ફેસ્તસ યરુશાલેમમાં આઠ-દસ દિવસ રયને કાઈસારિયા પરદેશમા પાછો વયો ગયો, અને બીજા દિવસે ન્યાયાસન ઉપર બેહીને પાઉલને આવવાની આજ્ઞા દીધી. જઈ પાઉલને લીયાવવામાં આવ્યો, તો જે યહુદી લોકોના આગેવાનો યરુશાલેમ શહેરમાં આવ્યા હતાં, તેઓએ એની આજુ-બાજુ ઉભા થયને બોવ જ આરોપ લગાડા. જેનો પુરાવો ઈ નથી દય હક્તા.