ઈ હાટુ ઈ સોખું છે કે, પરમેશ્વરે એને પણ ઈ જ દાન દીધુ, જે અમને પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું, તો હું કોણ હતો જે પરમેશ્વરનાં કામોને રોકી હકતો? આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”