ગણના 23
23
બલામની પ્રથમ ભવિષ્યવાણી
1બલામે બાલાકને કહ્યું, “અહીં માંરે માંટે સાત વેદીઓ બાંધો અને સાદ બળદ તથા સાત નર ઘેટા મને લાવી આપો.” 2બાલાકે બલામની સૂચનાઓ પ્રમાંણે કર્યુ, અને તેણે અને બલામે દરેક વેદી પર એક વળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી.
3બલામે પછી રાજાને કહ્યું, “તું તારી વેદી પાસે ઊભો રહે. હું એકલો જાઉ છું. કદાચ યહોવા મને મળે પણ ખરા. એ મને જે કહેશે તે હું તને જણાવીશ.” અને પછી તે એક ખુલ્લી ટેકરી પર ગયો.
4ત્યાં તેને દેવનો મેળાપ થયો. બલામે યહોવાને કહ્યું, “મેં સાત વેદીઓ તૈયાર કરી છે અને દરેક પર એક બળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી છે.”
5પછી યહોવાએ બલામને શું કહેવું તે જણાવ્યું, અને કહ્યું, “તું પાછો બાલાક પાસે જા અને માંરા કહ્યાં પ્રમાંણે તેને કહેજે.”
6બાલાક જ્યારે બલામ પાસે પાછો ફર્યો ત્યારે તે હજી આહુતિ પાસે મોઆબના આગેવાનો સાથે જ ઊભો હતો. 7બલામે યહોવા તરફથી પોતાને મળેલો સંદેશો પ્રગટ કર્યો તેણે કહ્યું:
“મોઆબનો રાજા બાલાક મને અરામમાંથી,
પૂર્વના પર્વતોમાંથી લઈ આવ્યો છે,
અને મને કહ્યું છે,
‘આવ, માંરે માંટે યાકૂબને શ્રાપ દે!
આવ અને ઇસ્રાએલને શ્રાપ દે.’
8જેને દેવ શ્રાપ ન આપતો હોય
તેને હું શી રીતે શ્રાપ આપું?
દેવ જેનું ભૂડું ઈચ્છતો નથી તેનું ભૂંડું હું શી રીતે ઈચ્છું?
9હું ઊચા ખડકની ટોચ પરથી તે લોકોને નિહાળું છું,
એ પ્રજા એકલી રહે છે,
તે અન્ય પ્રજાઓથી પોતાને ભિન્ન ગણે છે.
10ઇસ્રાએલની પ્રજા અસંખ્ય છે!
ગણ્યા ગણાય નહિ તેટલા છે.
માંરું મૃત્યુ સજ્જન જેવું થાઓ.
ભલે માંરું જીવન ઇસ્રાએલીઓની જેમ પૂરું થાય.”
11રાજા બાલાકે આ સાંભળીને બલામને કહ્યું, “આ તે શું કર્યું? મેં તમને માંરા દુશ્નનોને શ્રાપ આપવા તેડાવ્યો અને તમે તો તેમને આશીર્વાદ આપ્યા.”
12પરંતુ બલામે પ્રત્યુત્તર આપ્યો, “માંરે તો યહોવા બોલાવે તે જ બોલવાનું હોય છે.”
13ત્યાર પછી બાલાકે તેમને કહ્યું, “માંરી સાથે બીજી જગ્યાએ આવો, ત્યાંથી તમે ઇસ્રાએલી પ્રજાને જોઈ શકો. તમે ફકત એક ભાગને જ જોઈ શકશો, કદાચ તે જગ્યાએથી તમે તેઓને માંરા માંટે શ્રાપિત કરી શકો.” 14એમ કહીને રાજા બાલાક બલામને પિસ્ગાહ પર્વતની ટોચે આવેલા ચોકીના મેદાનમાં લઈ ગયો, ત્યાં તેણે સાત વેદીઓ બાંધી અને પ્રત્યેક વેદી ઉપર એક બળદ અને એક ઘેટાનું બલિદાન આપ્યું.
