ઓ દંભીઓ! શા માટે તમે મને ફસાવવા માગો છો? કરવેરા ભરવા માટેનો ચાંદીનો સિક્કો મને બતાવો.
તેઓ તેમની પાસે એક સિક્કો લાવ્યા. ઈસુએ તેમને પૂછયું, આમાં કોની છાપ અને કોનું નામ છે?
તેમણે જવાબ આપ્યો, રોમન સમ્રાટનાં.
તેથી ઈસુએ કહ્યું, જે રોમન સમ્રાટનું છે તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે તે ઈશ્વરને ભરી દો.