પરમેશ્વરનો આભાર માનું છું કે, હું બધાયની હરખામણીમાં ઘણીય વાર બીજી ભાષામાં બોલુ છું. 19પણ એના સિવાય, જો હું વિશ્વાસીઓની એક મંડળીમાં છું, હું એનો ઉપયોગ નય કરી હકુ કેમ કે, ઈ મારી હાટુ હારું છે અને પાસ શબ્દ કવ જે એવા કે, હંમજાય અને શીખવુ કા બીજાને માર્ગદર્શન આપું, એના બદલે મારી ભાષાના બોલ હજારો હોય પણ હંમજી નથી હકાતા.
બીજી ભાષા અવિશ્વાસીઓ હાટુ નિશાની
20વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ. 21શાસ્ત્રમાં લખ્યું છે કે, “બીજી ભાષાઓથી અને અજાણ્યા લોકોના હોઠોથી હું આ લોકોની હારે બોલય, તો પણ તેઓ મારું હાંભળે નય,” એમ પરભુ કેય છે.
22ઈ હાટુ ભાષાઓ વિશ્વાસીઓને નય પણ અવિશ્વાસુઓની હાટુ નિશાની જેમ છે અને આગમવાણી અવિશ્વાસુઓની હાટુ નય પણ વિશ્વાસુઓની હાટુ નિશાનીના રૂપમાં છે. 23તો જો મંડળી એક જગ્યા ભેગી હોય, અને બધાય બીજી ભાષા બોલે, અને બારવાળા કા વિશ્વાસીયો અંદર આવી જાય તો તેઓ જરૂર વિસારશે કે, તમે ગાંડા છો. 24પણ જો બધાય આગમવાણી કરવા મંડશે અને કોય અવિશ્વાસી કા બારે ઉભેલા માણસો અંદર આવી જાય, તો એને દુખ થાહે કે તેઓ પાપી છે, અને તમે જે બોલો છો, એના લીધેથી તેઓ પોતાની રીતે બદલવા માગશે. 25અને એના હૃદયની ખાનગી વાતો પરગટ કરાય છે; વળી ખરેખર પરમેશ્વર તમારામાં છે એવું કબુલ કરીને, ઈ ઘુટણે પડીને પરમેશ્વરનું ભજન કરશે.
મંડળીમાં શિસ્તતા
26વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે ભેગા થાવ છો તઈ તમારામાંથી કોય ગીત ગાય છે, તો કોય આગમવાણી કેય છે, કોય સંદેશો આપે છે, કોય બીજી ભાષા બોલે છે, કોય એનો અરથ હંમજાવે છે. આ બધુય મંડળીની ઉન્નતી હાટુ થાવુ જોયી. 27જો કોય બીજી ભાષા બોલે, તો વધારેને વધારે બે કા ત્રણ માણસ વારાફરથી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવુ જોયી. 28પણ જો ભાષાંતર કરવાવાળા નો હોય, તો બીજી ભાષા બોલવાવાળા મંડળીમાં શાંતિ રાખે, અને પોતાના મનથી, અને પરમેશ્વરની હારે સાનામાના વાતો કરે.
29આગમભાખીયાઓમાંથી બે કા ત્રણ બોલે, અને ઈ જરૂરી છે કે, બીજા હાંભળે અને પારખે કે, જે વાતો કેવામાં આવી છે, ઈ હાસી છે! કે, નય! 30પણ જો સભામાં જેઓ બેઠા છે તેઓમાંથી કોયને કાય પરગટ થાય, તો પેલાએ બોલવાનું બંધ કરવું.
31ઈ હાટુ તમે બધાય આગમવાણી કરી હકો છો, પણ એક પછી એક, જેથી બધાય શીખી હકે અને પ્રોત્સાહન મેળવે. 32અને આગમભાખયાઓની આત્માઓ આગમભાખયાઓની પોતાના કાબુ છે. 33કેમ કે, પરમેશ્વર અવ્યવસ્થાના નથી, મેળ કરાવવા અને શાંતિનો પરમેશ્વર છે,
આજ નિયમ પરમેશ્વરનાં લોકોની દરેક મંડળીઓમાં પાલન કરવામાં આવે છે. 34બાયુ મંડળીઓમાં શાંત રેય કેમ કે, એને બોલવાની પરવાનગી નથી, પણ પોતાના ધણીના આધીનમાં રેવાની આજ્ઞા છે. જેમ મુસાનો નિયમ પણ કેય છે. 35જો કોય વાતો વિષે તમારે જાણવું હોય, તો ઘરે પોતાના ધણીને પૂછવું જોયી. મંડળીની સભામાં બાયુ બોલે ઈ શોભતું નથી.
36શું તમારી પાહેથી પરમેશ્વરનું વચન આવ્યું? કે શું ઈ તમને એકલાને જ મળ્યું છે? 37જો કોય માણસ પોતાની જાતને આગમભાખીયો કે આત્મિક હમજે, તો જે વાતો હું તમારી ઉપર લખું છું કે, તેઓ પરભુની આજ્ઞાઓ છે એવું એને હંમજવુ. 38પણ જો કોય અજ્ઞાની હોય તો ઈ ભલે અજ્ઞાની રેય.
39ઈ હાટુ મારા વિશ્વાસી ભાઈઓ આગમવાણી કરવાની ઈચ્છા રાખો, બીજી ભાષાઓમાં બોલવાની ના પાડોમાં. 40પણ બધુય પરમેશ્વરને ગમે ઈ રીતે અને વ્યવસ્થા પરમાણે કરવામાં આવે.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in