એથી પરમેશ્વરે તેઓને શરમજનક વાસના હાટુ છોડી દીધા છે કેમ કે, તેઓની બાયડીયુ માણસો હારે દેહિક સંબંધ બાંધવાની બદલે બીજી બાયુ હારે સંબંધ બાંધવા મંડયું. ઈજ રીતે માણસોએ પણ બાયડીઓની હારે હુવાનુ બંધ કરી દીધુ અને એક-બીજા પ્રત્યે ભુંડી ઈચ્છાથી બળવા મંડીયા, અને માણસ બીજા માણસની હારે શરમ વગરના કામ કરીને ઈ પરકારે ઈ પોતાના દેહમાં પોતાની કરેલી ભૂલોની લાયક સજા ભોગવે છે. કેમ કે, તેઓએ પરમેશ્વરને અપનાવવું મુર્ખાય હંમજી, તો પરમેશ્વરે પણ ઈ બધાય ખરાબ કામ કરવાના લીધે એને એના નક્કામાં મનના કાબુમાં છોડી દીધા.