ગીતશાસ્ત્ર 14
14
માણસોની દુષ્ટતા (ગીત ૫૩)
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું [ગીત].
1મૂર્ખે પોતાના મનમાં માન્યું છે,
“ઈશ્વર છે જ નહિ.”
તેઓ પતિત છે, તેઓએ અમંગળ
કૃત્યો કર્યાં છે;
#
રોમ. ૩:૧૦-૧૨. સત્કાર્ય કરનાર કોઈ નથી.
2કોઈ સમજનાર
અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે
નહિ તે જોવાને
યહોવાએ આકાશમાંથી મનુષ્યો ઉપર
દષ્ટિ કરી.
3તેઓ સર્વ માર્ગભ્રષ્ટ થયા છે;
તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે.
સત્કાર્ય કરનાર કોઈ નથી,
ના, એક પણ નથી.
4શું સર્વ ભૂંડું કરનારાને કંઈ જ્ઞાન નથી?
જાણે તેઓ રોટલા ખાતા હોય, તેમ
તેઓ મારા લોકને ખાઈ જાય છે,
અને યહોવાને વિનંતી કરતા નથી.
5ત્યાં તેઓ બહુ ભયભીત થયા;
કેમ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.
6તમે ગરીબના વિચાર નિરર્થક કરી
નાખો છો,
પણ યહોવા તેનો આશ્રય છે.
7સિયોનમાંથી ઇઝરાયલનું તારણ આવે
તો કેવું સારું!
યહોવા પોતાના લોકની આબાદી
પાછી આપશે,
ત્યારે યાકૂબ હર્ષ પામશે અને
ઇઝરાયલ આનંદ કરશે.
Currently Selected:
ગીતશાસ્ત્ર 14: GUJOVBSI
Highlight
Copy
Compare
Share
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.