પછી તેણે યૂસફને આશીર્વાદ આપતાં કહ્યું,
“જે દેવની સાક્ષીએ માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાક ચાલતા હતા,
જે દેવે મને સમગ્ર જીવનપર્યત સંભાળ્યો.
જે દેવદૂતે મને સર્વ અનિષ્ટોમાંથી ઉગાર્યો છે,
તે આ છોકરાઓને આશીર્વાદ આપો;
અને માંરું નામ તથા માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાકનાં નામ એમના વડે અમર રહો.
અને આ પૃથ્વી પર એમના વંશની વૃદ્વિ થાઓ.”