13
વાવનારનું દ્રષ્ટાંત
1તે જ દિવસે ઈસુ ઘરમાંથી બહાર નીકળીને સરોવર કાંઠે બેઠા. 2ઘણું મોટું ટોળું તેમની આસપાસ ભેગું થયું, માટે તેઓ હોડીમાં જઈને તેમાં બેઠાં જયારે બધા લોકો કિનારે ઊભા રહ્યા. 3પછી તેમણે દ્રષ્ટાંતોમા ઘણી વાતો કહી; કે “એક ખેડૂત તેના બી વાવવા બહાર ગયો, 4જયારે તે બી વાવતો હતો, કેટલાક પગદંડીની બાજુએ પડયાં, અને પક્ષીઓ આવ્યા અને તે ખાઈ ગયાં. 5કેટલાક ખડકાળ જમીન પર પડયાં, જયાં વધારે માટી ન હતી, તેથી તે જલદી ઊગી નીકળ્યાં. કેમકે જમીન છિછરી હતી. 6પણ જયારે સૂર્ય ઉપર આવ્યો ને છોડ ચીમળાઈ ને સુકાઈ ગયા, કેમકે તેમને મૂળ ન હતા. 7કેટલાક બી કાંટા ઝાંખરામાં પડયાં, જે વધ્યાં અને છોડને દબાવી દીધા. 8હજુ બીજા બી સારી જમીન પર પડયાં, જયાં તેને ફળ આવ્યા, તેમાંથી સો ગણાં, સાઠગણાં, અને ત્રીસ ગણાં ફળ ઉત્પન્ન થયાં. 9જેને કાન હોય તે સાંભળે.”
10શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, “તમે લોકો સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?”
11તેમણે જવાબ આપ્યો, “કારણ કે ઈશ્વરના રાજ્યના મમોઁ જાણવાનું જ્ઞાન તમને આપવામાં આવેલ છે, પણ તેઓને નહિ. 12જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ લઈ લેવામાં આવશે.” 13આ માટે તેઓની સાથે હું દ્રષ્ટાંતોમાં બોલુ છું:
“જો કે જોતાં, તેઓ જોતાં નથી
જો કે સાંભળતા, તેઓ સાંભળતા નથી, અને સમજતા નથી.
14તેઓમાં યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી થઇ છે:
“ ‘તમે સર્વદા સાંભળ્યા કરશો પણ કદી સમજશો નહિ;
તમે સર્વદા જોયા કરશો પણ કદી જાણશો નહિ;
15કેમકે આ લોકોનું હૃદય જડ થઈ ગયું છે.
તેઓ પોતાના કાનથી ભાગ્યે જ સાંભળે છે, અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે
નહિ તો કદાચ તેઓ પોતાની આંખોથી જુએ,
પોતાના કાનથી સાંભળે,
પોતાના હૃદયથી સમજે,
અને પાછા ફરે અને હું તેઓને સાજા કરું.’
16પરંતુ ધન્ય છે તમારી આંખોને કેમકે તે જુએ છે અને તમારાં કાનોને કેમકે તે સાંભળે છે. 17કેમકે હું તમને સાચે જ કહું છું, તમે જે જોયું તે જોવાની ઘણા પ્રબોધકો અને ન્યાયીઓએ ઈચ્છા રાખી, પણ જોવા પામ્યા નહિ. તમે જે સાંભળ્યું તે સાંભળવા ઈચ્છા રાખી, પણ સાંભળ્યું નહિ.
18“તો પછી વાવનારના દ્રષ્ટાંતનો અથઁ શું છે તે સાંભળો: 19જયારે કોઈ રાજ્ય વિશેનો સંદેશ સાંભળે છે, અને તે સમજતો નથી. પછી શેતાન આવીને, તેના હૃદયમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે. પગદંડી પર પડેલા બી તે એ જ છે 20ખડકાળ જમીન પર પડેલા તે બી તેમને દશાઁવે છે કે, જે સાંભળીને તરત જ તેને આનંદથી સ્વીકારી લે છે. 21પણ તેનામાં મૂળ નહિ હોવાથી, તેઓ થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે મુશ્કેલીઓ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ તરત પડી જાય છે. 22ઝાંખરા મા પડેલા તે બી તેમને દશાઁવે છે જે વચન સાંભળે છે, પણ આ જીવનની ચિંતાઓ અને દ્રવ્યલોભ વચનને દાબી દે છે ને તે ફળદાયક રહેતું નથી. 23સારી જમીન પર પડેલા બી તેમને દર્શાવે છે, જે વચન સાંભળે છે, તે એ છે કે જે ઉપજ આપે છે, જે વાવ્યું હતુ તેને સો, સાઠ અને ત્રીસ ગણાં ફળ આપે છે.”
કડવા દાણાનું દ્રષ્ટાંત
24ઈસુએ તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે: “સ્વર્ગનું રાજ્ય, પોતાના ખેતરમાં સારું બી વાવનાર એક માણસના જેવું છે. 25પણ જયારે બધા ઊંઘતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને તેણે ઘઉંમા કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. 26જયારે ઘઉં ઉગ્યા ને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા.
27“માલિકનાં નોકરોએ તેની પાસે આવીને કહ્યું, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું ન હતું? તો કડવા દાણા ક્યાંંથી આવ્યા?’
28“તેણે જવાબ આપ્યો, ‘એ કોઈ દુશ્મને કયુઁ છે.’
“નોકરોએ તેમને પૂછયું, ‘શું તમારી ઇચ્છા છે કે અમે જઈને તેઓને ઉખેડી નાખીએ?’
29“તેણે જવાબ આપ્યો, ‘ના, કેમકે જયારે કડવા ઉખેડવા જતા, તમે ઘઉંને તેમની સાથે ઉખેડી નાખો. 30કાપણી સુધી બંનેને સાથે વધવા દો. તે સમયે હું કાપણી કરનારને કહીશ કે, પહેલાં કડવાને એકઠા કરો અને બાળવા સારું તેના ભારા બાંધો, અને ઘઉંને ભેગા કરો અને મારી કોઠારમાં લાવો.’ ”
રાંઇના બી નું અને ખમીર નું દ્રષ્ટાંત
31તેમણે બીજું દ્રષ્ટાંત કહ્યું: “સ્વર્ગનું રાજ્ય રાઈના બી જેવું છે. જેને એક માણસે લઇને તેનાં ખેતરમાં વાવ્યું 32જો કે સઘળાં બી કરતાં તે નાનું છે, પણ જયારે તે વધે છે, ત્યારે તે વધીને બગીચાના છોડો કરતાં તે મોટું વૃક્ષ બને છે. જેથી આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓમાં માળા બાંધે છે.”
33તેમણે તેમને બીજું એક દ્રષ્ટાંત કહ્યું: “સ્વર્ગનું રાજ્ય તે ખમીર જેવું છે, એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં ભેળવ્યું, જયાં સુધી તે બધો ખમીરવાળો થયો.”
34ઈસુએ આ બધી વાતો ટોળાને દ્રષ્ટાંતોમાં કહી. તેમણે દ્રષ્ટાંતનો ઉપયોગ કયાઁ વગર તેઓને કંઇ કહ્યું નહિ 35કેમકે પ્રબોધકો દ્ગારા જે કહેવામાં આવ્યું હતું તે પુરું થાય:
“હું દ્રષ્ટાંતોમાં મારું મુખ ઉઘાડીશ,
જે બાબતો જગતની ઉત્પતિથી ગુપ્ત રખાયેલ છે, તે હું કહીશ.”
કડવા દાણાનાં દ્રષ્ટાંતની સમજુતી
36પછી ટોળાને મૂકીને ઈસુ ઘરમાં ગયા. તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું “ખેતરના કડવા દાણાનું દ્રષ્ટાંત અમને સમજાવો.”
37તેમણે જવાબ આપ્યો, “સારાં બી જેણે વાવ્યાં તે માણસનો દીકરો છે. 38ખેતર એ જગત છે, અને સારાં બી એ સ્વર્ગનાં રાજ્યનાં લોકો માટે છે. કડવા દાણા એ શેતાનનાં લોકો છે. 39અને કડવા દાણા વાવી જનાર દુશ્મન એ શેતાન છે, કાપણી એ જગતનો અંત છે અને પાક લણનારાં એ દૂતો છે.
40“જેમ કડવા દાણા ખેંચીને અગ્નિમાં સળગાવી દેવામાં આવે છે, તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે. 41માણસનો દીકરો તેમના દૂતોને મોકલશે અને જેઓ તેમના રાજ્યમાંથી પાપનું કારણ બને છે અને જે બધી દુષ્ટતા કરે છે તે બધાને તેઓ કાઢી નાખશે, 42તેઓ તેમને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે, ત્યાં રડવું અને દાંત પીસવું થશે. 43ત્યારે ન્યાયી પોતાના પિતાનાં રાજ્યમાં સૂર્યની માફક પ્રકાશશે. જેને કાન હોય તે સાંભળે.”
સંતાડેલું દ્રવ્ય અને મોતીનું દ્રષ્ટાંત
44“સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે. જયારે એક માણસને તે મળ્યું તેણે તે ફરીથી છુપાવી દીધું, ને તેના હષઁને લીધે તેણે જઈ પોતાનું જે કાંઈ હતું તે બધું વેચી દઈને તે ખેતર ખરીદી લીધું.
45“વળી, સ્વર્ગનું રાજ્ય ઉત્તમ મોતીની શોધનાર વેપારીના જેવું છે. 46જયારે તેને તે અતિમૂલ્યવાન મળી આવ્યું તે ગયો અને પોતાનું જે કાંઈ હતું તે વેચીને તેણે તે ખરીદી લીધું.
જાળનું દ્રષ્ટાંત
47“ફરીવાર સ્વર્ગનું રાજ્ય જાળનાં જેવું છે કે જેને સરોવરમાં નાખી અને દરેક જાતની માછલીઓ પકડાય. 48જયારે તે ભરાઈ ગઇ ત્યારે માછીમારો તેને કિનારા પર ખેંચી લાવ્યાં, પછી તેઓએ બેસીને સારી માછલીઓ ટોપલીમાં એકઠી કરી અને નકામી માછલીઓને ફેંકી દીધી. 49જગતના અંત સમયે આ જ પ્રમાણે થશે. દૂતો આવશે ને ન્યાયીઓને દુષ્ટો થી જુદાં પાડશે. 50અને તેઓને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે, ત્યાં રડવું અને દાંત પીસવું થશે.
51“શું તમે આ બધું સમજ્યાં?” ઈસુએ કહ્યું.
“હા,” તેઓએ જવાબ આપ્યો.
52તેમણે તેઓને કહ્યું, “માટે દરેક નિયમશાસ્ત્રના પંડિત જે સ્વગઁના રાજ્યના શિષ્ય બન્યાં છે તે એક ઘરઘણી જેઓ છે જે પોતાના ભંડારમાંથી નવી તથા જુની વસ્તુઓ લાવે છે.”
માન વગરનો પ્રબોધક
53જયારે ઈસુ દ્રષ્ટાંતો પુરા કર્યા પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. 54તેમના પોતાના વતનમાં આવ્યા તેઓ ત્યાં સભાસ્થાનમાં શિક્ષણ આપવાં લાગ્યા. “અને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેઓએ પૂછયું, આ માણસની પાસે આ જ્ઞાન તથા ચમત્કારીક સામથ્યઁ ક્યાંથી? 55શું એ સુથારનો દીકરો નથી. શું તેમની માતાનું નામ મરિયમ નથી અને તેના ભાઈઓ યાકોબ, યોસેફ, સિમોન અને યહૂદા નથી? 56તેમની બધી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધુ કયાંથી?” 57અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી.
પણ ઈસુએ તેઓને કહ્યું, “પ્રબોધકને પોતાના ઘર અને પોતાના વતન સિવાય માન વગરનો નથી.”
58તેઓના અવિશ્વાસને લીધે તેઓએ ત્યાં ઘણાં ચમત્કાર ન કર્યા.