Leseplan-informasjon
BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકPrøve
![BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F31044%2F1280x720.jpg&w=3840&q=75)
ઈસુના ઉથલ પાથલ કરનાર રાજ્યનું ઘોષણાપત્ર વાંચ્યાં પછી આપણે કદાચ એવો પ્રશ્ન પૂછવાની શરૂઆત કરીએ કે "બીજો ગાલ ધરો" એ વાત કેવી રીતે સામર્થી હોઇ શકે? ઈસુની કૃપા નિર્બળ નથી. આપણે આગળ વાંચવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે આપણે જોઇએ છીએ કે ઈસુ રાજા પાસે તો મૂએલાંને પણ જીવતાં કરવાનું સામર્થ્ય છે.
જેઓ ઈસુને આ બધા આશ્ચર્યકારક ચમત્કારો કરતાં જુએ છે અને સાંભળે છે, એવા ઘણાં લોકો જાણે છે કે તે ઈશ્વરના સામર્થ્યથી એ કાર્યો કરે છે. પણ જ્યારે યોહાન બાપ્તિસ્ત જેલમાં હોય છે, ત્યારે જે કંઇ થઇ રહ્યું છે, તેને તે જોઈ કે સાંભળી શકતાં નથી. તે એવો વિચાર કરવા લાગે છે, કે ઈસુ ખરેખર તારનાર છે કે નહિ? ઈસુ ફરીથી યશાયા પ્રબોધકની વાતને ટાંકીને યોહાનને પ્રત્યુત્તર મોકલે છે કે: "ગરીબો માટે સારા સમાચાર છે." યોહાન જાણે છે કે આ શબ્દ આવનાર મસીહને દર્શાવે છે. પરંતુ તે એ પણ જાણે છે કે યશાયાના પુસ્તકનાં શરૂઆતના વાક્યો એવી ભવિષ્યવાણી કરે છે કે મસીહ "બંદીવાનોની મુક્તિની" ઘોષણા કરશે. તો પછી યોહાન શા માટે હજુ પણ બંદીવાન છે? શું ઈસુ તેમને ભૂલી ગયા હતાં? ઈસુ યોહાનની દુર્દશા જુએ છે અને વચન આપે છે કે, "જે મારા સંબંધી ઠોકર ખાતો નથી તેને ધન્ય છે."
પણ ઘણા લોકો આ ધન્યતાનો નકાર કરે છે, અને ઈસુ સંબંધી ઠોકર ખાય છે, ખાસ કરીને ધાર્મિક આગેવાનો. તેમણે જેમને બહિષ્કૃત કર્યાં છે, એવા લોકો પ્રત્યેની ઈસુની ઉદારતાને તેઓ સમજી શકતાં નથી. પણ ઈસુ જાણે છે કે જ્યારે આવા લોકોને પોતાની સમક્ષ લાવવામાં આવે ત્યારે તેમણે તેમના માટે શું કરવાનું છે. ઉદાહરણ તરીકે લૂક નોંધે છે, કે જ્યારે મિજબાની વખતે એક સ્ત્રી પોતાની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ સાથે ઈસુના પગ ધોવા પોતાની જાતને નમ્ર કરે છે, ત્યારે ઈસુ તેને માફ કરીને તેનું જીવન શુદ્ધ કરે છે. અને જ્યારે આપણે પણ તેમની પાસે જઈએ છીએ, ત્યારે ઈસુ આપણા માટે પણ એમ જ કરવા માટે તૈયાર છે.
આ તો ઉથલ-પાથલ કરનારું રાજ્ય છે, એટલે કે એક મોટો વિપરીત ફેરફાર. આપણે કદાચ એવો વિચાર કરીએ કે આપણે જ્યારે ભૂલો કરીએ, ત્યારે ઈસુ રાજાની હાજરીમાં પ્રવેશ કરી શકતા નથી, પણ ઈસુ બીજા રાજાઓ જેવા નથી. ઈસુ તો તેમની હાજરીમાં પ્રવેશ કરી શકાય એવા કૃપાળુ છે –– મરણ કે બંદીખાનાની દિવાલો પણ તેમના શિષ્યોને તેમના પ્રેમથી દૂર કરી શકતાં નથી.
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
•ઈસુએ જ્યારે એક નાની છોકરીને અને જુવાન છોકરાને જીવતા કર્યા તે ઘટના સમયે તમે ત્યાં હાજર હોય એવી કલ્પના કરો. તમે કેવી લાગણી અનુભવશો? તમે શું કરશો?
• શું તમને એમ લાગે છે કે ઈશ્વર તમને ભૂલી ગયા છે, અથવા તો તમે ઈશ્વરના લાભોથી વંચીત છો? ઈસુ લોકોનાં ટોળાંને ખાતરી આપે છે, કે તે કાર્ય કરી રહ્યાં છે, અને જેઓ તેમના જીવનમાં ઈશ્વરના લાભોને જોઇ શકતા ન હોવા છતાં ઠોકર ખાતા નથી, તેમને આશીર્વાદ આપે છે. તમને આ ખાતરી કેવી લાગે છે?
•ઈસુના પગ પર અભિષેક કરનાર સ્ત્રી ઈસુ માટેનો તેનો પ્રેમ વ્યક્ત કરવાથી ડરતી નહોતી. શું તમે એવી કોઈ વ્યક્તિને ઓળખો છો? તેઓ ઈસુ માટેનો તેમનો પ્રેમ કેવી રીતે વ્યક્ત કરે છે?
• ઈસુ પ્રત્યેનો આપણો પ્રેમ ઈસુએ આપણને કેટલા પ્રમાણમાં માફ કર્યા છે, તેની સમજણ સાથે સીધો સંબંધ ધરાવે છે. શું તમે તમારા બધા પાપોની માફી માટે ઈસુને વિનંતી કરી છે? જો હા, તો ઈસુએ તમને કેટલા પ્રમાણમાં માફ કર્યા છે, તેના વિશે મનન કરો –– ખરેખર તેના વિશે વિચાર કરો. એવી કઇ રીત છે, જેના દ્વારા તમે આજે ઈસુ પ્રત્યે તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો?
• તમારા વાંચન અને મનન મુજબ તમારા હૃદયની પ્રામાણિકતાથી પ્રાર્થના કરો.
Skriften
Om denne planen
![BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F31044%2F1280x720.jpg&w=3840&q=75)
બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્...
More