દુ:ખનો સામનોનમૂનો

દુ:ખનો સામનો

DAY 10 OF 10

જીવનની અલ્પતા

આપણાં પ્રિયજનને ખોવાથી હંમેશા આપણે જીવનની અલ્પતાની વાસ્તવિકતા અનુભવીએ છીએ.

જીવન ક્ષણભંગુર છે અને ખૂબ ઝડપથી વીતી જાય છે. અમુક લોકો માટે, આ સફર માત્ર થોડા વર્ષોનો જ હોય છે. અન્ય લોકો માટે, દશકો સુધીનો હોય છે. પરંતુ બધા માટે, એ દિવસ તો નજીક આવશે જ.

મૃત્યુ તો અવશ્ય થવાનું જ છે એ વાતથી અવગત રહેતા, જીવન કેટલું નાનું હશે એ બાબત ઉપર માત્ર મનન કરીને આપણે આપણી જાતને તૈયાર કરવી ખૂબ જ જરૂરી છે.

પરંતુ કોઈક વખત આપણી મર્યાદાને સમજવામાં આખી જિંદગી નીકળી જાય છે અથવા તો જીવન ગુમાવીએ છીએ. એટલા માટે જ ગીતશાસ્ત્ર 90:12 માં મૂસા આપણને પ્રાર્થના કરવાનું કહે છે “Teach us to number our days that we may get a heart of wisdom”

આપણને જેની કિંમત છે તેને આપણે ગણતાં હોઈએ છીએ: પૈસા, રમત-ગમતના સ્કોર, કેલેરી વગેરે. માટે જો આપણને આપણાં દિવસોની કિંમત હોય, તો તેને પણ આપણે ગણવા જ જોઈએ. જોઈ કોઈ વ્યક્તિ પોતાની આર્થિક મૂળીને તેની કિંમત કરતાં વધારે ગણે, તો આર્થિક દ્રષ્ટિએ તે ગેર જવાબદાર હોય શકે, એ જ રીતે જો કોઈ તેના જીવનકાળને વધારે કિંમતી માને તો તે ખૂબ જ ગેર જવાબદાર હોય શકે છે. આવતીકાલની કદર નહીં કરવા કરતાં તેને એક ભેંટ તરીકે સમજવામાં ખૂબ જ સમજદારી છે.

જીવનની અલ્પતા એ એક નક્કર સત્ય છે જેમાંથી છૂટી શકાતું નથી. આપણે જીવનની અસ્થિરતા વિષે વિચારીએ - તો હકીકત એ છે કે આપણા માંથી કોઈ પણ નું આજ કે કાલ મોત થઈ શકે છે - પણ જીવન માત્ર અસ્થીર જ નહીં, પણ ખૂબ જ ટૂંકુ છે.

અયૂબ કહે છે કે, ‘Man born of woman is of few days and full of trouble. He springs up like a flower and withers away; like a fleeting shadow, he does not endure … Man’s days are determined; you have decreed the number of his months and have set limits he cannot exceed. So look away from him and let him alone, till he has put in his time like a hired man’ (Job 14:1-6).

અથવા, ગીતશાસ્ત્ર 90:10 માં, મૂસાના વચનમાં, ‘The length of our days is seventy years – or eighty, if we have the strength; yet their span is but trouble and sorrow, for they quickly pass, and we fly away’

એક માણસ જો એવું વિચારતો હોય કે તે યુવાન છે, પણ એમ જીવે કે તે કોઈ દિવસ મરવાનો જ નથી તો તે મૂર્ખ છે - પરમેશ્વર તો શાસ્ત્રમાં આ પ્રકારના વ્યક્તિ વિષે એવું જ કહ્યું છે (લૂક 12:20).

જીવન નાનું છે તેના અહેસાસનો તમારા ઉપર ખૂબ જ સ્પષ્ટ પ્રભાવ હોવો જોઈએ. સમયના શ્રેષ્ઠ ઉપયોગ કરવા પ્રત્યે તમને પ્રેરીત કરતું હોવું જોઈએ.

જ્યારે તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરો, તેને પ્રેમ કરો અને તેની સેવા કરો ત્યારે જ ટૂંકા સાંસારિક જીવનનો અર્થ અને તેની સંતૃપ્તિ મળશે .

પાઉલે લખ્યું છે કે, ‘I consider my life worth nothing to me, if only I may finish the race and complete the task the Lord Jesus has given me – the task of testifying to the gospel of God’s grace’ (પ્રેરિતોના કૃત્યો 20:24).

આ રીતે, જ્યારે તમારું ટૂંકું સાંસારિક જીવન અંતના આરે આવે છે, ત્યારે તમે પરમેશ્વર સાથે દુ:ખી કે નાખુશ નથી પણ તમે સદ્ભાગી ગણશો કે તમે પરમેશ્વરના અનંત રાજ્યના નિર્માણમાં તમારા જીવની ગણના કરી. અને આત્મવિશ્વાસ સાથે તમે પાઉલ સાથે કહી શકશો ‘The time has come for my departure. I have fought the good fight, I have finished the race, I have kept the faith. Now there is in store for me the crown of righteousness, which the Lord, the righteous Judge, will award to me on that day’ (2 તિમોથી 4:6-8).

હા, જીવન ટૂંકું છે, અને એટલી જ ઓછી તકો શાશ્વત રોકાણ કરવાની છે. માટે, ઇસુ માટે તમારા જીવનને ગણો.

અવતરણ: “ અનેકબાબતોમાં પ્રવીણ હોય એવાલોકો કરતા એક જ શ્રેષ્ઠ બાબતમાં પ્રવીણતા હાંસલ કરનાર જ જગત માં આમૂલ ફર્ક પાડી શકે છે .” જ્હોન પાઇપર

પ્રાર્થના: પરમેશ્વર, જાણું છું કે મારું જીવન ટૂંકું છે, તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મારી મદદ કરો, જેથી તમને મળવાનો સમય આવે, ત્યારે હું તૈયાર હોઉં. આમેન

શાસ્ત્ર

About this Plan

દુ:ખનો સામનો

જૂન 2021ના અંતે જ્યારે મારા પ્રિય પત્ની પરમેશ્વર સાથે સીધાવી ગયા બાદ પરમેશ્વરે મને આ પાઠો શિખવ્યા છે. મારી એ પ્રાર્થના છે કે, જેમ તમે આ ભક્તિના લેખો વાંચો તેમ,પરમેશ્વર તેના તમારા હ્રદયને પ્રેરણા આપે. શોક કરવો બરાબર છે. સવાલો હોય એ બરાબર છે. પરંતુ શોકની અંદર આશા છે. આશા છે કે, તે જીવનની એક ચોક્કસ બાબત - મૃત્યુ માટે તમને તૈયાર કરે.

More

અમે આ યોજના પ્રદાન કરવા બદલ વિજય થાંગિયાનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.facebook.com/ThangiahVijay