15બલામે રાજા બાલાકને કહ્યું, “હું યહોવાનો મેળાપ કરવા જાઉ છું. તું તારી વેદી પાસે ઊભો રહે.”
16યહોવા બલામને મળવા આવ્યા અને બલામે શું કહેવું તે યહોવાએ તેને જણાવ્યું. 17આથી રાજા અને મોઆબના સર્વ સરદારો તેઓની આહુતિ પાસે ઊભા હતા ત્યાં બલામ બાલાક પાસે પાછો ગયો. રાજા બાલાકે આતુરતાથી પૂછયું: “યહોવાએ તને શું કહ્યું છે?”
બલામની બીજી ભવિષ્યવાણી
18એટલે બલામે જવાબ આપ્યો:
“બાલાક ઊઠ, ઊભો થા અને ધ્યાનથી સાંભળ.
હે સિપ્પોરના પુત્ર, હું જે કહું તે કાને ધર.
19દેવ તે કાંઈ મનુષ્ય નથી
કે જૂઠું બોલે,
વળી તે કંઈ માંણસ નથી
કે પોતાના વિચાર બદલે.
તે તો જે બોલે તે પાળે,
ને જે કહે તે પ્રમાંણે કરે.
20હું તેઓને આશીર્વાદ આપું તેવી મને આજ્ઞા મળી છે.
દેવ તેઓને આશીર્વાદ આપે તે હું ફેરવી શકું નહિ.
21દેવે યાકૂબના લોકોમાં કઈ જ ખોટું ન જોયું.
દેવે ઇસ્રાએલના લોકોમાં કોઈ પાપ જોયું ન હતું.
તેઓના દેવ યહોવા તેમની સાથે છે;
તેઓની વચ્ચે તેનો જયજયકાર રાજાની જેમ થાય છે.
22એ જ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા છે,
અને તે જ એમને ઇસ્રાએલીઓને જંગલી આખલા જેવી તાકાત આપે છે.
23ઇસ્રાએલી પ્રજા વિરુદ્ધ કોઈ જંતરમંતર ચાલે તેમ નથી.
કોઈ પણ કામણટૂમણ સફળ થાય તેમ નથી.
ઇસ્રાએલ વિષે લોકો કહેશે;
‘જુઓ તો ખરા દેવે તેઓને માંટે કેવાં અદભૂત કાર્યો કર્યા છે!’
24એ પ્રજા તો સિંહની જેમ છલાંગ
માંરવાને તાકી રહી છે;
એ શિકારને ફાડી ખાધા વિના અને
તેનું લોહી પીધા વિના જંપીને બેસનાર નથી.”
25પછી બાલાકે બલામને કહ્યું, “ભલે, તું તેમને શ્રાપ ન આપે તો કંઈ નહિ, પણ ઓછામાં ઓછું તું એમને આશીર્વાદ ન આપતો.”
26બલામે જવાબ આપ્યો, “મેં તમને કહ્યું નહીનું કે માંરે તો યહોવા મને જે કહે તે જ બોલવાનું છે.”
27પછી રાજા બાલાકે બલામને કહ્યું, “ચાલ, હું તને બીજી કોઈ એક જગ્યાએ લી જાઉ, કદાચ દેવ પ્રસન્ન થાય અને ત્યાંથી તને માંરા તરફથી તેમને શ્રાપ આપવા દે.” 28તેથી રાજા બાલાક, બલામને રણને કાંઠે આવેલા પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જયાંથી રણ જોઈ શકાતું હતું.
29પછી બલામે બાલાકને કહ્યું, “તું મને સાત વેદી બાંધી આપ અને સાત બળદ અને સાત ઘેટાં બલિદાન માંટે લઈ આવ.” 30બલામે જે કહ્યું તે જ પ્રમાંણે બાલાકે કર્યું અને પ્રત્યેક વેદી પર એક બળદ અને એક ઘેટાનું બલિદાન આપવામાં આવ્યું.
Currently Selected:
ગણના 23: GERV
Highlight
Copy
Compare
Share
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International