2
માગીઓ મસીહાની મુલાકાતે
1યહૂદિયાના બેથલેહેમમાં ઈસુના જન્મ પછી, હેરોદ રાજાના સમયમાં પૂર્વથી માંગી યરુશાલેમ આવ્યા, 2અને પૂછયું “યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે કયાં છે? તેનો ઊગતો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ.”
3જયારે હેરોદ રાજાએ આ સાંભળ્યું, ત્યારે તે ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ. 4પછી તેણે લોકોના મુખ્ય યાજકોને અને નિયમશાસ્ત્રના પંડિતોને એકઠાં કયાઁ તેણે તેમને પૂછયું મસીહનો જન્મ કયાં થવો જોઈએ? 5તેઓએ કહ્યું, “યહૂદિયાના બેથલેહેમમાં, કારણ કે પ્રબોધકે એમ લખ્યું છે કે:
6“ ‘પણ તું બેથલેહેમમાં યહૂદીયાના દેશમાં,
તું યહુદીયા ના શાશકોમાં કોઈ રીતે નાનું નથી,
કારણ કે તારામાંથી એક અધિપતિ આવશે,
જે મારી ઇઝરાયેલ પ્રજાનું પાલન કરશે.’ ”
7ત્યાર પછી હેરોદે માગીઓને ખાનગીમાં બોલાવ્યાં અને તેઓની પાસેથી તારો દેખાયાનો ચોક્કસ સમય જાણી લીધો 8તેણે તેમને બેથલેહેમ મોકલ્યા ને કહ્યું, “જાઓ અને બાળકને ઘ્યાનથી શોધો, જેવો તે તમને મળે, તેવાં પાછા આવીને મને જાણ કરો, જેથી હું પણ જઈને તેનું ભજન કરું.”
9તેઓએ રાજાને સાંભળીને પછી તેઓ પોતાને માગેઁ ચાલી નીકળ્યાં. અને જે તારો ઉગ્યો ત્યારે તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલ્યો અને જયાં સુધી તે બાળક હતું ત્યાં તેની ઉપર થંભ્યો! 10જયારે તેઓએ તારાને જોયો ત્યારે તેઓના આનંદનો પાર રહ્યો નહિ. 11ઘરે આવીને તેઓએ બાળકને તેની માતા મરિયમની પાસે જોયા, અને તેઓએ તેમને પગે પડી તેમનું ભજન કર્યું પછી તેમણે પોતાની જોણ્ણી છોડી ને બક્ષિસ તરીકે સોનું, લોબાન અને બોળનાં અર્પણ કર્યાં. 12સ્વપ્નમાં ચેતવણી મળી કે હેરોદ પાસે પાછા જવું નહિ, તેથી તેઓ બીજા માર્ગે થઈને વતનમાં પાછાં ગયાં.
ઈજિપ્ત તરફ પ્રયાણ
13તેઓના ગયા પછી યોસેફને સ્વપ્નમાં પ્રભુનાં દૂતે દશઁન દીધું ને તેણે કહ્યું, “ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઈજિપ્તમાં ચાલ્યો જા. હું કહું ત્યાં સુધી ત્યાં જ રહે કારણ કે હેરોદ બાળકને મારી નાંખવાને તેની શોધ કરવાનો છે.”
14તેથી તે ઉઠયો, તે જ રાત્રે, મરિયમ તથા બાળકને લઈને, ઈજિપ્ત તરફ પ્રયાણ કર્યું. 15હેરોદના મરણ સુધી તેઓ ત્યાં જ રહ્યાં, આ રીતે પ્રભુએ પ્રબોધક દ્રારા કહેલી ભવિષ્યવાણી પુરી થઈ: “મેં મારા પુત્રને ઈજિપ્તમાંથી બોલાવ્યો છે.”
16જયારે હેરોદે જાણ્યું કે માગીઓ દ્રારા મને ઠગવામાં આવ્યો છે, ત્યારે તે ક્રોધે ભરાયો, તેણે સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ બેથલેહેમ તથા તેની આસપાસની સરહદોમાં બે વરસના તથા તેથી નાની ઉંમર નાં પ્રત્યેક નર બાળકને મારી નાંખે, જે સમય સંબંઘી તેને માગીઓ ની પાસેથી ચોકસાઈથી ખબર મળી હતી. 17ત્યારે યર્મિયા પ્રબોધક દ્વારા કહેલી ભવિષ્યવાણી પૂરી થઈ:
18“રામા માં પોકાર સંભળાયો,
રડવાનો અને મોટા વિલાપનો,
રાહેલ પોતાના સંતાનોને માટે વિલાપ કરે છે.
અને દિલાસો પામવા નથી ચાહતી!
કારણ તેઓ હવે નથી.”
નાઝરેથ ભણી પાછા ફરવું
19હેરોદના મરણ પછી, ઈજિપ્તમાં યોસેફને સ્વપ્નમાં પ્રભુનાં દૂતે દશઁન દીધું, 20અને કહ્યું “ઊઠ! બાળક તથા તેની માતાને લઈને ઇઝરાયેલ દેશમાં જા, કેમકે જેઓ બાળકનો જીવ લેવાં માંગતા હતા, તેઓ મરણ પામ્યા છે.”
21તેથી તે ઊઠયો, બાળક અને તેમની માતાને લઈને ઇઝરાયેલ દેશમાં ગયો, 22પણ જયારે તેણે સાંભળ્યું કે આર્ખિલાઉસ હવે તેના પિતા હેરોદની જગ્યાએ રાજ કરે છે, ત્યારે તે ત્યાં જતા ગભરાયો; પછી સ્વપ્નમાં ચેતવણી મળવાથી તે ગાલીલ પ્રાંતમાં ગયો. 23અને તે નાઝરેથ નામનાં નગરમાં જઈને રહ્યો. આમ પ્રબોધક દ્વારા કહેલી ભવિષ્યવાણી સાચી પડી કે: તે નાઝારી કહેવાશે.