માથ્થી 23
23
ચેતવણીનો સૂર
(માર્ક. 12:38-39; લૂક. 11:43,46; 20:45-46)
1ઈસુએ જનસમુદાયને તથા પોતાના શિષ્યોને કહ્યું, 2નિયમશાસ્ત્રના શિક્ષકો તથા ફરોશીઓ મોશેના નિયમશાસ્ત્રનું સાચું અર્થઘટન કરવાનો અધિકાર ધરાવે છે. 3તેથી તેઓ તમને જે કંઈ ફરમાવે તેનું તમારે પાલન કરવું જોઈએ. પણ તેમના વર્તનનું અનુકરણ કરવું નહિ. કારણ, તેઓ જે સંદેશો આપે છે તે પ્રમાણે તેઓ વર્તતા નથી. 4તેઓ માણસોની પીઠ પર ભારે બોજ લાદે છે, પણ લોકોને તે બોજ ઊંચકાવવામાં આંગળી સરખીયે અડકાડતા નથી. 5તેઓ બધું દેખાવ પૂરતું જ કરે છે. તેમના કપાળ અને હાથ પર શાસ્ત્રવચનો ચર્મનાં મોટાં માદળિયાંમાં મૂકીને બાંધેલાં હોય છે, અને તેમના ઝભ્ભાની ઝૂલ કેટલી લાંબી હોય છે! 6ભોજનસમારંભોમાં તેમને મહત્ત્વનાં સ્થાન જોઈએ છે, અને ભજનસ્થાનમાં તેમને ખાસ મુખ્ય બેઠકો જોઈએ છે. 7જાહેર માર્ગો પર લોકો તેમને સલામ ભરે અને તેમને ગુરુ કહે તેમ તેઓ ઇચ્છે છે.
8તમે પોતાને ગુરુ તરીકે ઓળખાવો નહિ. કારણ, તમે એકબીજાના ભાઈઓ છો અને તમારે ફક્ત એક જ ગુરુ છે. 9વળી, પૃથ્વી પર તમે કોઈને પિતા કહેશો નહિ. કારણ, તમારે એક જ પિતા છે, જે આકાશમાં છે. 10વળી, કોઈ તમને પ્રભુ ન કહે, કારણ, તમારે એકમાત્ર પ્રભુ એટલે ખ્રિસ્ત છે.
11તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક થાય. 12જે કોઈ પોતાને મહાન બનાવવા માગે છે, તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે.
દંભીઓને ચેતવણી
(માર્ક. 12:40; લૂક. 11:39-42,44,52; 20:47)
13ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે લોકોને માટે આકાશના રાજનું પ્રવેશદ્વાર બંધ કરો છો. તમે પોતે તેમાં પ્રવેશ કરતા નથી અને જેઓ પ્રવેશ કરવા ઇચ્છે છે તેમને જવા દેતા નથી.
14ચઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે વિધવાઓનાં ઘર લૂંટી લો છો અને પછી લાંબી લાંબી પ્રાર્થનાઓ દ્વારા દેખાવ કરો છો. આ બધાને લીધે તમને સખત સજા થશે.]
15ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે એક વ્યક્તિનું પરિવર્તન કરવા માટે સમુદ્ર અને પૃથ્વીને ખૂંદી વળો છો. પણ તમે સફળ થાઓ છો, ત્યારે તેને તમારા કરતાં બમણો નરકને પાત્ર બનાવો છો.
16ઓ આંધળા માર્ગદર્શકો, તમારી કેવી દુર્દશા થશે! તમે શીખવો છો કે જો કોઈ મંદિરના સમ ખાય તો તે સમથી બંધાતો નથી, પણ જો તે મંદિરમાંના સોનાના સમ ખાય તો તે સમથી બંધાય છે. 17ઓ મૂર્ખ આંધળાઓ! કઈ બાબત વધુ મહત્ત્વની છે? સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર? 18તમે એવું પણ શીખવો છો કે જો કોઈ વેદીના સમ ખાય તો તે સમથી બંધાતો નથી, પણ જો તે વેદી પરના અર્પણના સોગન ખાય તો તે તેથી બંધાય છે. 19તમે કેવા આંધળા છો! કઈ બાબત વધુ મહત્ત્વની છે? અર્પણ કે અર્પણને પવિત્ર કરનાર વેદી? 20તેથી વેદીના સમ ખાનાર વેદી અને તેના પરના અર્પણના સમ ખાય છે. 21તે જ પ્રમાણે મંદિરના સમ ખાનાર મંદિરના અને મંદિરમાં વાસો કરનાર જીવંત ઈશ્વરના સોગન ખાય છે. 22અને આકાશના સમ ખાનાર ઈશ્વરના રાજ્યાસનના અને તેના ઉપર બિરાજનારના સમ ખાય છે.
23ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! મોસમની ઊપજમાંથી ફૂદીનો, કોથમીર અને જીરાનો પણ દસમો ભાગ તમે ધર્મદાનમાં આપો છો, પણ તમારામાં નિયમશાસ્ત્રની મહત્ત્વની બાબતો એટલે ન્યાય, દયા અને નિષ્ઠા નથી. આ બાબતો તમારે કરવી જોઈતી હતી, અને પેલી બાબતો પડતી મૂકવાની ન હતી. 24ઓ આંધળા માર્ગદર્શકો! તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો!
25ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે થાળી વાટકાને બહારથી સ્વચ્છ કરો છો. પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલાં છે. 26ઓ અંધ ફરોશી, થાળી વાટકાની અંદરની બાજુ પ્રથમ સાફ કર, એટલે બહારની બાજુ પણ સાફ થઈ જશે.
27ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે તો ધોળેલી કબર જેવા છો. જે બહારથી સુંદર દેખાય છે, પણ અંદર તો મરેલા માણસનાં હાડકાં અને દુર્ગંધ છે. 28તે જ પ્રમાણે બાહ્ય રીતે તમે લોકોની સમક્ષ ધાર્મિક દેખાઓ છો, પણ અંદરથી તો તમે દંભ અને પાપથી ભરેલા છો.
દંભીઓને થનારી સજા
(લૂક. 11:47-51)
29ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે સંદેશવાહકોને માટે સુંદર કબરો ચણાવો છો અને તિઠિત લોકોનાં સ્મારકો શણારો છો. 30અને તમે જાહેર કરો છો કે, ’જો અમે અમારા પૂર્વજોના સમયમાં જીવતા હોત તો અમે તેમની માફક સંદેશવાહકોનાં ખૂન કર્યાં ન હોત.’ 31આમ, તમે પોતે જ કબૂલ કરો છો કે તમે સંદેશવાહકોના ખૂનીઓના વંશજો છો! 32તો પછી તમારા પૂર્વજોએ જેની શરૂઆત કરી તેને પૂરું કરો.
33ઓ સર્પો, ઓ સર્પોના સંતાનો! નર્કની સજામાંથી તમે કેવી રીતે છટકી શકશો? 34તેથી હું તમારી મધ્યે સંદેશવાહકો, જ્ઞાનીઓ અને શિક્ષકો મોકલીશ. તેમાંના કેટલાકનું તમે ખૂન કરશો, કેટલાકને ક્રૂસે જડાવશો, જ્યારે કેટલાકને ભજનસ્થાનોમાં ચાબખા મરાવશો અને તેમને સતાવી સતાવીને એક ામથી બીજે ામ રઝળાવશો. 35પરિણામે, હાબેલના ખૂનથી માંડીને બારાખ્યાનો પુત્ર ઝખાર્યા, જેને મંદિર અને યજ્ઞવેદી વચ્ચે તમે મારી નાખ્યો તેના સુધીની બધી નિર્દોષ વ્યક્તિઓનું લોહી તમારે માથે આવશે. 36હું તમને સાચે જ કહું છું કે એ બધાં ખૂનોની સજા આ પેઢીએ ભોવવી પડશે.
યરુશાલેમ માટે ઈસુનો પ્રેમ
(લૂક. 13:34-35)
37ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ. 38જુઓ, તમારું ઘર ત્યજી દેવાયેલું અને ઉજ્જડ છે. 39હવે પછી, ’પ્રભુને નામે જે આવે છે તેને ઈશ્વર આશિષ આપો,’ એમ તમે મને નહિ કહો, ત્યાં સુધી તમે મને જોવાના નથી.
Currently Selected:
માથ્થી 23: GUJCL-BSI
Highlight
Share
Compare
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide