10
ઈસુ બારને બહાર મોકલે છે
1ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવ્યાં અને અશુધ્ધ આત્માઓ કાઢવાનો તથા દરેક બીમારી અને રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.
2બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે:
સિમોન (જે પિતર પણ કહેવાય છે), અને તેનો ભાઈ આન્દ્રિયા,
ઝબદીના દીકરા યાકોબ અને તેનો ભાઈ યોહાન,
3ફિલિપ, અને બર્થોલ્મી,
થોમાસ, અને કર ઉઘરાવનાર માથ્થી,
અલ્ફીનો દીકરો યાકોબ, અને થદીયુસ,
4સિમોન કનાની અને યહૂદા ઇશ્કરિયોત, જેણે તેમને પરસ્વાઘીન કરાયા.
5ઈસુએ આ બારેને બહાર મોકલીને આ પ્રમાણે સૂચના આપી: “વિદેશીઓની મઘ્યે ન જાવ અથવા સમરૂનીઓના કોઈ શહેરમાં જશો નહિ. 6પણ તેનાં કરતા ઇઝરાયેલીનાં ખોવાયેલાં ઘેટાં પાસે જાઓ. 7જઈને આ સંદેશ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે.’ 8માંદાને સાજા કરો, મરેલાંને સજીવન કરો, જેને રકતપિત છે તેને શુધ્ધ કરો, અશુદ્ધ આત્માઓને કાઢો. તમે મફત પામ્યા, મફત આપો.
9“તમારી સાથે સોના, કે ચાંદી કે તાંબાનું કોઈ નાણું તમારા કમરબંઘમાં રાખશો નહિ. 10મુસાફરી માટે થેલી, કે વધારાનાં શટઁ કે, ચંપલ કે લાકડી પણ લેશો નહિ કારણ કે કામ કરનારને તેનું વેતન મળશે જ. 11જે કોઈ શહેર કે ગામમાં તમે જાઓ, ત્યાં યોગ્ય માણસની તપાસ કરો અને ત્યાંથી જવાનું ન થાય ત્યાં સુધી તેના ઘરમાં જ રહો. 12જેવા તમે ઘરમાં પ્રવેશો, તમારી સલામ પાઠવો. 13જો એ ઘર લાયક હશે તો તમારી શાંતિ તેમની પર રહેશે જો તે ન હોય તો તમારી શાંતી તમારી પાસે પાછી આવશે. 14જો કોઈ તમારો આવકાર ન કરે કે તમારા શબ્દો ન સાંભળે, એ ઘર કે શહેર ટાળી મુકો અને તમારા પગની ઘૂળ ખંખેરી નાંખો. 15હું તમને સાચે જ કહું છું કે, ન્યાયના દિવસે તે શહેર કરતા સદોમ અને ગમોરાના હાલ સહેલ થશે.
16“વરુઓમાં હું તમને ઘેટાં જેવાં બહાર મોકલું છું. જેથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો. 17સાવધ રહો, કારણ કે તેઓ તમને ન્યાયસભાનાં હાથમાં સોંપશે અને સભાસ્થાનોમાં તમને કોરડા મારવામાં આવશે. 18મારી ખાતર રાજ્યકતાઁઓની અને રાજાઓની આગળ તેઓને તથા વિદેશીઓની આગળ સાક્ષી તરીકે રજૂ કરવામાં આવશે. 19પણ જયારે તેઓ તમને પકડે, ત્યારે શું બોલવું ને કેવી રીતે બોલવું એની ચિંતા કરશો નહિ, શું બોલવું તે સમયે તમને આપવામાં આવશે, 20કેમકે બોલનાર તમે નહિ, પણ તમારાં પિતાનો આત્મા તમારી મારફતે બોલશે.
21“ભાઈ ભાઈને મરણને માટે પકડાવશે, અને પિતા પોતાના સંતાનને; બાળકો પોતાનાં માતાપિતાની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે. 22મારે લીધે બધા તમારો ધિક્કાર કરશે, પરંતુ જે અંત સુધી ટકી રહેશે તે જ તારણ પામશે. 23જયારે એક જગ્યાએ તમને સતાવવામાં આવે ત્યારે બીજે નાસી જાઓ, હું તમને સાચે જ કહું છું કે માણસનો દીકરો આવે તે પહેલાં તમે ઇઝરાયેલના તમામ નગરોમાં ફરી વળશો નહિ.
