‘તું એ લોકોની પાસે જઈને કહે કે,
તમે સાંભળ્યા કરશો પણ
સમજશો નહિ.
અને જોયા કરશો
પણ તમને સૂઝશે નહિ;
કેમ કે એ લોકોનાં મન જડ થઈ
ગયાં છે.
તેઓના કાન બહેર મારી ગયા છે,
તેઓએ પોતાની આંખો મીંચેલી છે;
રખેને કદાચ તેઓને આંખે સૂઝે,
અને તેઓ કાને સાંભળે,
અને મનથી સમજે, અને ફરે,
અને હું તેઓને સાજા કરું.’