1
એફેસીઓને પત્ર 2:10
કોલી નવો કરાર
KXPNT
કેમ કે, આપડે પરમેશ્વરની રસના છયી, અને મસીહ ઈસુમાં ઈ હારા કામો કરવા હાટુ આપણને રસવામાં આવ્યા, જેને પરમેશ્વરે પેલાથી જ એમ ઠરાવ્યું હતું કે, આપડે ઈ પરમાણે હાલી.
Compare
Explore એફેસીઓને પત્ર 2:10
2
એફેસીઓને પત્ર 2:8-9
કેમ કે, જઈ તમે વિશ્વાસ કરયો તો પરમેશ્વરે પોતાની કૃપાથી તમને બસાવી લીધા. અને તમે પોતાના તારણને કમાણા નથી, પણ આ પરમેશ્વરનું દાન છે. અને આ તમારી દ્વારા કરેલા કોય પણ હારા કામના કારણે નથી અને એટલે તમારી પાહે અભિમાન કરવાનું કોય જ કારણ નથી.
Explore એફેસીઓને પત્ર 2:8-9
3
એફેસીઓને પત્ર 2:4-5
પણ પરમેશ્વર બોવ દયાળુ છે, ઈ પોતાના મહાન પ્રેમના કારણે આપણને પ્રેમ કરે છે, જઈ અમે અપરાધોના કારણે મરેલા હતા, એણે આપણને જીવન આપ્યુ, જઈ એણે મસીહને મરેલામાંથી જીવાડયો, તો પરમેશ્વરની કૃપાથી જ તમને બસાવવામાં આવ્યા છે.
Explore એફેસીઓને પત્ર 2:4-5
4
એફેસીઓને પત્ર 2:6
ઈસુ મસીહની હારે આપડા સબંધને લીધે પરમેશ્વર આપણને એની હારે જીવતા કરયા છે, અને આપણને સ્વર્ગીય જગ્યામાં ઈસુની હારે બેહાડયા છે.
Explore એફેસીઓને પત્ર 2:6
5
એફેસીઓને પત્ર 2:19-20
ઈ હાટુ તમે, બિનયહુદી પરદેશી અને મુસાફર નથી રયા પણ તમે પરમેશ્વરનાં પવિત્ર લોકોની હારે સાથી નાગરિક છો અને તમે પરમેશ્વરનાં પરિવારના સભ્ય છો. એક હારે આપણે એનુ ઘર છયી, જે ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓના પાયા ઉપર બનેલું છે અને એનો ખૂણાનો પાણો પોતે મસીહ ઈસુ છે.
Explore એફેસીઓને પત્ર 2:19-20