YouVersion Logo
Search Icon

માથ્થી 28

28
ઈસુ સજીવન કરાયા
(માર્ક. 16:1-10; લૂક. 24:1-12; યોહા. 20:1-10)
1વિશ્રામવારને બીજે દિવસે રવિવારની વહેલી સવારે માગદાલાની મિર્યામ અને બીજી મિર્યામ કબરે ગયાં. 2એકાએક મોટો ધરતીકંપ થયો. આકાશમાંથી પ્રભુનો દૂત આવ્યો અને પથ્થર ખસેડીને તેના પર બેસી ગયો. 3તેનો દેખાવ વીજળીના જેવો હતો અને તેનાં કપડાં બરફના જેવાં શ્વેત હતાં. 4ચોકીદારો ખૂબ જ ગભરાઈ ગયા. તેઓ ધ્રૂજી ઊઠયા અને મૃતપ્રાય થઈ ગયા.
5દૂતે સ્ત્રીઓને કહ્યું, ડરશો નહિ, હું જાણું છું કે જેમને ક્રૂસે જડવામાં આવેલા તે ઈસુને તમે શોધો છો. 6તે અહીં નથી. તેમણે કહ્યું હતું તે પ્રમાણે તેમને સજીવન કરવામાં આવ્યા છે. આવો, જ્યાં તે સૂતા હતા તે જા જુઓ. 7ઝડપથી તેમના શિષ્યો પાસે જાઓ અને કહો કે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે અને તે તમારી પહેલાં ગાલીલમાં જાય છે અને ત્યાં તમને મળશે. મેં તમને જે કહ્યું છે તે યાદ રાખો.
8આથી તેઓ ઉતાવળથી કબરેથી ચાલી નીકળી. તેમને બીક લાગી હતી. પણ સાથે સાથે ઘણો જ આનંદ થયો હતો. એ ખબર શિષ્યોને આપવા તેઓ ઝડપથી દોડી ઈ.
9એકાએક ઈસુ તેમને મળ્યા અને તેમણે કહ્યું, તમને શાંતિ થાઓ. તેઓ તેમની નજીક આવી અને તેમનાં ચરણોમાં નમી પડીને તેમનું ભજન કર્યું. 10ઈસુએ તેમને કહ્યું, ડરશો નહિ, જાઓ, જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલમાં જાય અને ત્યાં હું તેમને મળીશ.
આગેવાનોની બનાવટ
11જ્યારે સ્ત્રીઓ પાછી ઈ ત્યારે કબરની ચોકી કરનાર કેટલાક સૈનિકો શહેરમાં ગયા અને જે કંઈ બન્યું હતું તેથી મુખ્ય યજ્ઞકારોને વાકેફ કર્યા. 12મુખ્ય યજ્ઞકારો તેમ જ આગેવાનો સાથે એકત્ર થયા અને તેમણે મસલત કરી. તેમણે સૈનિકોને ઘણી મોટી લાંચ આપી,
13અને કહ્યું, લોકોને તમારે આ પ્રમાણે કહેવું, ’અમે રાત્રે ઊંઘતા હતા ત્યારે તેમના શિષ્યો આવ્યા અને તેમનું શબ ઉઠાવી ગયા છે.’ 14અને જો રાજ્યપાલને આ વાતની જાણ થશે તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.
15ચોકીદારોએ પૈસા લઈ લીધા અને તેમને જે પ્રમાણે સમજાવવામાં આવ્યા હતા તે મુજબ તેમણે કર્યું. આજ દિવસ સુધી યહૂદીઓમાં આ જ વાત પ્રચલિત છે.
મહાન આદેશ
(માર્ક. 16:14-18; લૂક. 24:36-49; યોહા. 20:19-23; પ્રે.કા. 1:6-8)
16ઈસુના કહ્યા મુજબ અયષિર શિષ્યો ગાલીલમાં એક પર્વત પર ગયા. 17જ્યારે તેમણે ઈસુને જોયા ત્યારે તેમનું ભજન કર્યું, પણ કેટલાકને શંકા આવી. 18ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. 19એટલે તમે જાઓ, બધી જાના લોકોને મારા શિષ્યો બનાવો. ઈશ્વરપિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપતા જાઓ; 20જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.

Highlight

Share

Compare

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in