24“શિષ્ય તેના ગુરુથી મોટો નથી, કે નોકર તેના શેઠ કરતાં ચડિયાતો નથી. 25શિષ્ય પોતાના ગુરુ જેવો અને નોકર તેના શેઠ જેવો હોય તે જ પુરતું છે. જો ઘરનાં માલીકને ‘બાલઝબૂલ’ કહ્યો છે તો ઘરના લોકોને કેટલું વધારે કહેશે?
26“માટે તેઓથી ડરશો નહિ, માટે એવું કંઈ છુપાયલું નથી કે જે જાહેર કરવામાં ન આવે અથવા એવું કઈ ગુપ્ત નથી જે જાણવામાં ન આવે. 27હું તમને અંધકારમાં જે કહું છું તે અજવાળામાં કહો, તમારા કાને જે સાંભળો છો, તેને છાપરાં પરથી પોકારાશે. 28જેઓ શરીરનો નાશ કરી શકે છે પણ આત્માને કાંઈ કરી શકતા નથી, તેઓથી ડરો નહિ. એના કરતા તમારાં આત્મા અને દેહ બંનેનો નરકમાં જે નાશ કરી શકે છે તેનાથી બીહો. 29શું બે ચકલીઓ એક પૈસામાં વેચાતી? તેમ છતાં તેઓ તમારાં પિતાની જાણ બહાર તેમાંની એક પણ જમીન પર પડતી નથી. 30અને તમારાંં માથાનાં બધા વાળ પણ ગણેલાં છે. 31તેથી ગભરાશો નહિ; ઈશ્વરની નજરમાં ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો.
32“જે કોઈ બીજાની આગળ મને કબૂલ કરશે, હું પણ સ્વર્ગમાંના મારા પિતાની સમક્ષ કબૂલ કરીશ. 33પરંતુ જો કોઈ બીજાની આગળ મારો નકાર કરશે, હું પણ સ્વર્ગમાંના મારા પિતાની સમક્ષ નકાર કરીશ.
34“એવું ધારશો નહિ, કે હું પૃથ્વી પર શાંતિ લાવવાં આવ્યો છું, શાંતિ તો નહિ, પણ તરવાર ચલાવવાં આવ્યો છું. 35હું એ માટે આવ્યો છું કે
“ ‘માણસ તેના પિતાની વિરુદ્ધ,
દીકરીને તેની માતાની વિરુદ્ધ
અને વહુને તેની સાસુને વિરુદ્ધ.
36માણસનાં દુશ્મનો તેના પોતાના ઘરમાંનાં જ બનશે.’
37“જે કોઈ મારા કરતાં જે તેમના પિતા અને માતા પર વધું પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી, અથવા જે કોઈ મારા કરતાં તેમનાં દીકરા કે દીકરી પર વધારે પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી. 38જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તો તે મારે યોગ્ય નથી. 39જે કોઈ પોતાનો જીવ બચાવશે તો તે તેને ગુમાવશે, અને જે કોઈ મારે લીધે જે કોઈ તેમનો જીવ ગુમાવશે, તો તે તેને બચાવશે.
40“જેઓ, તમારો આવકાર કરે છે, તેઓ મારો પણ આવકાર કરે છે, અને જે મારો આવકાર કરે છે, તે મને મોકલનારનો આવકાર કરે છે. 41જે કોઈ પ્રબોધકને નામે પ્રબોધક તરીકે નો આવકાર કરે છે, તે પ્રબોધકનો બદલો પામશે; અને જે કોઈ ન્યાયી વ્યક્તિને ન્યાયી તરીકે આવકારે છે તેને ન્યાયી વ્યક્તિનો બદલો મળશે. 42અને જો કોઈ મારા શિષ્ય એવા આ નાનાંઓમાંના એકને ઠંડા પાણીનો પ્યાલો પણ આપે તો હું તમને સાચે જ કહું છું કે, ખચીત તે વ્યકિત પોતાનો બદલો પામ્યા વિના રહેશે નહિ.”