YouVersion Logo
Search Icon

થેસ્સાલોનિકિઓને બીજો પત્ર પ્રસ્તાવના

પ્રસ્તાવના
ખ્રિસ્તના પાછા આવવાની બાબતે ઊભી થયેલી ગેરસમજૂતીને કારણે થેસ્સાલોનિકાની મંડળીમાં અશાંતિ ચાલુ રહ્યા કરતી હતી. તેઓમાંના કેટલાક એમ માનતા હતા કે પ્રભુના આવવાનો દિવસ આવી પહોંચ્યો છે; એટલે પાઉલ આ મૂંઝવણનો જવાબ આપે છે. આ વિચારધારાને પાઉલ સુધારે છે, અને જણાવે છે કે ખ્રિસ્તના પાછા આવ્યા પહેલાં ભૂંડાઈ અને ભ્રષ્ટતા, “પાપના માણસ” તરીકે ઓળખાતી રહસ્યમય વ્યક્તિની આગેવાની નીચે પરાક્ષ્ટાએ પહોંચશે. અને “પાપનો માણસ” ખ્રિસ્તનો વિરોધ કરતો રહેશે.
પાઉલ ભારપૂર્વક તેઓને જણાવે છે કે મુશ્કેલીઓ અને દુ:ખો હોવા છતાં દરેક વ્યક્તિએ વિશ્વાસમાં દઢ રહેવું જોઈએ, અને જેમ પાઉલ અને તેના સાથીદારો ક્મ કરે છે તેમ દરેક વ્યક્તિએ ક્મ કરવું જોઈએ, અને ભલું કરવામાં મંડયા રહેવું જોઈએ.
રૂપરેખા:
પ્રસ્તાવના ૧:૧-૨
વખાણ અને પ્રશંસા ૧:૩-૧૨
પ્રભુના આવવા વિષે શિક્ષણ ૨:૧-૧૭
ખ્રિસ્તી વર્તણૂક વિષે બોધ 3:૧-૧૫
ઉપસંહાર ૩:૧૬-૧૮

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy