YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 23

23
1પાઉલે મોટી સભાની હામે ધ્યાન દઈને અને કીધું કે, “ભાઈઓ, મે આજ હુધી પરમેશ્વરની હારે હાસા મનથી જીવન જીવ્યું છે.” 2પાઉલે જે કીધું આ હાંભળીને અનાન્યા પ્રમુખ યાજક જે એની પાહે ઉભો હતો, એના મોઢાં ઉપર લાફો મારવાનો હુકમ દીધો. 3તઈ પાઉલે એને કીધું કે, “હે ઢોગી માણસ, પરમેશ્વર તને મારશે, તુ નિયમની પરમાણે મારો ન્યાય કરવા હાટુ બેઠો છો, અને પછી શું નિયમની વિરોધમા મને મારવાનો હુકમ આપશો?”
4જે પાહે ઉભા હતાં તેઓએ કીધું કે, “શું તુ પરમેશ્વરનાં પ્રમુખ યાજકનું અપમાન કરે છે?” 5પાઉલે કીધું કે, હે ભાઈઓ, હું નોતો જાણતો કે આ પ્રમુખ યાજક છે કેમ કે, પવિત્રશાસ્ત્રમાં લખેલુ છે કે, “પોતાના લોકો પ્રધાનને ખરાબ નો કેય.”
6તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.” 7જઈ એણે ઈ વાત કરી તો ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોને બાધણું થાવા લાગ્યું, અને સભામાં પક્ષ પડી ગયો. 8કેમ કે, સદુકી ટોળાના લોકો આ વિશ્વાસ કરતાં હતાં કે, લોકો મરેલામાંથી જીવતા નથી થાતા, નો તો સ્વર્ગદુત છે, અને નો તો મેલી આત્મા છે, પણ ફરોશી ટોળાના લોકો આ બધીય વાતો છે, એવો વિશ્વાસ કરતાં હતા.
9તઈ ન્યા મોટુ હુલ્લડ મસાવીને અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં, ઉભા થય ગયા અને આ ક્યને વાદ-વિવાદ કરવા લાગ્યા કે, “અમને આ માણસની કાય ભૂલ દેખાતી નથી, અને જો કોય મેલી આત્મા કે સ્વર્ગદુતે એનાથી વાત કરી છે તો પછી શું?” 10જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.
11ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”
પાઉલને મારી નાખવાનું કાવતરું
12જઈ દિવસ થયો તો થોડાક યહુદી લોકોએ કાવતરું કરયું, અને હમ ખાયને પ્રતિજ્ઞા લીધી કે, “પાઉલને મારી નો નાખી, ન્યા હુધી આપડે ખાહું-પીહું નય.” 13જેઓએ આ હમ ખાધા હતાં, ઈ સ્યાલીસ લોકો કરતાં વધારે હતા.
14જેઓએ મુખ્ય યાજક અને વડીલોની પાહે જયને કીધું કે, “અમે આ હમ ખાધા છે કે જ્યાં લગી અમે પાઉલને મારી નો નાખી, ન્યા લગી અમે નો તો કાય ખાહુ નો તો કાય પીહુ. 15ઈ હાટુ મોટી સભાની મંડળી સહિત સિપાય દળના સરદારોને હમજાવો કે પાઉલને તમારી પાહે લીયાવે, આ કયને કે અમે એના વિષે પુરી તપાસ કરીને આરોપ લગાડવા માંગી છયી, અને અમે એને તારી પાહે પુગીયા પેલાથી મારી નાખવા હાટુ તૈયાર રેહુ.” 16પણ પાઉલના ભાણીયાએ હાંભળ્યું કે, થોડાક યહુદી લોકો પાઉલને મારી નાખવાનું કાવતરું કરે છે, તો એણે મહેલમાં જયને પાઉલને કય દીધું. 17ઈ હાટુ પાઉલે સો સિપાયના અધિકારીમાંથી એકને પોતાની પાહે બોલાવીને કીધું કે, “આ જુવાનને સિપાય દળના સરદારની પાહે લય જાવ, ઈ એને કાક કેવા માગે છે.”
18તઈ એણે પાઉલના ભાણીયાને સિપાય દળના સરદારની પાહે લય જયને કીધું કે, “બંધી પાઉલે મને બરકીને વિનવણી કરી કે, આ જુવાન સિપાય દળના સરદારને કાક કેવા માગે છે, આને એની પાહે લય જાવ.”
19ઈ સિપાય દળના સરદારે પાઉલના ભાણીયાનો હાથ પક્ડીને જુદો લય જયને પુછયું કે, “તુ મને શું કેવા માગે છે?”
20એણે કીધું કે, “યહુદી લોકોના આગેવાનોએ કાવતરું કરયું છે કે, તને વિનવણી કરે કે કાલે પાઉલને મોટી સભામાં લીયાવે, આ ક્યને કે ઈ વધારે હારી રીતેથી એની તપાસ કરવા માગે છે, 21પણ એની વાત તો માનતો, કેમ કે એમાંથી લગભગ સ્યાલીસથી વધારે માણસો પાઉલને મારી નાખવા માગે છે, તેઓએ આ હમ ખાધા છે કે, જ્યાં લગી પાઉલને મારી નો નાખી ન્યા લગી કાય પણ ખાહુ-પીહુ નય. અત્યારે જ તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જોવે છે.”
22તઈ સિપાય દળના સરદારે પાઉલના ભાણીયાને આ આજ્ઞા દઈને મોકલી દીધો, “કોયને નો કેતો કે, તે મને આ વાતો કરી છે.”
પાઉલને ફેલિકસની પાહે મોકલવો
23તઈ સિપાય દળના સરદારે હો સિપાયના બેય અધિકારીઓને બરકીને કીધું કે, “બસ્સો સિપાય, સતર ઘોડાવાળા, અને બસ્સો ભાલાવાળા, રાતે નવ વાગે કાઈસારિયા શહેરમાં જાવા હાટુ તૈયાર રાખો. 24પાઉલને લય જાવા હાટુ થોડાક ઘોડા તૈયાર કરો અને એનો બસાવ કરીને ફેલિકસ રાજ્યપાલની પાહે હાજે-હારો પુગાડી દેય.” 25સિપાય દળના સરદારે ફેલિકસ રાજ્યપાલને આ રીતે એક પત્ર હોતન લખ્યો.
26આદરણીય ફેલિકસ રાજ્યપાલને કલોડિયસ લુકિયસની સલામ. 27આ માણસને યહુદી લોકો પકડીને મારી નાખવા માગતા હતાં, પણ જઈ મને ખબર પડી કે આ રોમ દેશનો રેવાવાળો છે, તો મે સિપાયોની ટુકડી મોકલીને છોડાવી લીધો છે.
28હું જાણવા માંગું છું કે, ઈ એના ઉપર હેની લીધે આરોપ લગાડ છો, ઈ હાટુ એને એની મોટી સભામાં લય ગયો. 29તઈ મે જાણ્યું કે ઈ એના યહુદી નિયમોના વિવાદોના વિષયમાં એના ઉપર આરોપ લગાડે છે, પણ મારી નાખવા કે બાંધવામાં આવે એને લાયક એનામા કાય આરોપ નથી. 30અને જઈ મને બતાવવામાં આવ્યું કે ઈ લોકો આ માણસને મારી નાખવાની તૈયારીમાં છે, તો મે એને તરત તારી પાહે મોકલી દીધો, અને ઈ યહુદી લોકોને જેઓએ એના ઉપર આરોપ લગાડો છે, હુકમ આપ્યો કે તારી હામે એના ઉપર આરોપ લગાડે.
31ઈ જ રાતે સિપાયોએ એને આપવામાં આવેલો હૂકમને પુરો કરયો, ઈ પાઉલને યરુશાલેમ શહેરમાં આંતિપાત્રસ શહેરમાં લીયાવ્યા. 32બીજા દિવસે ઈ પાઉલની હારે ઘોડાવાળા સિપાયને કાઈસારિયા શહેરમાં જાવા હાટુ મોકલીને યરુશાલેમ શહેરમાં પાછા વયા ગયા, 33તેઓએ કાઈસારિયા શહેરમાં પૂગીને રાજ્યપાલને સીઠ્ઠી દીધી, અને પાઉલને પણ એની હામો ઉભો કરયો.
34રાજ્યપાલે સીઠ્ઠી વાસીને કીધું કે, “આ પાઉલ કિલીકિયા પરદેશનો છે.” 35અને જઈ જાણી લીધું કે પાઉલ કિલીકિયા પરદેસનો છે, તો એણે કીધું કે, “જઈ તારા ફરિયાદીઓ આયશે તઈ હું તારો સુકાદો કરય,” અને એણે પાઉલને હેરોદ રાજાના મહેલમાં રાખવાની સોકીદારોને આજ્ઞા દીધી.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in